Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 21:15 - પવિત્ર બાઇબલ C.L.

15 લોકો બિન્યામીનીઓને લીધે દુ:ખી થયા; કારણ, પ્રભુએ ઇઝરાયલનાં કુળોની એક્તા તોડી નાખી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને લોકોએ બિન્યામીનને માટે શોક કર્યો, કેમ કે યહોવાએ ઇઝરાયલનાં કુળોમાં ભંગાણ પાડ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 બિન્યામીન માટે શોક કર્યો, કેમ કે ઈશ્વરે ઇઝરાયલનાં કુળો વચ્ચે ભાગલા પાડયા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 લોકો હજી બિન્યામીનીઓના કુળસમૂહ માંટે દુઃખી હતાં, કારણ કે યહોવાએ લગભગ ઈસ્રાએલીઓના આખા કુળસમહૂમાં ભંગાળ પાડયુ હતું.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 21:15
8 Iomraidhean Croise  

તેથી, એ સ્થળનું નામ પેરેસ-ઉઝઝા (અર્થાત્ ઉઝ્ઝા પર ત્રાટકવું) પડયું, અને તે આજદિન સુધી એ જ નામે ઓળખાય છે. પ્રભુએ પોતાના કોપમાં ઉઝઝાને શિક્ષા કરી તેથી દાવિદ ગુસ્સે થઈ ગયો.


પ્રથમ વખતે તમે તેને ઊંચકી નહોતી; તેથી આપણા ઈશ્વર પ્રભુ અમારા પર તૂટી પડયા; કારણ, નિયત કરેલી પદ્ધતિ પ્રમાણે અમે તેમની સમક્ષ ગયા નહિ.”


એ અપરાધને કારણે તમારી હાલત મોટી તિરાડવાળી અચાનક તૂટી પડતી ઊંચી દીવાલ જેવી થશે.


તારા વંશજો પ્રાચીનકાળનાં ખંડિયેરો બાંધશે અને તું પેઢીઓના જુના પાયા પર ચણતર કરશે. તું ફાટેલી દીવાલોને સમારનાર અને વસવાટની શેરીઓનું પુન:નિર્માણ કરનાર તરીકે ઓળખાશે.”


બિન્યામીનીઓ પાછા ફર્યા અને તેમના સાથી ઇઝરાયલીઓએ યાબેશ-ગિલ્યાદમાં જીવતી રહેવા દીધેલી કન્યાઓ તેમને આપી. પણ એટલી કન્યાઓ તેમને માટે પૂરતી નહોતી.


તેથી સભાના આગેવાનોએ કહ્યું, “બિન્યામીનના કુળના બચી ગયેલા લોકો માટે આપણે ક્યાંથી પત્નીઓ પૂરી પાડીએ? કારણ, બિન્યામીનની સ્ત્રીઓનો તો નાશ થઈ ગયો છે.


ઇઝરાયલમાંથી એક કુળ નાબૂદ તો ન જ થવું જોઈએ. બિન્યામીનના કુળનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આપણે કોઈ રસ્તો કાઢવો જોઈએ.


ઇઝરાયલીઓ તેમના ભાઈઓ બિન્યામીનના લોકો માટે બહુ દુ:ખી થયા. તેમણે કહ્યું, “આજે ઇઝરાયલનું એક કુળ નાબૂદ થઈ જાય છે.


Lean sinn:

Sanasan


Sanasan