Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 50:10 - પવિત્ર બાઇબલ C.L.

10 યર્દન નદીને પેલે પાર આટાદના ખળાએ પહોંચીને તેમણે મોટે સાદે વિલાપ કર્યો. યોસેફે પોતાના પિતા માટે સાત દિવસ શોક પાળ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને યર્દન પાર આટાદની ખળી છે ત્યાં તેઓ આવી પહોંચ્યાં, ને ત્યાં તેઓએ મોટા ને ભારે વિલાપથી રુદન કર્યું; અને યૂસફે તેના પિતાને માટે સાત દિવસ શોક કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 જયારે તેઓ યર્દનની સામે પાર આટાદની ખળી છે ત્યાં પહોંચ્યા ત્યારે તેઓએ આક્રંદ કર્યું. પિતાને માટે સાત દિવસ સુધી શોક કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 પછી યર્દન નદીને પાર આટાદની ખળી છે ત્યાં તેઓ આવ્યા. તેઓએ મોટા અને ભારે વિલાપ સાથે રૂદન કર્યુ; અને તેમણે તથા યૂસફે પોતાના પિતા માંટે સાત દિવસનો શોક પાળ્યો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 50:10
16 Iomraidhean Croise  

યાકોબને તેના પિતાએ જે આશિષ આપી તેને લીધે એસાવે યાકોબનો તિરસ્કાર કર્યો. તેણે પોતાના મનમાં કહ્યું, “મારા પિતાનો મૃત્યુનો દિવસ નજીક છે. એમને માટેના શોકના દિવસ પૂરા થાય તે પછી હું મારા ભાઈ યાકોબને મારી નાખીશ.”


આટાદના ખળામાં થઈ રહેલો શોકવિલાપ જોઈને દેશના રહેવાસીઓ અને કનાનીઓ કહેવા લાગ્યા, “ઇજિપ્તીઓ ભારે શોકવિલાપ કરે છે” તેથી તે સ્થળનું નામ ‘આબેલ-મિસરાઈમ’ પડયું. એ સ્થળ યર્દનને પેલે પાર આવેલું છે.


સુગંધીદ્રવ્યો ભરતાં ચાલીસ દિવસ લાગે છે. એટલે એ કાર્યમાં ચાલીસ દિવસ લાગ્યા. ઇજિપ્તીઓએ સિત્તેર દિવસ સુધી યાકોબના માનમાં શોક પાળ્યો.


તેના શોકના દિવસો પૂરા થયા એટલે યોસેફે ફેરોના કુટુંબના માણસોને કહ્યું, “મારા પર તમારી રહેમનજર હોય તો તમે ફેરોને અંગત રીતે વાત કરો કે


વળી, તેની સાથે રથો અને અને ઘોડેસ્વારો પણ ગયા. અને તેમનો સંઘ ઘણો મોટો હતો.


દાવિદે શાઉલ અને તેના પુત્ર યોનાથાન માટે મૃત્યુગીત ગાયું.


પોતાનો પતિ માર્યો ગયો છે એવું બાથશેબાએ જાણ્યું ત્યારે તેણે તેને માટે શોક કર્યો.


તેથી ત્યાંના શૂરવીર માણસો ત્યાં જઈને શાઉલ અને તેના પુત્રોનાં શબ યાબેશમાં લઈ આવ્યા. ત્યાં એક મસ્તગીવૃક્ષ નીચે તેમણે તેમને દફનાવ્યા અને સાત દિવસ શોક પાળ્યો.


તેઓ તેની સાથે સાત દિવસ અને સાત રાત જમીન પર બેસી રહ્યા. યોબની પારાવાર પીડા જોઈને તેમનામાંથી કોઈ એક શબ્દ પણ બોલી શકાયું નહિ.


થોડાંક ઊંચાં સ્થળોએ ચઢતાં કે રસ્તે જતાં પણ તું બીશે. બદામડીનાં ખીલી ઊઠતાં શ્વેત ફૂલોની જેમ તારે માથે પળિયાં આવશે. તું તીડની જેમ માંડમાંડ ઢસડાતો ચાલીશ અને કેરડાં ખાવાથી ય કામેચ્છા પ્રદીપ્ત થશે નહિ. માણસ એના સાર્વકાલિક નિવાસસ્થાને પ્રસ્થાન કરશે અને વિલાપ કરનારાઓ રસ્તાઓ પર ફરતા રહેશે.


“જે કોઈ માણસ મૃતદેહનો સ્પર્શ કરે તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.


સમગ્ર સમાજમાં ખબર પડી કે આરોનનું અવસાન થયું છે. તેથી બધા ઇઝરાયલીઓએ તેને માટે ત્રીસ દિવસ સુધી શોક પાળ્યો.


કેટલાક ભાવિક માણસોએ ભારે રુદન અને શોક સાથે સ્તેફનને દફનાવ્યો.


ઇઝરાયલીઓ યર્દન નદીની પૂર્વે રણપ્રદેશમાં હતા ત્યારે મોશેએ તેમને સંબોધેલાં કથનો આ પુસ્તકમાં છે. તેઓ સૂફની સામેના યર્દનના ખીણપ્રદેશ અરાબામાં હતા. તેમની એક તરફ પારાન અને બીજી તરફ તોફેલ, લાબાન, હાસેરોથ તથા દીઝાહાબ નગરો હતાં.


ઇઝરાયલી લોકોએ મોઆબના સપાટ પ્રદેશમાં ત્રીસ દિવસ સુધી મોશે માટે શોક પાળ્યો. પછી મોશે માટે શોકનો સમય પૂરો થયો.


પછી તેમણે હાડકાં લઈને યાબેશ નગરમાં પ્રાંસ વૃક્ષની નીચે દાટી દીધાં અને સાત દિવસ સુધી ઉપવાસ કરીને શોક કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan