Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 9:22 - પવિત્ર બાઇબલ C.L.

22 અલબત્ત, નિયમશાસ્ત્ર પ્રમાણે લગભગ બધી જ વસ્તુઓ રક્ત દ્વારા શુદ્ધ થાય છે; અને રક્ત વહેવડાવ્યા વગર પાપોની ક્ષમા મળતી નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 નિયમશાસ્‍ત્ર પ્રમાણે ઘણું કરીને સર્વ વસ્તુઓ રક્તથી શુદ્ધ કરવામાં આવે છે, ને રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 નિયમશાસ્ત્ર પ્રમાણે ઘણું કરીને સઘળી વસ્તુઓ રક્તદ્વારા શુદ્ધ કરાય છે અને રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 નિયમશાસ્ત્ર કહે છે કે દરેક વસ્તુ રક્તના છંટકાવથી પવિત્ર થાય છે. રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 9:22
14 Iomraidhean Croise  

પ્રભુ પરમેશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું તને કહું તે સાંભળ. જ્યારે વેદી બાંધવામાં આવે ત્યારે તેના ઉપર દહનબલિ ચડાવવા અને તેની પ્રતિષ્ઠા કરવા માટે બલિદાનના રક્તનો છંટકાવ કરવાનો આ નિયમ છે.


પછી યજ્ઞકાર દોષનિવારણબલિનું રક્ત લઈ શુદ્ધિકરણ કરાવનારના જમણા કાનની બુટ્ટી પર અને જમણા હાથના તથા જમણા પગના અંગૂઠા પર લગાડે.


ત્યાર પછી તે ઘેટાંને કાપે અને તેમાંથી થોડું રક્ત લઈ શુદ્ધિકરણ કરાવનારના જમણા કાનની બુટ્ટી પર તથા જમણા હાથ અને જમણા પગના અંગૂઠા પર તે લગાડે.


પછી તે બીજું જીવતું પક્ષી, ગંધતરુંનું લાકડું, જાંબલી વસ્ત્ર અને ઝુફાની ડાળી ઝરાના નિર્મળ પાણી પર કાપેલા પક્ષીના રક્તમાં બોળે.


દરેક સજીવ પ્રાણીનો જીવ તેના રક્તમાં છે. તેથી જ મેં પ્રભુએ લોકનાં પાપ દૂર કરવાને માટે યજ્ઞવેદી પર રક્ત રેડી પ્રાયશ્ર્વિત કરવા આજ્ઞા આપી છે. કારણ, રક્તમાં જીવ હોવાને લીધે માત્ર રક્તથી જ પાપ નિવારણ થાય છે.


તેણે પ્રાયશ્ર્વિતના આખલાની માફક જ એ આખલાનું પણ કરવું અને એ રીતે યજ્ઞકાર લોકોનાં પાપને માટે પ્રાયશ્ર્વિત કરશે, એટલે તે તેમને માફ કરવામાં આવશે.


ત્યાર પછી સંગતબલિની જેમ જ એની બધી ચરબીનું યજ્ઞવેદી પર દહન કરે. આ રીતે યજ્ઞકારે આગેવાનના પાપનું પ્રાયશ્ર્વિત કરવું એટલે તેને માફ કરવામાં આવશે.


ત્યારપછી તેણે સંગતબલિની માફક જ તેની બધી ચરબી કાઢી લેવી અને યજ્ઞકારે યજ્ઞવેદી પર પ્રભુ સમક્ષ તે બાળી મૂકવી. આ રીતે યજ્ઞકાર માણસના પાપનું પ્રાયશ્ર્વિત કરે એટલે તેને માફ કરવામાં આવશે.”


ત્યાર પછી તેણે બીજા પક્ષીનું દહનબલિ તરીકે વિધિના નિયમ પ્રમાણે દહન કરવું. આ રીતે યજ્ઞકાર માણસના પાપને માટે દોષનિવારણ બલિ ચડાવે; એટલે, તે માણસને માફ કરવામાં આવશે.


“જો કોઈ માણસ બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં ચડાવવાને સમર્થ ન હોય તો તેણે એક કિલો લોટ દોષનિવારણ બલિ તરીકે ચડાવવો. તેણે તેમાં ઓલિવ તેલ રેડવું નહિ કે લોબાન મૂકવો નહિ. કારણ, એ દોષનિવારણબલિ છે, અને ધાન્યઅર્પણ નથી.


તેણે તે લાવીને યજ્ઞકારને આપવું અને યજ્ઞકાર તેમાંથી પ્રતીકરૂપે મૂઠીભર લોટ લઈ યજ્ઞવેદી પરના અગ્નિબલિ પર મૂકીને પ્રભુને ધાન્યઅર્પણ તરીકે તેનું દહન કરે. આ તો પ્રાયશ્ર્વિત બલિ છે.


તેણે દોષનિવારણબલિ તરીકે ખોડખાંપણ વગરનો ઘેટો યજ્ઞકાર પાસે લાવવો. પવિત્રસ્થાનના ચલણના શેકેલમાં તેની કિંમત નક્કી કરવામાં આવે. તેણે અજાણતાં કરેલા પાપને માટે યજ્ઞકારે દોષ નિવારણબલિ ચડાવવો; એટલે, તે માણસને માફ કરવામાં આવશે.


યજ્ઞકારે તેના પાપને માટે દોષનિવારણ બલિ ચડાવવો એટલે, તે માણસને માફ કરવામાં આવશે.”


Lean sinn:

Sanasan


Sanasan