Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 2:10 - પવિત્ર બાઇબલ C.L.

10 પશ્ર્વિમમાં કિત્તીમ ટાપુઓમાં જઈને જુઓ, પૂર્વમાં કેદારના પ્રદેશમાં જઈને ઝીણવટભરી તપાસ કરો; તમને ખબર પડશે કે પહેલાં આવું કદી જ બન્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 પેલી પાર કિત્તીમના દ્વીપોમાં જઈને જુઓ; અને કેદારમાં મોકલીને ઘણી ખંતથી શોધો; અને જુઓ કે એવું કંઈ થયું છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પેલી પાર કિત્તીમના દ્રિપોમાં જઈને જુઓ અને કેદારમાં મોકલીને ખંતથી શોધો અને જુઓ કે આવું કદી બન્યું છે ખરું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 સાગર પાર કરી પશ્ચિમમાં જાઓ કે પૂર્વમાં તપાસ કરો. ધ્યાનથી જુઓ અને વિચાર કરો, આવું કદી બન્યું છે ખરુ?

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 2:10
21 Iomraidhean Croise  

ઇશ્માએલના પુત્રોનાં નામ વયાનુક્રમે આ પ્રમાણે છે: જયેષ્ઠ પુત્ર નબાયોથ, પછી કેદાર, આદબએલ, મિબ્સામ,


લોકો જવાબ આપશે, ‘એનું કારણ એ છે કે તેમણે તેમના પૂર્વજોને ઇજિપ્તમાં મુક્ત કરનાર પ્રભુ તેમના ઈશ્વરનો ત્યાગ કર્યો છે. તેમણે અન્ય દેવો પ્રત્યે વફાદારી દાખવી તેમની પૂજા કરી છે. તેથી પ્રભુએ તેમના પર આ આફત ઉતારી છે.”


યાવાનના પુત્રો: એલિશા, તાર્શીશ, કિત્તીમ તથા દોદાનીમ.


દાવિદ હવે વૃદ્ધ અને ઘણી ઉંમરનો થયો હતો. તેથી તેણે પોતાના પુત્ર શલોમોનને ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો.


કહાથને ચાર પુત્રો હતા: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન તથા ઉઝિયેલ.


અરેરે, તેમની મધ્યે વસવું એ તો મારે માટે મેશેખમાં દેશનિકાલ થવા જેવું અથવા કેદારના તંબૂઓમાં વસવા બરાબર છે.


ત્યાર પછી પ્રભુએ મને કહ્યું, “ભાડૂતી ચાકર ગણતરી કરે એવા ફક્ત એક જ વર્ષમાં કેદારના સઘળા વૈભવનો અંત આવશે.


આ તૂર વિષેનો સંદેશ છે. હે તાર્શિશના સાગરખેડુ ખલાસીઓ, તૂર નાશ પામ્યું છે. નથી રહ્યું કોઈ ઘર કે નથી રહ્યું કોઈ બંદર! સાયપ્રસથી પાછા ફરતાં તમને એના સમાચાર મળશે.


હે કુંવારી કન્યા જેવી સિદોન નગરી, તારા સુખનો અંત આવ્યો છે અને તારા લોક પર જુલમ ગુજારવામાં આવે છે. તેઓ સાયપ્રસ નાસી જશે. છતાં તેમને ત્યાંયે આરામ મળવાનો નથી.


કેદાર અને હાસોરના તાબાના પ્રદેશો જેમને બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે જીતી લીધા હતા તેમના વિષેનો સંદેશ. પ્રભુ આ પ્રમાણે કહે છે; “ઊઠો, કેદારના લોકો પર આક્રમણ કરો! પૂર્વ તરફની એ જાતિનો વિનાશ કરો.


તેં તારાં વસ્ત્રોનો ઉપયોગ કરી તારાં પૂજાનાં ઉચ્ચસ્થાનો સજાવ્યાં અને ત્યાં વેશ્યાની જેમ દરેક સાથે વ્યભિચાર કર્યો. આવું તો કદી બન્યું નથી કે બનવાનું નથી.


અરબસ્તાનના લોકો અને કેદાર દેશના બધા રાજવીઓ તારી સાથે વેપાર કરતા અને હલવાનો તથા ઘેટાંબકરાંના બદલામાં તારો માલ ખરીદતા.


તેમણે તારાં હલેસાં બાશાનનાં ઓક વૃક્ષનાં લાકડામાંથી બનાવ્યાં હતાં અને તારું તૂતક સાઇપ્રસમાંથી આણેલા સરુમાંથી બનાવ્યું હતું અને તેને હાથીદાંતથી મઢયું હતું.


તેથી પ્રભુ પરમેશ્વર તેને કહે છે, “તું તો તારી આસપાસની પ્રજાઓ કરતાં વધુ હુલ્લડખોર નીકળી છે. તું મારા હુકમો પ્રમાણે ચાલી નથી અને મારાં ફરમાનો પાળ્યાં નથી. પણ તેં તારી આસપાસની પ્રજાઓના રિવાજોનું પાલન કર્યુ છે.”


ત્યારપછી તે સમુદ્રકાંઠાનાં રાજ્યો પર આક્રમણ કરશે અને તેમાંનાં ઘણાને જીતી લેશે. પણ એક પરદેશી રાજા તેનો પરાજ્ય કરશે, તેનો ગર્વ ઉતારી પાડશે અને તેનું અપમાન તેને પાછું વાળી આપશે.


રોમનો વહાણોમાં બેસીને આવશે અને તેનો સામનો કરશે, એટલે તે ગભરાઈ જશે. “તે ક્રોધે ભરાઈને પાછો જશે અને ઈશ્વરના લોકોના ધર્મનો નાશ કરવાનો વિચાર કરશે. પવિત્ર કરાર મુજબના ધર્મનો ત્યાગ કરનારાઓની સલાહ તે માનશે.


તેઓ સાયપ્રસમાંથી આક્રમણ કરનારાં વહાણો લઈને આવશે. તેઓ આશ્શૂર અને એબેર પર જુલમ કરશે અને છેવટે તે પણ કાયમને માટે નાશ પામશે.”


તમારામાં સાચે જ વ્યભિચાર છે એવું મને જાણવા મળ્યું છે, અને એવો વ્યભિચાર કે જે વિધર્મીઓમાં પણ નથી હોતો!


એ જોઈને સૌ બોલી ઊઠયા, “આપણે ક્યારેય આવું સાંભળ્યું નથી! ઇઝરાયલીઓ ઈજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારથી કદી આવ્યું બન્યું નથી! આનું કંઈક કરવું જોઈએ! પણ શું કરવું?”


Lean sinn:

Sanasan


Sanasan