Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 15:18 - પવિત્ર બાઇબલ C.L.

18 શા માટે મારી વેદનાનો અંત આવતો નથી? શા માટે મારા ઘા અસાય બન્યા છે અને રુઝાતા નથી? અરેરે, તમે મારે માટે ઉનાળામાં સૂકાઈ જવાથી છેતરતા ઝરણા સમાન કેમ બન્યા છો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 મને કેમ નિરંતર ખેદ થાય છે? અને મારો ઘા કેમ સારો થતો નથી? તે રુઝાતો નથી; તમે મારા પ્રત્યે કપટી [વહેળા] , ખૂટનારા પાણી જેવા થશો શું?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 મને નિરંતર કેમ દુઃખ થાય છે. અને મારો ઘા સારો થતો નથી કે રુઝાતો કેમ નથી? તમે મારા પ્રત્યે કપટી વહેળાના પાણી જેવા થશો શું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 મારાં દુ:ખોનો કોઇ પાર નથી, મારો ઘા અસાધ્ય કેમ છે, રુઝાતો કેમ નથી? તમારી મદદ ચોમાસામાં વહેતાં ઝરણાં જેવી અચોક્કસ છે. કોઇ વાર પૂર આવે અને પછી હાડકાં જેવું એકદમ સૂકું હોય.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 15:18
15 Iomraidhean Croise  

જેમ તળાવનાં પાણી સુકાઈ જાય છે, અને નદીનાં પાણી વહેતાં અટકીને સુકાઈ જાય છે;


હું સાચો છું, છતાં મને જૂઠો ગણવામાં આવે છે; હું અપરાધી નથી, છતાં તેમના બાણથી મરણતોલ ઘવાયો છું.’


મારો જીવ અતિ વ્યગ્ર બન્યો છે. પ્રભુ, કયાં સુધી તમે મને સાજો નહિ કરો?


હે પ્રભુ, શું તમે યહૂદિયાનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો છે? શું તમે સિયોનને તમારા મનથી ધિક્કારો છો? તો પછી ફરી સાજા થવાની આશા જ ન રાખી શકાય એવી અસહ્ય ઈજા શા માટે પહોંચાડો છો? અમે આબાદીની આશા રાખી હતી, પણ કંઈ હિત થયું નહિ; સાજા થવાની આશા હતી, પણ એને બદલે આતંક આવી પડયો!


તેમના અમીરઉમરાવો નોકરોને પાણી લેવા મોકલે છે, તેઓ પાણીના ટાંકા પાસે જાય છે, પણ પાણી મળતું નથી; તેથી તેઓ ખાલી વાસણો સાથે પાછા ફરે છે. હતાશા અને મૂંઝવણમાં તેઓ શરમથી પોતાનાં મુખ ઢાંકે છે.


માત્ર કષ્ટ અને વેદના ભોગવવા તથા લજ્જિત થઈને મારા દિવસો પસાર કરવા માટે જ હું ગર્ભસ્થાનમાંથી બહાર કેમ આવ્યો?


હે પ્રભુ, તમે મને લલચાવ્યો અને હું લલચાઈ ગયો, તમે મને ભીંસમાં લઈને વશ કરી દીધો. આખો દિવસ હું મજાકનું પાત્ર lબન્યો છું, અને બધા લોકો મારી મશ્કરી ઉડાવે છે.


વળી, પ્રભુ પોતાના લોકને આ પ્રમાણે કહે છે: “તમારો ઘા રૂઝાય તેવો નથી, અને તારો જખમ જીવલેણ છે,


તમારા ઘા માટે કેમ બૂમ પાડો છો? તમારા જખમનો કોઈ ઈલાજ નથી. કારણ, તમારી ભારે દુષ્ટતા અને તમારાં અઘોર પાપોને લીધે મેં તમને એ સજા કરી છે.


હે યહૂદિયાના લોકો, તમે હવે મોરેશેથ-ગાથ નગરની આખરી વિદાય લઈ લો. ઇઝરાયલના રાજાઓને હવે આખ્ઝીબના નગર તરફથી કોઈ મદદ મળવાની નથી.


સમરૂનને પડેલા ઘા અસાય છે. યહૂદિયા પર પણ એવું જ દુ:ખ પડશે; મારા લોકની વસાહત સુધી, અને છેક યરુશાલેમના દરવાજાઓ સુધી વિનાશ આવી પહોંચ્યો છે.”


Lean sinn:

Sanasan


Sanasan