Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 24:50 - પવિત્ર બાઇબલ C.L.

50 લાબાન અને બથુએલે જવાબ આપ્યો, “આ બધું તો પ્રભુની ઇચ્છાથી બન્યું છે. એટલે અમે તમને ખરુંખોટું કંઈ કહી શક્તા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

50 પછી લાબાને તથા બથુએલે ઉત્તર આપ્યો, “એ વાત યહોવાથી નીકળી છે; અમે તમને કંઈ ભૂંડું કે ભલું કહી નથી શકતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

50 પછી લાબાને તથા બથુએલે ઉત્તર આપ્યો, “એ વાત તો ઈશ્વરથી નક્કી થયેલી છે; અમે તને આમ કે તેમ કહી શકતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

50 પછી લાબાને અને બથુએલે જવાબ આપ્યો, “અમે જોઈએ છીએ કે, આ બધું યહોવાની ઈચ્છાથી થયું છે. તેથી અમે તેને બદલવા માંટે કઇ પણ કહી શકીએ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 24:50
15 Iomraidhean Croise  

હજી તો તે બોલતો હતો એવામાં રિબકા ખભે ગાગર મૂકીને આવી પહોંચી. તે અબ્રાહામના ભાઈ નાહોરની પત્ની મિલ્કાના પુત્ર બથુએલની પુત્રી હતી.


પેલી કન્યાએ દોડી જઈને પોતાની માતાના ઘરનાંને આ બધી વાત જણાવી. રિબકાને લાબાન નામે એક ભાઈ હતો.


આ રિબકા તમારી આગળ છે. તેને લઈ જાઓ અને પ્રભુની આજ્ઞા પ્રમાણે તેનાં લગ્ન તમારા માલિકના પુત્ર સાથે કરાવો.”


પછી સોનાચાંદીનાં દાગીના તથા વસ્ત્રો કાઢીને રિબકાને આપ્યાં. તેણે તેના ભાઈને અને તેની માતાને પણ કીમતી દાગીના આપ્યા.


રિબકાના ભાઈએ તથા માતાએ કહ્યું, “કન્યાને થોડા દિવસ અમારી સાથે રહેવા દો. કંઈ નહિ તો ઓછામાં ઓછા દસ દિવસ તો રહેવા દો, તે પછી તે આવશે.”


તેમણે રિબકાને આશિષ આપતાં કહ્યું, “અમારી બહેન, તું કરોડો વંશજોની માતા થજે અને તારા વંશજો દુશ્મનોનાં નગરો કબજે કરજો.”


તે રાત્રે ઈશ્વરે અરામી લાબાન પાસે સ્વપ્નમાં આવીને કહ્યું, “તું યાકોબને ભલુંભૂંડું કંઈ કહીશ નહિ.”


પરંતુ ગઈકાલે રાત્રે તારા પિતાના ઈશ્વરે મને ચેતવણી આપી કે મારે તને ભલુંભૂંડું કંઈ કહેવું નહિ.


પોતાની બહેન તામાર પર બળાત્કાર કર્યો હોવાથી આબ્શાલોમને પણ આમ્નોન પ્રત્યે એવો ધિક્કાર ઉત્પન્‍ન થયો કે તે તેની સાથે જરાપણ બોલતો પણ નહિ.


પ્રભુએ શીલો નગરના સંદેશવાહક અહિયા મારફતે નબાટના પુત્ર યરોબામને જે કહ્યું હતું તે પૂરું કરવાનો નિર્ધાર કર્યો હતો. તેથી તો રાજાએ લોકોના કહેવા પર કંઈ ધ્યાન આપ્યું નહિ.


“તમારા ભાઈઓ ઇઝરાયલના લોકો પર ચડાઈ કરતા નહિ. તમે સૌ પોતપોતાને ઘેર જાઓ. એ બધું મારી ઇચ્છા પ્રમાણે થયું છે.” તેથી સૌ પ્રભુની આજ્ઞા માનીને પોતપોતાને ઘેર પાછા ફર્યા. યરોબામ પ્રભુથી ભટકી જાય છે.


આ તો પ્રભુએ કરેલું કાર્ય છે; આપણી દષ્ટિમાં તે આશ્ર્વર્યજનક છે.


ઈસુએ તેમને કહ્યું, શાસ્ત્રમાં જે લખેલું છે તે તમે નથી વાંચ્યું? ’બાંધકામ કરનારાઓએ જે પથ્થરને નકામો માની ફેંકી દીધો હતો તે જ આધારશિલા બન્યો છે. એ તો પ્રભુનું કાર્ય છે અને આપણી દૃષ્ટિમાં એ કેવું અદ્‌ભૂત છે!’


એ તો પ્રભુએ કર્યું છે; આપણી દૃષ્ટિમાં એ કેવું અદ્‍ભુત છે!”


આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો ત્યારે ઈશ્વરે આપણને જે ભેટ આપી તે તેમણે બિનયહૂદીઓને પણ આપી છે એ વાત સ્પષ્ટ છે. ત્યારે પ્રભુને એમ કરતાં અટકાવનાર હું કોણ?”


Lean sinn:

Sanasan


Sanasan