Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 21:16 - પવિત્ર બાઇબલ C.L.

16 ત્યાર પછી પ્રભુએ મને કહ્યું, “ભાડૂતી ચાકર ગણતરી કરે એવા ફક્ત એક જ વર્ષમાં કેદારના સઘળા વૈભવનો અંત આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 કેમ કે પ્રભુએ મને એમ કહ્યું છે, “મજૂરના વર્ષ પ્રમાણે એક વર્ષની અંદર, કેદારનું સર્વ ગૌરવ જતું રહેશે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 કેમ કે પ્રભુએ મને એમ કહ્યું કે, “મજૂરના કામના વર્ષ પ્રમાણે એક વર્ષની અંદર, કેદારનું સર્વ ગૌરવ જતું રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 પછી યહોવાએ મને એમ કહ્યું કે, “એક જ વર્ષ જે ભાડે રાખેલા મજૂરોના કામના વર્ષ પ્રમાણે ગણતરી કરેલ છે, પૂરું થતાં જ કેદારની બધી જાહોજલાલીનો અંત આવશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 21:16
11 Iomraidhean Croise  

ઇશ્માએલના પુત્રોનાં નામ વયાનુક્રમે આ પ્રમાણે છે: જયેષ્ઠ પુત્ર નબાયોથ, પછી કેદાર, આદબએલ, મિબ્સામ,


તેમની વંશાવળી આ પ્રમાણે છે: ઇશ્માએલના પુત્રો: નબાયોથ જયેષ્ઠપુત્ર, પછી કેદાર, આદબએલ, મિબ્સામ,


“માણસનું પૃથ્વી પરનું જીવન સતત સંઘર્ષનું નથી? શું એના દિવસો મજૂરના દિવસો જેવા નથી?


અરેરે, તેમની મધ્યે વસવું એ તો મારે માટે મેશેખમાં દેશનિકાલ થવા જેવું અથવા કેદારના તંબૂઓમાં વસવા બરાબર છે.


હે યરુશાલેમની નવયૌવનાઓ, હું શ્યામ પણ સુંદર છું; રણમાંના કેદારના તંબુઓ જેવી હું કાળી છું, પણ શલોમોનના મહેલના પડદાઓ જેવી રૂપાળી છું.


પણ હવે પ્રભુ કહે છે, “ભાડૂતી નોકર વર્ષની સંખ્યા ગણે તેમ માત્ર ત્રણ જ વર્ષમાં મોઆબનો વૈભવ અને તેના વિશાળ જનસમુદાયનો તુચ્છકાર થશે. તેના લોકોમાંથી થોડા જ બચી જશે અને તે પણ કમજોર હશે.”


વેરાન પ્રદેશ અને તેમાંનાં નગરો, તમે તમારો સાદ ઊંચો કરો. કેદારના લોકના સઘળા વસવાટો, તમે ખુશી મનાઓ. સેલા નગરના લોકો પર્વતના શિખરેથી આનંદના પોકાર કરો.


કેદાર અને નબાયોથનાં બધાં ઘેટાં તારી પાસે બલિદાન માટે લાવવામાં આવશે અને પ્રભુને પ્રસન્‍ન કરવાને તેમનું વેદી પર અર્પણ ચડાવવામાં આવશે. અને પ્રભુ પોતાના ભવ્ય મંદિરને શોભાયમાન કરશે.


પશ્ર્વિમમાં કિત્તીમ ટાપુઓમાં જઈને જુઓ, પૂર્વમાં કેદારના પ્રદેશમાં જઈને ઝીણવટભરી તપાસ કરો; તમને ખબર પડશે કે પહેલાં આવું કદી જ બન્યું નથી.


કેદાર અને હાસોરના તાબાના પ્રદેશો જેમને બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે જીતી લીધા હતા તેમના વિષેનો સંદેશ. પ્રભુ આ પ્રમાણે કહે છે; “ઊઠો, કેદારના લોકો પર આક્રમણ કરો! પૂર્વ તરફની એ જાતિનો વિનાશ કરો.


અરબસ્તાનના લોકો અને કેદાર દેશના બધા રાજવીઓ તારી સાથે વેપાર કરતા અને હલવાનો તથા ઘેટાંબકરાંના બદલામાં તારો માલ ખરીદતા.


Lean sinn:

Sanasan


Sanasan