Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 32:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તેથી મેં મારા કાકાના પુત્ર હનામએલ પાસેથી અનાથોથમાંનું તેનું ખેતર ખરીદી લીધું અને તેની કિંમત ચાંદીની સત્તર મહોર જેટલી થઈ; જે મેં તેને તોળીને ચૂકવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તેથી જે ખેતર અનાથોથમાં હતું તે મેં મારા કાકાના પુત્ર હનામેલની પાસેથી વેચાતું લીધું, ને મેં તેનું મૂલ્ય, એટલે સત્તર શેકેલ રૂપું, તેને તોળી આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેથી જે ખેતર અનાથોથમાં હતું તે મેં મારા કાકાના દીકરા હનામેલની પાસેથી વેચાતું લીધું. અને મેં તેનું મૂલ્ય એટલે સત્તર શેકેલ ચાંદી તેને તોળી આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તેથી 17 શેકેલ ચાંદી ચૂકવીને મેં હનામએલ પાસેથી તે ખેતર વેચાતું લીધું.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 32:9
11 Iomraidhean Croise  

ઊંટ પાણી પી રહ્યાં એટલે પેલા માણસે રિબકા માટે 5.5 ગ્રામ સોનાની એક વાળી અને 110 ગ્રામ સોનાની બે બંગડીઓ કાઢીને તેને પહેરાવી.


એ મિદ્યાની વેપારીઓ પાસે આવ્યા એટલે યોસેફના ભાઈઓએ તેને ખાડામાંથી બહાર કાઢયો. તેમણે ચાંદીના વીસ સિક્કામાં તેને ઇશ્માએલીઓને વેચી દીધો. તેઓ તેને ઇજિપ્તમાં લઈ ગયા.


રાજા તેની પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સંદેશવાહકે તેને બૂમ પાડીને કહ્યું, “નામદાર, હું લડાઈમાં હતો ત્યારે એક સૈનિક કેદ પકડાયેલ શત્રુને લઈને મારી પાસે આવ્યો અને મને કહ્યું, ‘આ માણસની ચોકી કર; જો તે નાસી છૂટશે તો તેને બદલે તારે તારા જીવની અથવા ચાંદીના ત્રણ હજાર સિક્કાની કિંમત ચૂકવવી પડશે.’


મારી અગાઉના બધા રાજ્યપાલો લોકોને બોજારૂપ હતા. તેઓ લોકો પાસેથી ખોરાક અને દ્રાક્ષાસવ પેટે દરરોજના રૂપાના ચાલીસ શેકેલના સિક્કા લેતા હતા. તેમના નોકરો પણ લોકો પર જુલમ ગુજારતા હતા. પણ હું ઈશ્વરની બીક રાખતો હોવાથી એ પ્રમાણે વર્ત્યો નથી.


તેથી જો આપને યોગ્ય લાગે તો તેમનો નાશ કરવાનો એક વટહુકમ બહાર પાડવો જોઈએ. જો આપ એમ કરશો તો સામ્રાજ્યના વહીવટ માટે હું રાજભંડારમાં દસ હજાર તાલંત ચાંદી આપીશ.”


જો બળદ કોઈ દાસ અથવા દાસીને મારી નાખે તો બળદનો માલિક દાસના માલિકને ચાંદીના ત્રીસ સિક્કા ચૂકવે અને તે બળદ પથ્થરે માર્યો જાય.


જે ખોરાક ખાવાલાયક નથી તેને માટે તમે નાણાં કેમ ખર્ચો છો? જેથી તૃપ્તિ મળતી નથી તેને માટે તમારી કમાણી કેમ વાપરી નાખો છો? મારું સાંભળો અને મારું માનો તો તમે ઉત્તમ ખોરાક ખાશો અને પૌષ્ટિક ખોરાકથી તમારો જીવ સંતોષ પામશે.


તારે એ ખોરાક તોલીને ખાવાનો છે. દર વખતે થોડું થોડું ખાતાં તારે એક દિવસમાં 250 ગ્રામ ખોરાક ખાવાનો છે.


તેથી મેં ચાંદીના પંદર સિક્કા અને સાત માપ જવ આપીને તેને વેચાતી લીધી.


Lean sinn:

Sanasan


Sanasan