Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 16:17 - પવિત્ર બાઇબલ C.L.

17 છેવટે તેણે તેને સાચું રહસ્ય જણાવી દીધું. તેણે કહ્યું, “મારા માથાના વાળ ક્યારેય કાપવામાં આવ્યા નથી. મારા ગર્ભાધાનથી હું ઈશ્વરને નાઝીરી તરીકે સમર્પિત કરાયેલો છું. જો મારા વાળ કાપી નાખવામાં આવે તો મારું બળ ચાલ્યું જાય, અને હું સામાન્ય માણસ જેવો બની જઉં.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 ત્યારે સામસૂને પોતાનું દિલ ખોલીને તેને કહ્યું, “મારા માથા પર [કદી] અસ્‍ત્રો ફર્યો નથી; કેમ કે મારી માના ઉદરમાંથી હું ઈશ્વરને માટે નાઝારી છું. જો મને કોઈ મૂંડે તો મારું બળ જતું રહે, ને હું નિર્બળ થઈને સાધારણ માણસ જેવો થઈ જાઉં.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 ત્યારે સામસૂને તેને સાચે સાચું કહી જણાવ્યું કે “મારા માથા પર કદી અસ્ત્રો ફર્યો નથી અને મારા વાળ કદી કપાયા નથી, કેમ કે મારી માના ગર્ભસ્થાનથી જ હું ઈશ્વરને સારુ નાઝીરી છું. જો હું મારા માથાના વાળ કપાવું તો મારું બળ મારામાંથી જતું રહેશે અને હું નિર્બળ થઈને બીજા માણસના જેવો થઈ જઈશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 તેણે કહ્યું, “માંરા માંથાના વાળ કદી અસ્ત્રાથી કાપવામાં આવ્યા નથી, કારણ કે હું જન્મ્યો તે દિવસથી એક નાઝીરી થવા માંટે હું દેવને સમર્પિત થયેલો છું. જો માંરું માંથું મૂંડાવામાં આવે તો માંરી તાકાત જતી રહે અને હું બીજા સામાંન્ય માંણસ જેવો દૂર્બળ થઈ જાઉં.”

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 16:17
10 Iomraidhean Croise  

શાણો માણસ પોતાના જ્ઞાનને ઢાંકે છે, પણ મૂર્ખ પોતાના અજ્ઞાનનો ઢંઢેરો પીટાવે છે.


સાવચેતીપૂર્વક બોલનાર પોતાનો જીવ બચાવે છે પણ બેફામપણે બોલનાર પોતાનું પતન નોતરે છે.


જો શાસનર્ક્તા અફવાઓ પર લક્ષ આપશે, તો તેના અધિકારીઓ નિ:શંક દુષ્ટ બનશે.


પડોશીનો વિશ્વાસ ન રાખ. વળી, તારા મિત્રનો ભરોસો ન કર. અરે, તારી સોડમાં સૂનારી તારી પત્ની સાથે ય વાત કરવામાં કાળજી રાખ.


“તું ઇઝરાયલીઓને આ પ્રમાણે સૂચનાઓ આપ: જો કોઈ પુરુષ કે સ્ત્રી પ્રભુને માટે સમર્પિત થવા “નાઝીરી” થવાનું ખાસ વ્રત લે


નાઝીરી વ્રતમાં અલગતાના સર્વ દિવસો દરમિયાન તેણે માથાના વાળ કપાવવા નહિ કે દાઢી કરવી નહિ. વ્રત પૂરું ન થાય ત્યાં સુધી તે પ્રભુને સમર્પિત થયેલ છે. તેણે તેના વાળ તેમજ દાઢી વધવા દેવાં.


પાઉલ ભાઈઓ સાથે કોરીંથમાં ઘણા દિવસ રહ્યો અને પછી પ્રિસ્કીલા તથા આકુલાને લઈને ત્યાંથી જળમાર્ગે સિરિયા જવા ઊપડયો. વહાણમાં ઊપડતાં પહેલાં તેણે માનતા લીધી હોવાથી કેંખ્રિયામાં પોતાના માથાના વાળ ઉતરાવ્યા.


તારો પુત્ર જન્મે તે પછી તારે એના માથાના વાળ કદી કાપવા નહિ. કારણ, તે છોકરો ગર્ભાધાનથી જ નાઝીરી તરીકે સમર્પિત થશે. તે ઇઝરાયલને પલિસ્તીઓના હાથમાંથી છોડાવવામાં અગ્રભાગ ભજવશે.”


તેણે તેને દિનપ્રતિદિન હઠેઠથી પૂછયા જ કર્યું. તેનાથી તે એવો હેરાન પરેશાન થઈ ગયો કે,


દલીલાને ખ્યાલ આવી ગયો કે તેણે તેને સાચી વાત જણાવી દીધી છે. તેથી તેણે પલિસ્તીયાના રાજાઓને સંદેશો મોકલ્યો, “હવે એક વધુ વખત આવી જાઓ. તેણે મને સાચી વાત કહી દીધી છે.” પછી તેઓ પોતાની સાથે પૈસા લઈને આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan