Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 11:36 - પવિત્ર બાઇબલ C.L.

36 તેણે તેને કહ્યું, “તમે પ્રભુને વચન આપ્યું હોય તો મારું જે કરવાનું તમે કહ્યું હોય તે કરો; કારણ, પ્રભુએ તમારા શત્રુ આમ્મોનીઓ પર વેર વાળ્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 તેણે યિફતઅને કહ્યું, “મારા પિતા, તમે યહોવાની આગળ મુખ ઉઘાડ્યું છે; તો તમારા મુખમાંથી જે કંઈ નીકળ્યું હોય તે પ્રમાણે મને કરો; કેમ કે યહોવાએ તમારું વેર તમારા વેરીઓ પર, એટલે આમ્મોનપુત્રો પર, વાળ્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 તેણે તેને કહ્યું, “મારા પિતા, તમે ઈશ્વરને સોગનપૂર્વક જે વચન આપ્યું છે, તે પ્રમાણે મને થાઓ, કેમ કે ઈશ્વરે તારું વેર તારા વેરીઓ પર, એટલે આમ્મોનીઓ પર વાળ્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

36 તે બોલી, “પિતાજી, તમે વિચાર્યા વગર યહોવાની સમક્ષ માંનતા કરી છે, તો હવે મને તમાંરા મુખમાંથી બહાર આવ્યા પ્રમાંણે કરો; કારણ યહોવાએ તમાંરા શત્રુ આમ્મોનીઓ ઉપર તમને વેર વાળવામાં વિજયી બનાવવા મદદ કરી છે.”

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 11:36
10 Iomraidhean Croise  

પછી સાદોકના પુત્ર અહિમાસે યોઆબને કહ્યું, “મને રાજા પાસે દોડી જઈને આ શુભ સમાચાર જણાવવા દો કે પ્રભુએ તમારા શત્રુઓ પર વેર વાળ્યું છે અને તેનાથી તમને છોડાવ્યા છે.”


પછી કુશી ગુલામ આવી પહોંચ્યો અને તેણે રાજાને કહ્યું, “હે રાજા, મારા માલિક, હું આપને માટે શુભ સમાચાર લાવ્યો છું. આજે પ્રભુએ તમને તમારી વિરુદ્ધ બળવો કરનારાઓના હાથથી છોડાવ્યા છે.”


મફીબોશેથે જવાબ આપ્યો, “સીબા ભલે સર્વ મિલક્ત લઈ લે. મારે માટે તો હે રાજા, મારા માલિક, આપ ઘેર સહીસલામત પાછા આવ્યા છો એટલું જ બસ છે.”


જો કોઈ માણસ પ્રભુને માટે સ્વેચ્છાપૂર્વક કંઈક કરવાની માનતા લે અથવા કોઈ વસ્તુનો ત્યાગ કરવાનું વચન આપે તો તેણે તે વચન તોડવું નહિ, પણ આપેલું વચન પાળવું.


“હું મારું સેવાકાર્ય સંપૂર્ણ કરું અને પ્રભુ ઈસુએ મને સોંપેલું કાર્ય પૂરું કરું તે માટે હું મારા જીવને પણ વહાલો ગણતો નથી. એ કાર્ય તો ઈશ્વરની કૃપાનો શુભસંદેશ જાહેર કરવાનું છે.


પણ તેણે જવાબ આપ્યો, “તમે આ શું કરો છો? રોકકળ કરીને મારું હૃદય કેમ ભાંગી નાખો છો? યરુશાલેમમાં માત્ર બંધાવાને જ નહિ, પણ પ્રભુ ઈસુને માટે મરવાને પણ હું તૈયાર છું.”


મારો જીવ બચાવવા તેમણે પોતાના જીવ જોખમમાં મૂક્યા હતા. ફક્ત હું જ નહિ પણ બિનયહૂદીઓની મંડળીઓ પણ તેમની આભારી છે.


કારણ, ખ્રિસ્તના કાર્યને લીધે પોતાના જીવનું જોખમ વહોરીને, તે મરણની નજીક આવી ગયો. એ માટે કે જે મદદ તમે મને આપી શક્યા નહિ તે તેના દ્વારા પૂરી કરવામાં આવે.


એક તો હેશ્બોનમાં રહીને રાજ કરતો અમોરી રાજા સિહોન હતો. તેના રાજ્યમાં અર્ધા ગિલ્યાદનો, એટલે, આર્નોનની ખીણને કિનારે આવેલ અરોએરથી એ ખીણની મધ્યમાં આવેલા શહેરમાં* થઈને છેક યાબ્બોક નદી એટલે આમ્મોનીઓની સરહદ સુધી સમાવેશ થતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan