Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 17:2 - પવિત્ર બાઇબલ C.L.

2 સિરિયાનાં શહેરો કાયમને માટે છોડી દેવાયેલાં રહેશે. ત્યાં ઘેટાંબકરાંનાં ટોળાં નિરાંતે બેસશે અને કોઈ તેમને બીવડાવનાર હશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અરોએરનાં નગર તજાએલાં છે; તેઓ [ઘેટાંનાં] ટોળાંને માટે થશે, ત્યાં તેઓ બેસશે, અને કોઈ તેમને બિવડાવશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 અરોએરનાં નગરો ત્યજી દેવામાં આવશે, તેઓ ઘેટાંનાં ટોળાને માટે સૂવાનું સ્થાન થશે અને કોઈ તેમને ડરાવશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 અરામના નગરો કાયમને માટે ઉજ્જડ બની જશે, ત્યાં ઘેટાં-બકરાંનાં ટોળાં નિરાંતે આવીને બેસશે, અને કોઇ તેમને હાંકી કાઢશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 17:2
17 Iomraidhean Croise  

તું આરામ લેતો હશે ત્યારે કોઈ ખલેલ પહોંચાડશે નહિ અને ઘણા લોકો તારી સદ્ભાવના શોધશે.


કિલ્લાવાળું શહેર ઉજ્જડ બન્યું છે. તે તજાયેલા વસવાટ સમું અને નિર્જન રણ જેવું બન્યું છે. ત્યાં વાછરડાઓ ચરે છે અને આરામ કરે છે.


શહેરના શ્રીમંતોનાં ખંડિયેરોમાં ઘેટાંબકરાં ચરિયાણમાં ચરતાં હોય તેમ ચરશે.


“તે સમયે પ્રત્યેક માણસ પાસે એક વાછરડી અને બે ઘેટી હશે.


છતાં તેઓ એટલું બધું દૂધ આપશે કે તેઓ તેનું દહીં બનાવીને ખાશે. હા, દેશના બાકી રહેલા સૌ દહીં અને મધ ખાશે.


હે અરોએરમાં વસનારા લોકો, માર્ગ પર ઊભા રહીને જુઓ, અને નાસી જતા લોકોને પૂછપરછ કરો અને શું બન્યું તે શોધી કાઢો.


આ મૃતદેહો ગીધડાં અને જંગલી પશુઓનો ભક્ષ થઈ પડશે; અને તેમને હાંકી કાઢનાર કોઈ હશે નહિ!


હું રાબ્બા નગરને ઊંટવાડામાં ફેરવી નાખીશ અને સમગ્ર આમ્મોન દેશને ઘેટાંના વાડામાં બદલી નાખીશ ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.”


જ્યારે તેઓ ફરીથી પોતાના દેશમાં નિરાંત અને નિર્ભયતામાં વસતા હશે અને તેમને ડરાવનાર કોઈ નહિ હોય, ત્યારે મને બેવફા નીવડીને તેઓ કેવા અપમાનિત થયા હતા તે વાતને વીસરી જશે.


પ્રત્યેક જણ પોતાની દ્રાક્ષવાડીમાં અને અંજીરવૃક્ષો વચ્ચે શાંતિમાં જીવશે, અને તેમને કોઈ ડરાવશે નહિ. એ તો સર્વસમર્થ પ્રભુના મુખની વાણી છે.


સમુદ્રકિનારાનો તમારો પ્રદેશ ખુલ્લા મેદાન જેવો બની જશે અને તેમાં ભરવાડો તંબૂ તાણશે અને ઘેટાંબકરાંના વાડા બાંધશે.


ગાદના કુળના લોકોએ દિબોન, અશરાય, અરોએર


આર્નોનની ખીણપ્રદેશની સરહદે આવેલા અરોએર નગર અને તે ખીણપ્રદેશના મધ્યમાં આવેલા નગરથી છેક ગિલ્યાદ સુધીનાં સર્વ નગરો આપણા ઈશ્વર પ્રભુએ આપણે હવાલે કર્યાં. કોઈ નગરની કિલ્લેબંધી એવી મજબૂત નહોતી કે જે આપણે જીતી ન શકીએ.


“તે સમયે આપણે કબજે કરેલા પ્રદેશમાંથી આર્નોનને કિનારે આવેલા અરોએર નગરની ઉત્તર તરફનો પ્રદેશ અને ગિલ્યાદના પહાડી પ્રદેશનો તેનાં નગરો સહિતનો અમુક ભાગ મેં રૂબેન તથા ગાદના કુળોને આપ્યો હતો.


તેમનો પ્રદેશ આર્નોન ખીણને છેડે આવેલા અરોએર તથા તે ખીણની મધ્યમાં આવેલા શહેર સુધી વિસ્તરેલો હતો અને તેમાં મેદબાની આસપાસના સમસ્ત ઉચ્ચપ્રદેશનો સમાવેશ થતો હતો.


તેમના પ્રદેશમાં યાઝેર તથા ગિલ્યાદનાં સર્વ નગરો, રાબ્બાની સામે આવેલ છેક અરોએર સુધીનો આમ્મોનના અર્ધા દેશનો સમાવેશ થતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan