Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 37:2 - પવિત્ર બાઇબલ C.L.

2 તેણે રાજમહેલના કારભારી એલ્યાકીમને, રાજમંત્રી શેબ્નાને અને અગ્રગણ્ય યજ્ઞકારોને આમોઝના પુત્ર યશાયા સંદેશવાહક પાસે મોકલ્યા. તેમણે સૌએ શણિયાં પહેર્યાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેણે મહેલના કારભારી એલિયાકીમને, શેબના ચિટનીસને તથા યાજકોના વડીલોને ટાટ ઓઢાવીને તેમને આમોસના દીકરા યશાયા પ્રબોધક પાસે મોકલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેણે મહેલના કારભારી એલિયાકીમને, લેખક શેબ્નાને તથા યાજકોના વડીલોને ટાટ ઓઢાડીને તેઓને આમોસના દીકરા યશાયા પ્રબોધક પાસે મોકલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તે દરમ્યાન તેણે પોતના મહેલના મુખ્ય કારભારી એલ્યાકીમને, મંત્રી શેબ્નાને તેમ જ યાજકોના આગેવાનોને શોકકંથા ઓઢાડીને આમોસના પુત્ર યશાયા પ્રબોધક પાસે મોકલ્યા.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 37:2
15 Iomraidhean Croise  

પછી તેમણે હિઝકિયા રાજા પર સંદેશો મોકલ્યો, એટલે તેના ત્રણ અધિકારીઓ તેમને મળવા બહાર આવ્યા. તેમાં રાજમહેલનો મુખ્ય અધિકારી એટલે, હિલ્કિયાનો પુત્ર એલિયાકીમ, રાજમંત્રી શેબના અને ગૃહમંત્રી એટલે, આસાફનો પુત્ર યોઆહ હતા.


તેણે રાજમહેલના અધિકારી એલિયાકીમને, રાજમંત્રી શેબ્નાને અને અગ્રણી યજ્ઞકારોને આમોસના પુત્ર સંદેશવાહક યશાયા પાસે મોકલ્યા. તેમણે પણ કંતાનનાં વસ્ત્ર પહેર્યાં હતાં.


બીજે દિવસે સવારે લોકો તકોઆ પાસેના વેરાનપ્રદેશમાં પહોંચી ગયા. તેઓ ત્યાં જવા નીકળ્યા, ત્યારે યહોશાફાટે તેમને આવું સંબોધન કર્યું: “હે યહૂદિયા અને યરુશાલેમના લોકો, તમારા ઈશ્વર પ્રભુ પર ભરોસો મૂકો એટલે તમે અડીખમ રહેશો. તેમના સંદેશવાહકો જે કહે તે પર વિશ્વાસ મૂકો એટલે તમે દૃઢ થશો.”


જે બધું કરવામાં આવ્યું તે જાણીને મોર્દખાયે દુ:ખથી પોતાનાં વસ્ત્ર ફાડયાં અને તાટ પહેરીને માથા પર રાખ ચોળી. પછી તે નગરમાં મોટે ઘાંટે વિલાપ કરતાં ફર્યો,


આમોઝના પુત્ર યશાયાને યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ અને હિઝકિયાના રાજ્યકાળ દરમ્યાન ઈશ્વરે યરુશાલેમ તથા યહૂદિયા સંબંધી પ્રગટ કરેલા સંદેશાઓનું વર્ણન આ પુસ્તકમાં છે.


ત્રણ વર્ષ પહેલાં પ્રભુએ આમોઝના પુત્ર યશાયાને કહ્યું હતું, “તારી કમર પરથી તાટ અને તારા પગમાંથી પગરખાં ઉતાર.” એ આજ્ઞાને આધીન થઈને તે ખુલ્લા શરીરે અને ઉઘાડે પગે ફરવા લાગ્યો.


તે દિવસે સર્વસમર્થ પ્રભુ પરમેશ્વરે તમને રડવા તથા વિલાપ કરવા અને માથું મુંડાવવા તથા તાટ પહેરવા બોલાવ્યા.


સર્વસમર્થ પ્રભુએ મને કહ્યું, “રાજમહેલના મુખ્ય કારભારી શેબ્ના પાસે જઈને તેને કહે,


પ્રભુએ શેબ્નાને કહ્યું, “એવું બનશે તે દિવસે હું મારા સેવક, એટલે હિલકિયાના પુત્ર એલ્યાકીમને બોલાવીશ.


ત્યારે યહૂદિયાના ત્રણ આગેવાનો એટલે રાજમહેલનો કારભારી એલ્યાકીમ, જે હિલ્કીયાનો પુત્ર હતો તે, રાજમંત્રી શેબ્ના અને નોંધણીકાર યોઆ, જે આસાફનો પુત્ર હતો તે તેને મળવાને બહાર આવ્યા.


હિઝકિયા રાજાએ સંદેશકો પાસેથી એ પત્ર લઈને વાંચ્યો એટલે તે પ્રભુના મંદિરમાં પહોંચી ગયો. પછી તે પત્ર પ્રભુની સમક્ષ ખુલ્લો કરીને


ત્યારે આમોઝના પુત્ર યશાયાએ હિઝકિયા રાજાને આ સંદેશો મોકલ્યો:


એ અરસામાં હિઝકિયા રાજા મરણતોલ માંદો પડયો. આમોઝના પુત્ર યશાયા સંદેશવાહકે તેની પાસે જઈને તેને કહ્યું, “પ્રભુ કહે છે, તારા ઘરકુટુંબની વ્યવસ્થા કરી લે. કારણ, તું સાજો થવાનો નથી. તું મરી જઈશ.”


હે વેદીઓ આગળ સેવા કરનારા યજ્ઞકારો, કંતાન પહેરીને વિલાપ કરો! મંદિરમાં જઈને આખી રાત રુદન કરો! તમારા ઈશ્વરને અર્પણ કરવા માટે કંઈ ધાન્ય કે દ્રાક્ષાસવ રહ્યાં નથી.


Lean sinn:

Sanasan


Sanasan