Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 28:13 - પવિત્ર બાઇબલ C.L.

13 એટલા જ માટે ઈશ્વર તમને અક્ષરે અક્ષર, લીટીએ લીટી અને પાઠ પર પાઠ શીખવશે. તે વખતે તમે ડગલે ને પગલે ઠોકર ખાશો, ઘાયલ થશો, ફસાઈ જશો અને પકડાઈ જશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તેથી યહોવાની વાત તેઓને માટે આજ્ઞા પર આજ્ઞા, આજ્ઞા પર આજ્ઞા; નિયમ પર નિયમ, નિયમ પર નિયમ; થોડું આમ, થોડું તેમ એવી થશે; એ માટે કે તેઓ ચાલતાં ચાલતાં ઠોકર ખાઈને પાછા પડે, ને નાસે, ફસાય ને પકડાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેથી યહોવાહના શબ્દો તેઓને માટે આજ્ઞા પર આજ્ઞા, આજ્ઞા પર આજ્ઞા; નિયમ પર નિયમ, નિયમ પર નિયમ; થોડું આમ, થોડું તેમ એવા થશે; તેથી તેઓ રસ્તે ચાલતાં ઠોકર ખાઈને પાછા પડે, તૂટી જાય, ફસાઈ અને પકડાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તેથી હવે યહોવાના શબ્દો પણ તેમનેઆ પ્રમાણે સંભળાશે, “ત્સ, લેત્સવ, સ્ત, લેસ્તવ, કવ, લેકવ, કવ, લેકવ, ઝર શામ, ઝર શામ.” તેથી તેઓ પોતાના રસ્તે જવાનું રાખે, અને ઠોકર ખાઇને પાછા પડે, તૂટી પડે અને સપડાવીને કબ્જે કરાય.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 28:13
14 Iomraidhean Croise  

તેમની મિજબાનીઓ તેમને માટે જાળરૂપ બનો અને તેમનાં પવિત્ર ભોજનો તેમને માટે ફાંદારૂપ બનો.


નાનાં ભૂલકાં, હજી હમણાં જ ધાવણ મૂકાવ્યું હોય તેવાં બાળકોને માટે તે કદાચ યોગ્ય ગણાય. તે આપણને અક્ષરે અક્ષર, લીટીએ લીટી અને પાઠ પર પાઠ ભણાવવા માગે છે.”


આંધળાની જેમ ભીંતે હાથ દઈને ફંફોસીએ છીએ. સાંજનો સમય હોય તેમ ભરબપોરે ઠોકર ખાઈએ છીએ. ખડતલ માણસોની વચમાં અમે મૃત:પ્રાય અને માયકાંગલા જેવા છીએ.


એટલે જ મેં મારા સંદેશવાહકોને મારો સજા અને વિનાશનો સંદેશો તમને જણાવવા મોકલ્યા છે. તમારી પાસેની મારી ન્યાયી માગણી અજવાળા જેવી સ્પષ્ટ છે.


જો કે મારા લોકને માટે મારા નિયમશાસ્ત્રમાં હું હજારો વિધિઓ ઠરાવું, તોય તેઓ તેમને વિચિત્ર અને પરાયા ગણીને તેમનો અનાદર કરશે.


જેથી એમના સંબંધમાં સંદેશવાહક યશાયાએ કહેલી વાત સાચી પડે છે: ’તમે સાંભળ્યા જ કરશો, પણ સમજશા કે નહિ. તમે જોયા જ કરશો, પણ તમને સૂઝશે નહિ.


[આ પથ્થર પર જે પડશે તેના ટુકડે ટુકડા થઈ જશે, અને જો આ પથ્થર કોઈના પર પડશે તો તે પથ્થર તેના ચૂરેચૂરા કરી નાખશે.]


અને દાવિદ કહે છે: “તેમની મિજબાનીઓ તેમને માટે જાળ તથા ફાંદારૂપ બનો. તેમને માટે તે ઠોકરનું કારણ અને સજારૂપ બનો.


જેઓ નાશમાં જઈ રહ્યા છે, તેમને માટે તે જીવલેણ દુર્ગંધ છે, જ્યારે જેઓ ઉદ્ધાર પામી રહ્યા છે તેમને માટે તે જીવનદાયક સુગંધ છે. તો આવું કાર્ય કરવા માટે કોણ યોગ્ય છે?


આ વિષયની છણાવટ કરતા બધા પત્રોમાં તેણે એ જ કહેલું છે. તેના પત્રોમાં કેટલીક બાબતો એવી છે કે જે સમજવી મુશ્કેલ છે અને અજ્ઞાન અને અસ્થિર માણસો, શાસ્ત્રના બીજા પાઠો વિષે કરે છે તેમ તેમનો પણ મારીમચડીને ખોટો અર્થ કરે છે અને એમ પોતાનો વિનાશ વહોરી લે છે.


Lean sinn:

Sanasan


Sanasan