Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 42:19 - પવિત્ર બાઇબલ C.L.

19 જો તમે પ્રામાણિક માણસો હો તો જે ઘરમાં તમને કેદ કરવામાં આવ્યા છે તેમાં તમારામાંનો માત્ર એક જણ રહે જ્યારે બાકીના તમે જે અનાજ ખરીદ્યું છે તે તમારા દુકાળગ્રસ્ત કુટુંબ માટે લઈ જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 જો તમે સાચા માણસ હો, તો તમારામાંનો એક ભાઈ કેદખાનામાં રહે. અને બાકીના જાઓ, ને તમારાં ઘરના માટે દુકાળને સારુ અનાજ લેતા જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 જો તમે પ્રમાણિક અને સાચા પુરુષો હો, તો તમારામાંનો એક ભાઈ કેદખાનામાં રહે અને બાકીના જાઓ અને દુકાળને લીધે તમારા ઘર માટે અનાજ લઈ જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 જો તમે ખરેખર સાચા હો તો તમાંરામાંનો ગમે તે એક ભાઈ કારાગારમાં રહે; અને બાકીના સૌ તમાંરા ભૂખે મરતા કુટુંબ માંટે અનાજ લઈને જાઓ.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 42:19
13 Iomraidhean Croise  

તેણે તેમને અંગરક્ષકોના ઉપરી અમલદારના ઘરમાં જ્યાં યોસેફને પૂરવામાં આવ્યો હતો ત્યાં જેલમાં પૂરી દીધા.


આખા દેશમાં દુકાળ પડયો ત્યારે યોસેફે બધા કોઠારો ઉઘાડીને ઇજિપ્તીઓને અનાજ વેચાતું આપ્યું. ઇજિપ્તમાં દુકાળ ખૂબ વિકટ હતો.


અમે બધા એક જ માણસના દીકરા છીએ. અમે જાસૂસ નથી, પણ પ્રામાણિક માણસો છીએ.”


ત્રીજે દિવસે યોસેફે તેમને કહ્યું, “હું ઈશ્વરથી ડરીને ચાલું છું. તેથી હવે તમે આમ કરશો તો તમારા જીવ બચાવશો.


તમારે તમારો સૌથી નાનો ભાઈ મારી પાસે લાવવો પડશે. જેથી સાબિત થાય કે તમે સત્ય બોલ્યા છો. એમ તમને મારી નાખવામાં આવશે નહિ.” તેમણે એ વાત મંજૂર રાખી.


યોસેફના ભાઈઓ ખરીદેલું અનાજ તેમનાં ગધેડાં પર લાદીને રવાના થયા.


પણ તે માણસે, એટલે તે દેશના અધિપતિએ અમને કહ્યું, ‘તમે આમ કરશો તો હું જાણીશ કે તમે પ્રામાણિક માણસો છો. તમારા એક ભાઈને મારી પાસે રહેવા દો અને બાકીના તમારા દુકાળગ્રસ્ત કુટુંબને માટે અનાજ લઈને જાઓ, પછી તમારા નાના ભાઈને મારી પાસે લેતા આવજો, ત્યારે તમે જાસૂસ નથી, પણ પ્રામાણિક છો એમ હું જાણીશ, અને હું તમને તમારો ભાઈ પાછો સોંપીશ અને તમે આ દેશમાં ધંધો રોજગાર કરી શકશો.”


વળી, પોતાના પિતા માટે આ બધી વસ્તુઓ મોકલી: ઇજિપ્તની ઉત્તમ વસ્તુઓમાંથી લાદેલાં દસ ગધેડાં, પોતાના પિતાની મુસાફરી માટે અનાજ, રોટલી તથા ખોરાકથી લાદેલી દસ ગધેડીઓ.


પણ તેમના લોક તો ખુવાર થયા છે અને લૂંટાયા છે. તેઓ ખાડામાં ફસાયા છે અને કેદખાનામાં પૂરાયા છે. તેઓ શિકાર થઈ પડયા છે અને તેમની વહારે આવનાર કોઈ નથી. તેઓ લૂંટરૂપ થઈ પડયા છે, અને ‘તેમને છોડી દો’ એવું કહેનાર કોઈ નથી.


તું અંધજનોની આંખો ઉઘાડશે અને બંદીખાનામાંથી કેદીઓને અને કેદની કોટડીના અંધકારમાં બેઠેલાઓને મુક્ત કરીશ.


તેઓ યર્મિયા પર ક્રોધે ભરાયા અને તેને ફટકા મરાવ્યા. પછી તેમણે તેને રાજ્યમંત્રી યોનાથાનના ઘરમાં કેદી તરીકે પૂરી દીધો; કારણ, તે ઘરને કેદખાનામાં ફેરવી નાખ્યું હતું.


Lean sinn:

Sanasan


Sanasan