Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 44:19 - પવિત્ર બાઇબલ C.L.

19 વળી, તે સ્ત્રીઓએ કહ્યું, “અમે આકાશની રાણીને બલિદાનો ચડાવવાનું અને દ્રાક્ષાસવનું પેયાર્પણ રેડવાનું ચાલુ રાખીશું. અમે કંઈ અમારા પતિઓના સહકાર વિના આકાશની રાણીના આકારની પોળી બનાવતી નથી કે તેને દ્રાક્ષાસવનું પેયાર્પણ રેડતી નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 જ્યારે અમે આકાશની રાણીની આગળ ધૂપ બાળતી હતી, તથા તેને પેયાર્પણો રેડતી હતી, ત્યારે શું તમે અમારા ધણી [ની સંમતિ] વગર તેને નૈવેદ ધરાવવાને રોટલીઓ બનાવતી હતી, તથા તેને પેયાર્પણો રેડતી હતી?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 સ્ત્રીઓ બોલી, જ્યારે અમે આકાશની રાણીની આગળ ધૂપ બાળતાં હતાં તથા પેયાર્પણ રેડતી હતી, ત્યારે શું અમે અમારા પતિઓની સમંતિ વગર તેને નૈવેદ ધરાવવાને રોટલીઓ તૈયાર કરતી હતી તથા તેને પેયાર્પણ રેડતાં હતાં?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 સ્ત્રીઓ બોલી ઊઠી, “શું તું એવું ધારે છે કે અમારા પતિઓની સંમતિ વગર, તેઓની મદદ વિના ‘આકાશની સામ્રાજ્ઞી’ ની પૂજા કરતા હતાં અને તેને પેયાર્પણ ચઢાવતા હતાં તેમ જ તેની મુદ્રાવાળી રોટલીઓ તૈયાર કરી તેને અર્પણ કરતા હતાં? ના, એવું નથી.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 44:19
14 Iomraidhean Croise  

સ્ત્રીએ જોયું કે તે વૃક્ષ દેખાવમાં સુંદર, તેનું ફળ ખાવામાં સારું અને જ્ઞાનપ્રાપ્તિ માટે ઇચ્છવાજોગ છે. તેથી સ્ત્રીએ એક ફળ તોડીને ખાધું. તેણે તે પોતાના પતિને પણ આપ્યું એટલે તેણે પણ તે ખાધું.


(ઇઝબેલની ઉશ્કેરણીથી પોતાની જાતને સંપૂર્ણપણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવાં આચરણ કરવા સોંપી હોય એવું આહાબ સિવાય બીજું કોઈ નહોતું.


તે ઇઝરાયલના રાજાઓને અનુસર્યો અને આહાબ રાજાના કુટુંબીજનોની જેમ વર્ત્યો. કારણ, તેણે આહાબની પુત્રી સાથે લગ્ન કર્યું હતું. તેણે પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું,


ખાતરી રાખજો કે દુષ્ટોને શિક્ષા થશે જ, પણ નેકજનો ઉગારી લેવાશે.


પછી જે પુરુષો જાણતા હતા કે તેમની પત્નીઓ અન્ય દેવોને ધૂપ ચડાવે છે તે બધાએ અને ત્યાં ઊભેલી સ્ત્રીઓ તથા ઇજિપ્તના પાથ્રોસ પ્રદેશમાં વસતા સર્વ લોકોએ યર્મિયાને ઉત્તર આપ્યો:


પછી આ રીતે ઉત્તર આપનાર પુરુષો, સ્ત્રીઓ અને બધા લોકોને યર્મિયાએ કહ્યું,


આકાશની રાણી નામની દેવી માટે પોળી બનાવવા બાળકો લાકડાં એકઠાં કરે છે, તેમના પિતાઓ અગ્નિ સળગાવે છે અને સ્ત્રીઓ લોટ ગૂંદે છે, તથા મને ક્રોધિત કરવા અન્ય દેવો આગળ દ્રાક્ષાસવનું પેયાર્પણ રેડે છે.


પણ જો તેની માનતાની જાણ તેના પતિને થાય તે જ વખતે તે તેને પૂર્ણ કરવાની મના કરે તો તે તેને બંધનર્ક્તા નથી. તેના પતિએ તેને રદ કરી હોવાથી પ્રભુ તેને ક્ષમા કરશે.


પણ જો તેની માનતાની જાણ તેના પતિને થાય અને તે તેને પૂર્ણ કરવાની મના કરે તો તેની માનતા રદ થઈ જાય અને પ્રભુ તેને ક્ષમા કરશે.


Lean sinn:

Sanasan


Sanasan