Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 43:9 - પવિત્ર બાઇબલ C.L.

9 હું તેનો જામીન થાઉં છું, જો હું તેને તમારી પાસે સહીસલામત પાછો ન લાવું તો તમારી સમક્ષ આખા જીવનભર તેનો દોષ મારે શિર રહો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 હું તેનો જામીન થાઉં છું. તમે તેને મારી પાસેથી માગી લેજો. જો હું તમારી પાસે તેને ન લાવું, ને તમારી આગળ રજૂ કરું, તો તેનો દોષ સદા મારા પર રહો;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 હું તેની ખાતરી આપું છું કે તું તેને મારી પાસેથી માગજે. જો હું તેને તારી પાસે ન લાવું અને તેને તારી આગળ રજૂ ન કરું, તો તેનો દોષ સદા મારા પર રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 એની જવાબદારી માંરા માંથે. હું એનો જામીન થાઉં છું. જો એને પાછો લાવીને તમાંરી આગળ રજૂ ન કરું તો તેનો દોષ સદા માંરા પર રહો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 43:9
16 Iomraidhean Croise  

કોઈ હિંસક પશુ તમારું પ્રાણી ફાડી ખાય ત્યારે મેં તેના અવશેષ તમારી આગળ રજૂ કર્યા નથી, પણ એની ખોટ મેં જાતે ભોગવી છે. દિવસે કે રાત્રે કંઈ ચોરાયું હોય તો તમે તે મારી પાસેથી વસૂલ કર્યું છે.


રૂબેને પોતાના પિતાને કહ્યું, “જો હું બિન્યામીનને તમારી પાસે પાછો ન લાવું તો મારા બે દીકરાને તમે મારી નાખજો. તેને મારી દેખરેખ હેઠળ મોકલી આપો, અને હું તેને પાછો લાવીશ.”


જો અમે રોકાયા ન હોત તો અત્યાર સુધીમાં તો અમે ત્યાં બે વાર જઈને પાછા આવ્યા હોત.”


હું જરૂર તમારા રક્તનો હિસાબ માગીશ: દરેક પ્રાણી પાસેથી હું તેનો હિસાબ માગીશ અને પ્રત્યેક વ્યક્તિ પાસેથી તેના સાથીમાનવના જીવનો હિસાબ માગીશ.


તેણે કહ્યું, “હે રાજા, મારા માલિક, તમે જે કરો તે ખરું, એનો દોષ મારા પર અને મારા કુટુંબ પર રહો. તમે અને તમારું રાજયાસન નિર્દોષ રહો.”


જો તમે નહિ કરો, તો તમારુ મૃત્યુ થતાં જ હું અને મારો પુત્ર શલોમોન રાજદ્રોહીઓમાં ખપી જઈશું.”


હે ઈશ્વર, હવે તો તમે જ મારા જામીન બનો; કારણ, તમારા વિના બીજું કોણ મારો જામીન થવા તૈયાર થશે?


તમારા આ સેવકના કલ્યાણ માટે તેમના જામીન બનો, અને ગર્વિષ્ઠોને મારા પર જુલમ કરવા ન દો.


હું કોઈ દુષ્ટને મોતની સજા ફરમાવું અને જો તું તેને તેનો જીવ બચાવવાને તેનો દુરાચાર છોડી દેવા ચેતવે નહિ, તો તે દુષ્ટ તેની દુષ્ટતામાં મરશે; પરંતુ તેના મૃત્યુ માટે હું તને જવાબદાર ઠેરવીશ.


વળી, જો કોઈ સદાચારી મનુષ્ય પોતાના સદાચારથી વિમુખ થઈ દુરાચાર કરે અને તેથી હું તેને જોખમમાં મૂકું, અને જો તું તેને ચેતવે નહિ તો તે પોતાના પાપને કારણે માર્યો જશે. હું તેનાં સત્કર્મો સંભારીશ નહિ, અને તેના મૃત્યુ માટે હું તને જવાબદાર ઠેરવીશ.


પણ જો ચોકીદાર સંહારક શત્રુને દેશ પર ચડી આવતો જુએ અને છતાં લોકોને ચેતવવા રણશિંગડું ન વગાડે અને શત્રુ આવીને કોઈને મારી નાખે તો મરનારો તો પોતાના દોષને કારણે મર્યો છે, પણ હું તેના ખૂન માટે ચોકીદારને જવાબદાર ઠરાવીશ.


જ્યારે હું કોઇ દુષ્ટને કહું કે, ‘તું તારી દુષ્ટતાને લીધે માર્યો જશે,’ અને તું તે માણસને પોતાનું દુરાચરણ છોડી દેવાની ચેતવણી ન આપે તો તે દુષ્ટ તો પોતાના પાપે મરશે જ, પણ એના મૃત્યુ માટે હું તને જવાબદાર ઠેરવીશ.


પરિણામે, સૃષ્ટિના આરંભથી એટલે કે, હાબેલના ખૂનથી માંડીને ઝખાર્યા, જેને યજ્ઞવેદી અને પવિત્રસ્થાન વચ્ચે મારી નાખવામાં આવ્યો તેના ખૂન સુધી થઈ ગયેલા બધા સંદેશવાહકોના ખૂનની શિક્ષા આ જમાનાના લોકોને થશે.


આ તફાવત ઈસુને વધુ સારા કરારના જામીન બનાવે છે.


Lean sinn:

Sanasan


Sanasan