યર્મિયા 41:17 - પવિત્ર બાઇબલ C.L.17-18 તેમને ખાલદીઓની બીક હતી; કારણ, બેબિલોનના રાજાએ દેશના રાજ્યપાલ તરીકે નીમેલા ગદાલ્યાનું ઇશ્માએલે ખૂન કર્યું હતું. તેથી ખાલદીઓથી નાસી છૂટવા માટે તેઓ ઇજિપ્ત જવા નીકળ્યા અને માર્ગમાં તેમણે બેથલેહેમ નજીક ગેરૂથ-કિમ્હામમાં મુકામ કર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તેઓ મિસરમાં જતાં ખાલદીઓ [ની બીક] ને લીધે બેથલેહેમની પાસે ગેરૂથ કિમ્હામમાં રહ્યા; Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તેઓએ મિસરમાં જતાં ખાલદીઓના ડરને કારણે બેથલેહેમ પાસે કિમ્હામમાં મુકામ કર્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ17 તેઓ ત્યાંથી બાબિલવાસીઓથી બચવા મિસર જવા નીકળ્યાં અને માર્ગમાં તેમણે બેથલેહેમ પાસે કિમ્હામ આગળ મુકામ કર્યો. Faic an caibideil |