Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 36:15 - પવિત્ર બાઇબલ C.L.

15-16 એસાવના પુત્રોમાંના મુખ્ય સરદારો આ પ્રમાણે હતા. એસાવના પ્રથમ પુત્ર એલિફાઝના પુત્રો: તેમાન, ઓમાર, સફો, કનાઝ, કોરા, ગાતામ, અમાલેક. એલિફાઝને અદોમ દેશમાં થયેલા એ સરદારો છે. તેઓ આદાના વંશજો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 એસાવના દિકરાઓમાંના આ સરદાર હતા; એસાવના જ્યેષ્ઠ દિકરા અલિફાઝના દિકરા : તેમાન સરદાર, ઓમાર સરદાર, સફો સરદાર, કનાઝ સરદાર,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 એસાવના વંશજોનાં સરદારો આ હતાં: એસાવના જ્યેષ્ઠ દીકરા અલિફાઝના દીકરા: તેમાન, ઓમાર, સફો, કનાઝ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 એસાવના વંશજોમાં નીચેના સરદારો હતા. એસાવના સૌથી મોટા પુત્ર અલીફાઝના પુત્ર: સરદાર તેમાંન, સરદાર ઓમાંર, સરદાર સફો, સરદાર કનાઝ,

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 36:15
19 Iomraidhean Croise  

સિબયોનના પુત્ર આનાની પુત્રી ઓહલીબામા, જે એસાવની પત્ની હતી તેના વંશજો આ છે: યેઉશ, યાલામ તથા કોરા.


એસાવની પત્ની ઓહલીબામાના પુત્રો: યેઉશ, યાલામ અને કોરા. આ સરદારો એસાવની પત્ની, એટલે આનાની પુત્રી ઓહલીબામાના પુત્રો છે.


એસાવને કનાનમાં થયેલા પુત્રો આ પ્રમાણે છે: આદાએ એલિફાઝને જન્મ આપ્યો, બાસમાથે રેઉએલને જન્મ આપ્યો અને ઓહલીબામાએ યેઉશ, યાલામ અને કોરાને જન્મ આપ્યો.


યોબાબ મરણ પામ્યો એટલે તેની જગાએ તેમાનના પ્રદેશના હૂશામે રાજ કર્યું.


જ્યારે યોબ પર આવી પડેલી વિપત્તિના સમાચાર તેના ત્રણ મિત્રોએ જાણ્યા ત્યારે તેઓ એટલે, એલિફાઝ તેમાની, બિલ્દાદ શૂહી અને સોફાર નાઅમાથી પોતપોતાના ઘેરથી નીકળ્યા અને નક્કી કરેલ સ્થળે મળ્યા અને યોબને તેના દુ:ખમાં સહાનુભૂતિ દાખવવા અને આશ્વાસન આપવા ગયા.


તેમનાં સંતાન તેમની હયાતીમાં જ પગભર થાય છે અને તેમના વંશજો તેમની નજર સામે જ સમૃદ્ધ બને છે.


ત્યારે એલિફાઝ તેમાનીએ ઉત્તર આપતાં કહ્યું:


મેં એક જુલમી દુષ્ટને આતંક ફેલાવતાં જોયો; તે લબાનોનના વિશાળ વૃક્ષની જેમ બીજાઓ પર દમામ મારતો હતો.


અદોમના આગેવાનો ગભરાઈ ગયા છે; મોઆબના બળવાન પુરુષો થરથરે છે. કનાનના સર્વ રહેવાસીઓ હિંમત ગુમાવી બેઠા છે; તેમનામાં ભય અને ગભરાટ વ્યાપી ગયો છે.


તેથી અદોમના લોકો વિરુદ્ધની મારી યોજના વિષે સાંભળો, અને તેમાન નગરના રહેવાસીઓ વિરુદ્ધના મારા ઇરાદાઓ સાંભળો: હું સોગંદપૂર્વક કહું છું કે નાનાં નાનાં બાળકોને પણ શત્રુઓ ઘસડી જશે અને તેમની દશા જોઈને બીજા ચોંકી ઊઠશે.


અદોમ વિષે સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “શું તેમના પ્રદેશમાં કોઈની પાસે જ્ઞાન રહ્યું નથી? શું તેમનું જ્ઞાન અદશ્ય થયું છે?


એ માટે હું પ્રભુ પરમેશ્વર કહું છું કે હું અદોમને સજા કરીશ અને તે દેશમાંથી બધાં માણસો અને પશુઓનો વિનાશ કરીશ, અને તેમાનથી દેદાન સુધીના આખા દેશના લોકો યુદ્ધમાં માર્યા જશે.


એ માટે હું તેમાન નગર પર અગ્નિ વરસાવીશ અને બોસ્રાહના કિલ્લા ભસ્મ કરી નાખીશ.”


તેમાનના ભડવીરો ભયભીત થશે અને એસાવના પર્વત પરનો પ્રત્યેક લડવૈયો ક્તલમાં માર્યો જશે.


ઈશ્વર તેમાનથી આવે છે; પવિત્ર ઈશ્વર પારાનના ડુંગરો પરથી આવે છે. (સેલાહ) તેમના પ્રકાશથી આકાશ છવાઈ જાય છે અને પૃથ્વી તેમની સ્તુતિથી ભરપૂર થઈ છે.


Lean sinn:

Sanasan


Sanasan