Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 48:1 - પવિત્ર બાઇબલ C.L.

1 થોડા સમય પછી યોસેફને સમાચાર મળ્યા કે, “તારા પિતા બીમાર પડયા છે.” તેથી તે પોતાના બે પુત્રો મનાશ્શા અને એફ્રાઈમને લઈને મળવા ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને એ વાતો પછી એમ થયું કે કોઈએ યૂસફને કહ્યું, “જો, તારા પિતા માંદા પડયા છે.” અને તે પોતાના બે દિકરા મનાશ્શાને તથા એફ્રાઇમને સાથે લઈને ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 એ બાબતો થયા પછી કોઈએ યૂસફને કહ્યું, “જો, તારો પિતા બીમાર પડ્યો છે.” તેથી તે પોતાના બે દીકરા મનાશ્શાને તથા એફ્રાઇમને સાથે લઈને પિતાની પાસે ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 સમય જતાં યૂસફને કોઈકે, સમાંચાર આપ્યા કે, તારા પિતાજી માંદા પડયા છે. તેથી તરત જ તે પોતાના બે પુત્રો મનાશ્શા અને એફ્રાઈમને લઈને મળવા ગયો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 48:1
12 Iomraidhean Croise  

યોસેફે ઇજિપ્ત દેશમાં ઓનના યાજક પોટીફેરાની પુત્રી આસનાથ સાથે લગ્ન કર્યાં અને તેનાથી મનાશ્શા અને એફ્રાઈમ થયા.


જ્યારે યાકોબને કહેવામાં આવ્યું કે, “તારો દીકરો યોસેફ મળવા આવ્યો છે,” ત્યારે તે પોતાની બધી શક્તિ ભેગી કરીને પલંગ પર બેઠો થયો.


હું ઇજિપ્તમાં આવ્યો તે પહેલા ઇજિપ્તમાં થયેલા તારા બે પુત્રો એફ્રાઈમ અને મનાશ્શા હવે મારા પુત્રો છે. તેઓ રૂબેન અને શિમયોનની જેમ મારા ગણાશે.


તેણે એફ્રાઈમની ત્રીજી પેઢીનાં બાળકોને જોયાં, તેમ જ મનાશ્શાના પુત્ર માખીરનાં છોકરાં પણ તેના ખોળામાં ઉછર્યાં.


સંદેશવાહક એલિશા મરણતોલ માંદો પડયો, અને તે મરવા પડયો હતો ત્યારે ઇઝરાયલનો રાજા યોઆશ તેની મુલાકાતે ગયો. તે રડતાં રડતાં બોલી ઊઠયો, “મારા પિતા, મારા પિતા, તમે તો રથો અને ઘોડેસ્વારોની સમાન ઇઝરાયલનું રક્ષણ કરનાર છો!”


એલિશા મરણ પામ્યો અને તેમણે તેને દફનાવ્યો. દર વર્ષે મોઆબીઓનાં ધાડાં ઇઝરાયલ પર ચઢી આવતાં.


આ પછી યોબ બીજાં એક્સો ચાલીસ વર્ષ સુધી જીવ્યો અને પોતાના પુત્રો તથા ત્રીજી અને ચોથી પેઢીનાં સંતાનો જોઈ શક્યો.


અને તું તારાં સંતાનોનાં સંતાન જોશે; ઇઝરાયલી લોકનું કલ્યાણ થાઓ!


આથી બહેનોએ ઈસુને કહેવડાવ્યું, “પ્રભુ, તમે જેના પર પ્રેમ કરો છો તે માંદો છે.”


વિશ્વાસને લીધે જ યાકોબે મરતી વખતે યોસેફના બંને પુત્રોને આશિષ આપી, અને પલંગના પાયાની મૂઠના ટેકે નમીને ઈશ્વરનું ભજન કર્યું,


હવે યોસેફના વંશજોનું બે કુળમાં, એટલે મનાશ્શા અને એફ્રાઈમમાં વિભાજન કરવામાં આવ્યું હતું. વળી, મોશેએ લેવીવંશજોને તો કોઈ પ્રદેશ ફાળવ્યો નહિ. એને બદલે, વસવાટ માટે તેમને નગરો આપવામાં આવ્યાં, અને તેમનાં ઢોરઢાંક અને ઘેટાંબકરાં માટે એ નગરોનાં ગોચરની જમીન આપવામાં આવી હતી.


Lean sinn:

Sanasan


Sanasan