Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 7:3 - પવિત્ર બાઇબલ C.L.

3 પ્રભુએ યશાયાને કહ્યું, “તું તારી સાથે તારા પુત્ર શઆર-યાશૂબ [અર્થાત્ બચેલો શેષ પાછો ફરશે]ને લઈને આહાઝ રાજાને મળવા જા. તે તને ધોબીઘાટને માર્ગે ઉપરના કુંડના નાળાને છેડે મળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ત્યારે યહોવાએ યશાયાને કહ્યું, “તું તથા તારો દીકરો શાર-યાશૂબ ધોબીના ખેતરની સડકે, ઉપલા કુંડના નાળાના છેડા આગળ આહાઝને મળવા જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ત્યારે યહોવાહે યશાયાને કહ્યું, “તું તારા પુત્ર શાર-યાશૂબને લઈને તમે બંને ધોબીના ખેતરને રસ્તે આવતા ઉપલા કુંડના નાળાંના છેડા આગળ આહાઝને મળવા જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ત્યારબાદ યહોવાએ યશાયાને કહ્યું, “જા, તારા પુત્ર શઆર-યાશૂબને લઇને ધોબીઘાટને રસ્તે આવતા ઉપલા કુંડના નાળાના છેડે આહાઝને મળવા જાઓ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 7:3
14 Iomraidhean Croise  

રમાલ્યાના પુત્ર ઇઝરાયલના રાજા પેક્હના અમલના સત્તરમા વર્ષમાં યોથામનો પુત્ર આહાઝ યહૂદિયાનો રાજા બન્યો;


આશ્શૂરના સમ્રાટે તેના સરસેનાપતિ, મુખ્ય નિયામક અને મુખ્ય અમલદારને હિઝકિયા સામે લડવા મોટું સૈન્ય લઈને યરુશાલેમ મોકલ્યા. તેમણે યરુશાલેમ આવીને ઉપલાણના કુંડમાંથી પાણી લાવનાર ખાઈ પાસે, ધોબીઘાટને રસ્તે પડાવ નાખ્યો.


હિઝકિયા રાજાનાં અન્ય કાર્યો, તેનાં પરાક્રમી કામો, અને તેણે બાંધેલ જળાશય તથા શહેરમાં પાણી પહોંચાડવા ખડકમાં ખોદાવેલ ભૂગર્ભ જળમાર્ગ વિષેનું વર્ણન યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે.


આઝબૂકનો પુત્ર નહેમ્યા, જે બેથ-સૂરના અર્ધા જિલ્લાનો અધિકારી હતો તે દાવિદની કબર, તળાવ અને છેક શસ્ત્રાગાર સુધીના પછીના ભાગમાં મરામત કરતો હતો.


તેથી સવારે ફેરો નાઇલ નદીએ જાય ત્યારે તું તેની પાસે જજે; તેને મળવા માટે તું નદીકિનારે ઊભો રહેજે. જે લાકડી સર્પ બની ગઈ હતી તે તારા હાથમાં લઈ જજે.


યાકોબના વંશજોમાંથી બાકી રહેલા થોડા લોક પરાક્રમી ઈશ્વર પાસે પાછા આવશે.


તમે યરુશાલેમનાં ઘરોની મોજણી કરી અને તેમાંથી કેટલાંક ઘર નગરની દીવાલમાં સમારકામ માટે તોડી પાડયાં.


વળી, પ્રાચીન કુંડનું પાણી વાળી લાવી તેનો સંગ્રહ કરવા માટે શહેરની અંદર જળકુંડ બનાવ્યો. પણ આ બધાના સરજનહાર તરફ તમે મીટ માંડી નહિ. તેમજ અગાઉથી તેની રચના કરનાર ઈશ્વર તરફ લક્ષ આપ્યું નહિ.


તે પછી તેણે પોતાના મુખ્ય લશ્કરી અધિકારીને મોટું સૈન્ય લઈને લાખીશથી યરુશાલેમ મોકલ્યો. મુખ્ય લશ્કરી અધિકારી ધોબીના ખેતરમાં જવાને રસ્તે ઉપરના તળાવમાંથી કાઢેલી નહેર પાસે થોભ્યો.


દુષ્ટ માણસ પોતાનો માર્ગ તજી દે અને અધર્મી માણસ પોતાના વિચારો બદલે અને આપણા ઈશ્વર પ્રભુ પાસે પાછા ફરે તો તે દયા દાખવશે અને સંપૂર્ણ ક્ષમા કરશે.


છતાં દેશમાં દસમાંથી એક માણસ રહી જાય તો તેનો પણ નાશ થશે. પણ જેમ મસ્તગીવૃક્ષ અને ઓકવૃક્ષને કાપી નાખ્યા પછી તેના થડનું ઠૂંઠું રહી જાય છે તેમ ઈશ્વરના સમર્પિત શેષ લોક ભૂમિમાંના એવા ઠૂંઠા સમાન છે.”


પ્રભુએ મને દાવિદના વંશજ યહૂદિયાના રાજાના મહેલે જઈને આ સંદેશ પ્રગટ કરવાનું કહ્યું: “હે દાવિદના રાજ્યાસન પર બિરાજનાર યહૂદિયાના રાજા, તમે તથા તમારા અધિકારીઓ અને આ દરવાજાઓમાંથી આવજા કરનાર પ્રજાજનો, તમે સૌ પ્રભુનો સંદેશ સાંભળો.


યશાયા ઇઝરાયલીઓ વિષે ઘોષણા કરે છે: “જોકે ઇઝરાયલીઓની સંખ્યા સમુદ્રની રેતીના કણ જેટલી હોય, તો પણ તેમનામાંથી થોડા જ ઉદ્ધાર પામશે.


Lean sinn:

Sanasan


Sanasan