Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 5:14 - પવિત્ર બાઇબલ C.L.

14 પછી ઈસુએ તેને મંદિરમાં મળીને કહ્યું, “જો, હવે તું સાજો થયો છે. હવેથી પાપ કરતો નહિ, નહિ તો તારી હાલત વધારે ખરાબ થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 પછી મંદિરમાં તેને મળીને ઈસુએ કહ્યું, “જો, તું સાજો થયો છે; હવેથી પાપ ન કર, રખેને તારા પર વિશેષ [વિપત્તિ] આવી પડે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પછીથી ઈસુએ તે માણસને ભક્તિસ્થાનમાં મળીને તેને કહ્યું કે, ‘જો તું સાજો થયો છે; હવેથી પાપ ન કર, રખેને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 પાછળથી ઈસુ મંદિરમાં તે માણસને મળ્યો. ઈસુએ તેને કહ્યું, “જો, તું હવે સાજો થયો છે હવેથી પાપ ન કર. કદાચ તારું કંઈક વધારે ખરાબ થાય!”

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 5:14
23 Iomraidhean Croise  

આહાઝ રાજા પોતાના સંકટના સમયમાં પણ પ્રભુ વિરુદ્ધ વધારે ને વધારે પાપ કરતો રહ્યો.


પણ રાહત થઈ, એટલે વળી પાછા તેમણે પાપ કર્યું, અને ફરીથી તમે તેમના શત્રુઓને તેમના પર વિજય પમાડયો. છતાં જ્યારે તેમણે પસ્તાવો કર્યો અને બચાવ માટે વિનંતી કરી ત્યારે તમે આકાશમાંથી અવારનવાર તેમનું સાંભળ્યું.


જો કે યાહે મને સખત શિક્ષા કરી, પરંતુ તેમણે મને મૃત્યુને સોંપી દીધો નથી.


મેં તેમના સર્વ નિયમો આંખો આગળ રાખી પાળ્યા છે, અને તેમના કોઈ આદેશો ઉથાપ્યા નથી.


તેથી મારી આસપાસના શત્રુઓ પર મારું મસ્તક ઊંચું ઉઠાવવામાં આવશે અને હું પ્રભુના મંડપમાં હર્ષનાદ સહિત બલિ ચડાવીશ. હું ગીતો ગાઈશ, હા, હું પ્રભુનાં યશોગાન ગાઈશ.


હે પ્રભુ, મારા પર દયા કરો, મારો દ્વેષ કરનારા મને રીબાવે છે તે જુઓ અને મને મૃત્યુના દરવાજેથી ઉગારો;


હે પ્રભુ, તમે મને બચાવ્યો છે, તેથી અમે જિંદગીભર અમારા પ્રભુના મંદિરમાં તંતુવાદ્યો સાથે ગાયા કરીશું.


ત્યારે હિઝકિયા રાજાએ પૂછયું, “હું પ્રભુને મંદિર જઈશ એની શી નિશાની છે?”


યજ્ઞકાર તેની તપાસ કરે. જો ચાંદું ચામડી કરતાં ઊંડું ગયું હોય અને તેમાંના વાળ સફેદ થઈ ગયા હોય તો યજ્ઞકાર તેને અશુદ્ધ જાહેર કરે.


“આટઆટલું બન્યાં છતાં તમે મને આધીન નહિ થતાં મારી સામા થશો,


જો કોઈ આભારસ્તુતિને માટે બલિ લાવે તો તે ઉપરાંત તેણે ખમીર વગરની તેલથી મોયેલી રોટલી, ખમીર વગરની તેલ ચોપડેલી ભાખરી કે તેલથી મોયેલા લોટના ખાખરા ચડાવવા.


તેથી તે બહાર જાય છે અને પોતાના કરતાં પણ વધારે ભૂંડા એવા બીજા સાત આત્માઓને પોતાની સાથે લાવે છે અને તેઓ ત્યાં પ્રવેશીને વસવાટ કરે છે. તેથી પેલા માણસની છેલ્લી સ્થિતિ પહેલાંના કરતાં વધારે કફોડી થાય છે. આ જમાનાના દુષ્ટ લોકોની પણ એવી જ દશા થશે.


ઈસુએ તેમનો વિશ્વાસ જોઈને લકવાવાળા માણસને કહ્યું, “મારા દીકરા, તારાં પાપ માફ કરવામાં આવે છે.”


પરંતુ સાજા કરાયેલા માણસને ખબર ન હતી કે તે કોણ છે; કારણ, એ જગ્યાએ ભારે ભીડ જામી હતી અને ઈસુ ચુપકીદીથી ખસી ગયા હતા.


ત્યાં એક માણસ આડત્રીસ વર્ષથી માંદો હતો.


તેણે જવાબ આપ્યો, “કોઈ નહિ, પ્રભુ.” ઈસુએ જવાબ આપ્યો, “હું પણ તને સજાપાત્ર ઠરાવતો નથી. જા, હવેથી પાપ કરીશ નહિ.”


વિધર્મીઓ જેમાં આનંદ માને છે તેવાં કાર્યો કરવામાં તમે ભૂતકાળમાં ગુમાવેલો સમય પૂરતો છે. તે વખતે તમે તમારાં જીવનો વ્યભિચારમાં, વિષય વાસનામાં, મદ્યપાનમાં, ભોગવિલાસમાં અને ઘૃણાપાત્ર મૂર્તિપૂજામાં વિતાવ્યાં હતાં.


Lean sinn:

Sanasan


Sanasan