Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 4:18 - પવિત્ર બાઇબલ C.L.

18 ઈસુએ કહ્યું, “વાત તારી સાચી; તારે પતિ નથી. તું પાંચ પુરુષો સાથે રહી છે અને અત્યારે જેની સાથે રહે છે તે તારો પતિ નથી. તારું કહેવું તદ્ન ખરું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 ઈસુ તેને કહે છે, “તેં સાચું કહ્યું કે, ‘મારે પતિ નથી’; કેમ કે તને પાંચ પતિ હતા, અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો પતિ નથી, એ તેં ખરું કહ્યું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 ઈસુ તેને કહે છે, “તેં સાચું કહ્યું કે, ‘તારે પતિ નથી’; કેમ કે તને પાંચ પતિ હતા, અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો પતિ નથી; એ તેં સાચું કહ્યું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 ખરેખર તારે પાંચ પતિઓ હતા. પણ તું હમણાં જે માણસ સાથે રહે છે તે તારો પતિ નથી. તેં મને સાચું કહ્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 4:18
16 Iomraidhean Croise  

પણ રાત્રે ઈશ્વરે અબિમેલેખને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, “જો, તારા ઘરમાં તેં જે સ્ત્રી રાખી છે તેને લીધે તારું મોત આવી લાગ્યું છે. કારણ, તે પરણેલી સ્ત્રી છે.”


તે દેશના સરદાર હમોર હિવ્વીના પુત્ર શખેમે તેને જોઈ એટલે તેને પકડી લઈને તેના પર બળાત્કાર કર્યો.


ત્યારે તેમણે કહ્યું, “તો શું અમારે અમારી બહેન સાથે વેશ્યા જેવો વ્યવહાર થવા દેવો?”


પરંતુ પોતાના પતિને બેવફા થનાર પત્નીની જેમ હે ઇઝરાયલના વંશજો, તમે મને બેવફા નીવડયા છો. હું પ્રભુ એ કહું છું.


તું વ્યભિચારી પત્ની જેવી છે, જે પોતાના પતિને બદલે પરાયા પુરુષોને અપનાવવાનું પસંદ કરે છે.


એ માટે, હે વેશ્યા, પ્રભુ પરમેશ્વરની વાણી સંભાળ;


“પતિના સંશયને લગતો આ નિયમ છે: જ્યારે પત્ની પતિના અધિકાર તળે હોવા છતાં વંઠી જઈને પોતાની જાતને ભ્રષ્ટ કરે,


એ જ પ્રમાણે પોતાના પતિથી લગ્નવિચ્છેદ કરી બીજા પુરુષ સાથે લગ્ન કરનાર સ્ત્રી પણ વ્યભિચાર કરે છે.”


ઈસુએ કહ્યું, “જા, તારા પતિને બોલાવી લાવ.”


સ્ત્રીએ કહ્યું, “મારે પતિ નથી.”


તે સ્ત્રીએ કહ્યું, “સાહેબ, તમે તો ઈશ્વરના સંદેશવાહક લાગો છો.


પણ તેનો પતિ જીવંત હોય, ત્યારે જો તે બીજા પુરુષની સાથે રહે, તો તેણે વ્યભિચાર કર્યો કહેવાય. પણ જો તેનો પતિ મરી જાય, તો તે નિયમથી છૂટી છે, અને જો તે બીજા પુરુષ સાથે પરણે, તો વ્યભિચાર કર્યો ન કહેવાય.


સૌએ લગ્નને માનયોગ્ય ગણવું. પતિ અને પત્નીએ એકબીજાને વિશ્વાસુ રહેવું. કારણ, લંપટો અને વ્યભિચારીઓનો ઈશ્વર ન્યાય કરશે.


વળી, માહલોનની વિધવા મોઆબ દેશની રૂથને મારી પત્ની કરી લઉં છું કે જેથી મરનારનો વારસો તેના કુટુંબમાં જ રહે અને તેના લોકોમાં અને તેના વતનમાં તેનું નામ ચાલુ રહે અને નાબૂદ ન થઈ જાય. તમે સૌ આ વાતના સાક્ષી છો.”


Lean sinn:

Sanasan


Sanasan