Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 42:2 - પવિત્ર બાઇબલ C.L.

2 તેથી તેણે પોતાના દીકરાઓને કહ્યું, “તમે એકબીજાની સામે જોઈ કેમ બેસી રહ્યા છો? મારા સાંભળવામાં આવ્યું છે કે ઇજિપ્તમાં અનાજ મળે છે; ત્યાં જાઓ અને આપણે માટે કંઈક ખરીદી લાવો કે જેથી આપણે જીવતા રહીએ અને મરી જઈએ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને તેણે કહ્યું, “જુઓ, મેં સાંભળ્યું છે કે મિસરમાં અનાજ છે. ત્યાં જાઓ, ને ત્યાંથી આપણે માટે વેચાતુમ લાવો કે, આપણે જીવતા રહીએ, ને મરી જઈએ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 મારા સાંભળવામાં આવ્યું છે કે, “મિસરમાં અનાજ ઉપલબ્ધ છે. ત્યાં જાઓ અને ત્યાંથી આપણે સારુ અનાજ વેચાતું લાવો કે આપણે ખાઈને મરણથી બચીએ અને જીવતા રહીએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 મને જાણવા મળ્યું છે કે, મિસરમાં અનાજ વેચાય છે, માંટે ત્યાં જાઓ, ને ત્યાંથી આપણા માંટે અનાજ ખરીદી લાવો. જેથી આપણે જીવતા રહીએ, ને ભૂખે ના મરીએ.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 42:2
11 Iomraidhean Croise  

તેથી યોસેફના દસ ભાઈઓ ઇજિપ્તમાં અનાજ ખરીદવા ગયા. યાકોબે યોસેફના સગા ભાઈ બિન્યામીનને ન મોકલ્યો, કારણ તેના પર કંઈક વિધ્ન આવી પડે એવો તેને ભય હતો.


ઇજિપ્તમાંથી લાવેલું બધું જ અનાજ ખાતાં ખલાસ થઈ ગયું ત્યારે યાકોબે પોતાના પુત્રોને કહ્યું, “જાઓ, જઈને આપણે માટે થોડું અનાજ ખરીદી લાવો.”


જો તમે અમારા ભાઈને અમારી સાથે મોકલવા તૈયાર હો તો અમે જઈને તમારે માટે અનાજ ખરીદી લાવીશું.


વળી, યહૂદાએ પોતાના પિતા ઇઝરાયલને કહ્યું, “છોકરાને મારી સાથે મોકલો તો અમે ઉપડીએ. જેથી આપણે સૌ એટલે તમે, અમારાં છોકરાં અને અમે જીવતાં રહીએ, અને મરી જઈએ નહિ.


“હવે મારા પિતાજી પાસે જલદી જઈને તેમને કહો કે તમારા દીકરા યોસેફે આવું કહેવડાવ્યું છે: ‘ઈશ્વરે મને આખા ઇજિપ્તનો અધિપતિ બનાવ્યો છે, તમે હવે વિના વિલંબે મારી પાસે આવો.


હું મૃત્યુ પામ્યો નહિ પણ જીવતો રહ્યો, તેથી હું યાહનાં અદ્‍ભુત કાર્યોને પ્રગટ કરીશ.


યાદ રાખો, પ્રભુની અમીદષ્ટિ તેમના ભક્તો પર અને તેમના પ્રેમ પર ભરોસો રાખનારાઓ પર છે.


ઈશ્વર તેમને કમોતથી ઉગારે છે અને તેમને દુકાળમાં પણ જીવતા રાખે છે.


એ અરસામાં હિઝકિયા રાજા મરણતોલ માંદો પડયો. આમોઝના પુત્ર યશાયા સંદેશવાહકે તેની પાસે જઈને તેને કહ્યું, “પ્રભુ કહે છે, તારા ઘરકુટુંબની વ્યવસ્થા કરી લે. કારણ, તું સાજો થવાનો નથી. તું મરી જઈશ.”


ઈસુએ જવાબ આપ્યો, શાસ્ત્રમાં લખેલું છે, ’માનવી ફક્ત રોટલીથી જ નહિ, પણ ઈશ્વરના મુખે ઉચ્ચારાયેલા પ્રત્યેક શબ્દ દ્વારા જીવે છે’.


તેથી યાકોબે જ્યારે જાણ્યું કે ઇજિપ્તમાં અનાજ છે, ત્યારે તેણે પોતાના પુત્રો એટલે આપણા પૂર્વજોને, ત્યાં તેમની પ્રથમ મુલાકાતે મોકલ્યા.


Lean sinn:

Sanasan


Sanasan