Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 9:13 - પવિત્ર બાઇબલ C.L.

13 વિધિગત રીતે અશુદ્ધ હોય તેઓ પર બકરા તથા વાછરડાનું રક્ત અને વાછરડીની રાખ છાંટવામાં આવે છે અને તે દ્વારા તેમને તેમની તેવી અશુદ્ધતામાંથી શુદ્ધ કરવામાં આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 કેમ કે જો બકરાઓનું તથા ગોધાઓનું રક્ત તથા વાછરડીની રાખ અપવિત્રો પર છાંટવાથી શરીરને શુદ્ધ કરીને પવિત્ર કરે છે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 કેમ કે જો બકરાનું લોહી, ગોધાઓનું લોહી તથા વાછરડીની રાખ, અપવિત્રો પર છાંટવાથી તે શરીરને શુદ્ધ અને પવિત્ર કરે છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 જે લોકો પરમપવિત્રસ્થાનમાં પ્રવેશવા માટે શુદ્ધ ન હતા તેઓ પર બકરાઓનું તથા ગોધાઓનું રક્ત તથા વાછરડાંની રાખ છાંટીને તેઓના ફક્ત શરીરને શુદ્ધ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 9:13
12 Iomraidhean Croise  

“ઓ પ્રભુ, અમારા પૂર્વજોના ઈશ્વર, જેઓ પવિત્રસ્થાનના નિયમ પ્રમાણે વિધિગત રીતે શુદ્ધ થયા નથી. પણ દયની પૂરી નિષ્ઠાથી તમારું ભજન કરી રહ્યા છે તેમને તમારી ભલાઈ પ્રમાણે ક્ષમા કરો.”


મારાં પાપ ઝુફાથી ધોઈને દૂર કરો, એટલે હું શુદ્ધ થઈશ; મને નવડાવો એટલે હું હિમથી ય અધિક શ્વેત થઈશ.


હું તમારા પર શુદ્ધ જળનો છંટકાવ કરીશ અને તમે શુદ્ધ થશો. હું તમને તમારી બધી મલિનતાથી અને તમારી સર્વ મૂર્તિઓથી શુદ્ધ કરીશ.


એમાંથી શુદ્ધ થયા પછી તેમણે સાત દિવસ અલગ રહેવું,


તેમના પર શુદ્ધિકરણનું પાણી છાંટવું. ત્યાર પછી તેઓ પોતાના આખા શરીરના વાળ ઊતરાવે, પોતાનાં વસ્ત્ર ધોઈ નાખે, અને ત્યારે તેઓ વિધિગત રીતે શુદ્ધ થયેલા ગણાશે.


આપણી અને તેમની વચ્ચે તેમણે કોઈ ભેદભાવ રાખ્યો નહિ; તેમણે વિશ્વાસ કર્યો એટલે ઈશ્વરે તેમનાં હૃદયોને શુદ્ધ કર્યાં.


તો જે વ્યક્તિ ઈશ્વરના પુત્રનો તિરસ્કાર કરે છે, ઈશ્વરના કરારનું રક્ત જેના દ્વારા તેને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યો હતો તેને અપવિત્ર ગણે છે તથા કૃપાના આત્માનું અપમાન કરે છે તેનું શું થશે? તે કેવી ઘોર શિક્ષાને પાત્ર ઠરશે!


કારણ, આખલાનું અને બકરાનું રક્ત પાપ દૂર કરી શકે જ નહિ.


મોશેએ પ્રથમ લોકોને નિયમશાસ્ત્રની સર્વ આજ્ઞાઓ કહી સંભળાવી. ત્યાર પછી તેણે વાછરડાનું રક્ત તથા પાણી લીધાં અને ઝૂફા અને કિરમજી ઊન વડે નિયમના પુસ્તક પર તથા સર્વ લોકો પર છાંટયાં.


સત્યને આધીન થઈને તમે પોતાને શુદ્ધ કર્યા છે અને સાથીવિશ્વાસીઓ પર તમે નિખાલસ પ્રેમ રાખી શકો છો અને તેથી એકબીજા પર ખરા દિલથી વિશેષ પ્રેમ રાખજો.


Lean sinn:

Sanasan


Sanasan