Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 47:5 - પવિત્ર બાઇબલ C.L.

5 ગાઝા પ્રદેશના લોકોએ શોકમાં માથાં મુંડાવ્યાં છે. આશ્કલોન નગરના લોકો સ્તબ્ધ થઈ ગયા છે. તેના ખીણપ્રદેશમાં બચી રહેલા લોકો, તમે ક્યાં સુધી પોતાને શોકમાં ઘાયલ કરશો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ગાઝાનું માથું મૂંડેલું છે; આશ્કલોન, એટલે તેઓની ખીણમાંનું જે બચી ગયેલું, તે નષ્ટ થયું છે; તું ક્યાં સુધી પોતાને કાપીને ઘાયલ કરશે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ગાઝાનું માથું મૂંડેલુ છે. આશ્કલોન એટલે તેઓની ખીણમાનું જે બચી ગયેલું તે નષ્ટ થયું છે. તું ક્યાં સુધી પોતાને કાપીને ઘાયલ કરશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 ગાઝા અને આશ્કલોનના નગરો ધૂળભેંગા કરવામાં આવશે, અને ખંડેર બની જશે. અનાકીમના વંશજો તમે કેવી રીતે પસ્તાવો અને રૂદન કરશો!

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 47:5
20 Iomraidhean Croise  

તેથી એ સંદેશવાહકોએ વધુ મોટા પોકાર કર્યા અને તેમની વિધિ પ્રમાણે લોહી વહી નીકળે ત્યાં સુધી પોતાને છરી ખંજરોથી ઘાયલ કર્યા.


દીબોનના લોક મંદિરમાં એટલે પર્વત પરના ઉચ્ચસ્થાન પર વિલાપ કરવાને ચડે છે. મોઆબના લોકો નબો અને મેદબા નગરોને લીધે શોક કરે છે. શોકને લીધે તેઓ સૌએ પોતાના માથાના અને દાઢીના વાળ ઉતરાવ્યા છે.


ફરીથી પ્રભુનો સંદેશ મને મળ્યો;


આ દેશમાં ગરીબતવંગર બધાં મૃત્યુ પામશે. તેમનાં શબ દફનાવાશે નહિ; તેમને માટે કોઈ શોક કરશે નહિ અથવા શોકમાં કોઈ પોતાને ઘાયલ કરશે નહિ કે માથું મુંડાવશે નહિ.


શેખેમ, શીલો અને સમરૂનથી એંસી માણસો આવ્યા. તેમણે શોક પ્રદર્શિત કરવા પોતાની દાઢીઓ મૂંડાવી હતી. પોતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં હતાં અને પોતાનાં શરીરો પર જાતે ઘા કરેલા હતા. તેઓ પ્રભુના મંદિરમાં ધાન્ય અર્પણ અને ધૂપ ચડાવવા આવ્યા હતા.


ઇજિપ્તના રાજાએ ગાઝા પ્રદેશ પર આક્રમણ કર્યું તે પહેલાં પલિસ્તી લોકો વિષે પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો.


પલિસ્તીઓની પાયમાલીનો સમય આવી પહોંચ્યો છે, તૂર અને સિદોનથી તેમને મળતી બધી મદદ કાપી નાખવામાં આવશે. ક્રીત ટાપુ પરથી નાસી છૂટીને અહીં આવી વસેલા બાકીના પલિસ્તીઓનો હું સંહાર કરીશ.


બધાએ શોક પ્રદર્શિત કરવા માથું મુંડાવ્યું છે અને દાઢી કપાવી છે, હાથો પર ઘા કરેલા છે અને કમરે કંતાન બાંધ્યું છે.


તેથી હું પ્રભુ પરમેશ્વર પોતે કહું છું કે હું પલિસ્તીઓ પર પ્રહાર કરીશ. હું કેરેથીઓને નાબૂદ કરી નાખીશ અને સમુદ્રકિનારાના બાકીના બધા લોકોનો વિનાશ કરીશ.


તેઓ શોકનાં વસ્ત્રો પહેરશે ને તેમનામાં આતંક છવાઈ જશે. સૌના ચહેરા પર શરમ અને માથે મુંડન હશે.


કોઈના અવસાનના શોકમાં શરીર પર ઘા કરવા નહિ કે શરીરે છાપ છૂંદાવવી નહિ. હું પ્રભુ છું.


“કોઈ યજ્ઞકારે શોક પ્રદર્શિત કરવા માથું મુંડાવવું નહિ કે દાઢી કપાવવી નહિ કે શરીરને ઘાયલ કરવું નહિ.


હે યહૂદિયાના લોકો, તમારાં પ્રિય બાળકોના શોકમાં વાળ કપાવી નાખો અને માથું મુંડાવીને બોડા ગીધ જેવા બની જાઓ. કારણ, તમારાં બાળકોને તમારી પાસેથી કેદ કરી લઈ જવામાં આવશે.


તે કબરોમાં અને ડુંગરાઓમાં બૂમબરાડા પાડતો અને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો રાતદિવસ ભટક્યા કરતો.


“તમે તમારા ઈશ્વર પ્રભુનાં સંતાન છો. તેથી મરેલાં માટે શોક પાળવામાં તમે તમારા અંગ પર ઘા કરો નહિ, કે તમારા માથાનો અગ્રભાગ મૂંડાવો નહિ.


યહૂદાના માણસોએ ગાઝા, આશ્કલોન અને એક્રોન તથા તેમની આસપાસના સીમા-પ્રદેશોને જીતી લીધા.


Lean sinn:

Sanasan


Sanasan