Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 47:19 - પવિત્ર બાઇબલ C.L.

19 શું અમે તમારી નજર આગળ જ ખતમ થઈ જઈશું! શું અમારી જમીનો પણ ધણી વગરની થઈ જશે? અનાજના બદલામાં તમે અમને અને અમારી જમીનોને ખરીદી લો. એટલે અમે તથા અમારી જમીનો ફેરોના તાબામાં રહીશું. અમને બિયારણ આપો, જેથી અમે મરી ન જઈએ પણ જીવતા રહીએ, વળી, અમારી જમીનો પણ વેરાન થઈ જાય નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તમારા દેખતાં અમે અમારાં ખેતરો સુદ્ધાં શા માટે નાશ પામીએ? રોટલીને બદલે અમને તથા અમારી જમીનને વેચાતાં લો, ને અમે તથા અમારાં ખેતર ફારુનના દાસ થઈશું; અને અમને બી આપો કે, અમે જીવતા રહીએ ને મરીએ નહિ, ને જમીન પડતર રહે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તારા દેખતાં અમે, અમારા ખેતરો સહિત શા માટે મરણ પામીએ? અનાજને બદલે અમને તથા અમારી જમીનને વેચાતાં લે અને અમે તથા અમારા ખેતર ફારુનને હવાલે કરીશું. અમને અનાજ આપ કે અમે જીવતા રહીએ, મરીએ નહિ. અમે મજૂરી કરીશું અને જમીન પડતર નહિ રહે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 તમાંરી નજર સમક્ષ અમો ચોક્કસ મરી જશું? પણ જો તમે અમને ખાવાનું આપશો તો અમે અમાંરી જમીનો ફારુનને આપી એના ગુલામો બની જશું, માંટે અમને બીજ આપો જેથી અમે મરતા બચી જઈએ અને જીવવા પામીએ, ને જમીન પડતર બની રહે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 47:19
11 Iomraidhean Croise  

એ અનાજ ઇજિપ્ત પર આવી પડનાર દુકાળનાં સાત વર્ષ દરમિયાન અનામત પૂરવઠો બની રહેશે, અને એમ ઇજિપ્તના લોકો દુકાળને લીધે માર્યા જશે નહિ.”


ઇજિપ્ત અને કનાન દેશના લોકો પાસે બધા પૈસા વપરાઈ ગયા ત્યારે ઇજિપ્તના બધા રહેવાસીઓએ યોસેફ પાસે આવીને કહ્યું, “અમે તમારી નજર આગળ માર્યા જઈએ એવું તમે ઇચ્છતા ન હો તો અમને અનાજ આપો. કારણ, અમારી પાસે હવે પૈસા તો રહ્યા જ નથી.”


તે વર્ષ પૂરું થયું એટલે પછીને વર્ષે લોકોએ આવીને યોસેફને કહ્યું, “અમારા માલિક, તમારાથી આ વાત છુપાવી શકાય એમ નથી કે અમારા પૈસા ખલાસ થઈ ગયા છે અને અમારાં ઢોર પણ તમારી માલિકીનાં થઈ ગયાં છે. હવે તો માલિક તમારે માટે અમારી જાત અને જમીન સિવાય કંઈ જ બાકી રહ્યું નથી.


તેથી યોસેફે ઇજિપ્તની બધી જમીનો ફેરોને માટે ખરીદી લીધી. દુકાળ એટલો ભીષણ હતો કે બધા ઇજિપ્તીઓએ પોતાની જમીનો વેચી દીધી. દેશની બધી જમીન ફેરોની થઈ ગઈ.


શેતાને પ્રભુને ઉત્તર આપ્યો: “‘ચામડી સાટે ચામડી’, પોતાનો જીવ બચાવવા માટે તો માણસ પોતાનું સર્વસ્વ આપી દે,


તેના લોક ખોરાકની શોધમાં નિસાસા નાખે છે. જીવવાને માટે ખોરાકને સારુ તેમણે પોતાની કિંમતી વસ્તુઓ આપી દીધી છે. નગર પોકારે છે, “હે પ્રભુ, મારા તરફ જુઓ, મારા દુ:ખમાં મને નિહાળો.”


જીવતા રહેવા ખોરાકને માટે અમે ઇજિપ્ત ને આશ્શૂરની પાસે ભીખ માગી છે.


ખૂનીઓ સીમ વિસ્તારમાં ધૂમ્યા કરે છે, તેથી અનાજને માટે અમારે ખેતરોમાં જવા જીવનું જોખમ વહોરવું પડે છે.


કોઈ માણસ સમગ્ર દુનિયા પ્રાપ્ત કરે, પણ તેનો જીવ નાશ પામે તો તેથી તેને કંઈ લાભ ખરો? ના, કશો જ નહિ. એકવાર જીવ ખોઈ બેઠા પછી તેને પાછો મેળવવા માટે માણસ કશું આપી શકે તેમ નથી.


Lean sinn:

Sanasan


Sanasan