Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 23:2 - પવિત્ર બાઇબલ C.L.

2 સારા કનાન દેશમાં આવેલા કિર્યાથ-આર્બા એટલે હેબ્રોનમાં અવસાન પામી અને અબ્રાહામ સારા માટે શોક કરવા તથા રુદન કરવા આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને સારા કનાન દેશના કિર્યાથ-અર્બા (એટલે હેબ્રોન)માં મરી ગઈ; અને ઇબ્રાહિમ સારાને માટે શોક કરવાને તથા તેને માટે રડવાને આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તે કનાન દેશના હેબ્રોનમાં આવેલા કિર્યાથ-આર્બામાં મરણ પામી. ઇબ્રાહિમે સારાને માટે શોક પાળ્યો અને રુદન કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 સારાનું મૃત્યુ કનાન ભૂમિમાં આવેલા કિર્યાથ-આર્બા (હેબ્રોન)માં થયું. ઇબ્રાહિમ બહુ જ દુ:ખી હતો અને તે તેણીના મૃત્યુ પર ખૂબ રડયો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 23:2
36 Iomraidhean Croise  

તેથી અબ્રામે તંબુ ઉપાડયો અને હેબ્રોનમાં આવેલાં મામરેનાં પવિત્ર એલોન વૃક્ષો નજીક જઈ વસ્યો. ત્યાં તેણે પ્રભુના ભજન માટે વેદી બાંધી.


સારા એક્સો સત્તાવીસ વર્ષ જીવી; એટલું તેનું આયુષ્ય હતું.


એ પછી અબ્રાહામે પોતાની પત્ની સારાને કનાન દેશના હેબ્રોનમાં એટલે મામરેની પૂર્વમાં આવેલા માખ્પેલાની ગુફામાં દફનાવી.


પછી ઇસ્હાક રિબકાને પોતાની માતા સારાના તંબુમાં લાવ્યો અને પત્ની તરીકે તેનો સ્વીકાર કર્યો. તેણે રિબકા ઉપર પ્રેમ કર્યો અને એમ ઇસ્હાક પોતાની માતાના મૃત્યુના દુ:ખમાં દિલાસો પામ્યો.


યાકોબને તેના પિતાએ જે આશિષ આપી તેને લીધે એસાવે યાકોબનો તિરસ્કાર કર્યો. તેણે પોતાના મનમાં કહ્યું, “મારા પિતાનો મૃત્યુનો દિવસ નજીક છે. એમને માટેના શોકના દિવસ પૂરા થાય તે પછી હું મારા ભાઈ યાકોબને મારી નાખીશ.”


યાકોબ મામરે અથવા કિર્યાથ-આર્બા એટલે હેબ્રોનમાં પોતાના પિતા ઇસ્હાક પાસે આવ્યો. અબ્રાહામ અને ઇસ્હાક ત્યાં જઈને વસ્યા હતા.


તેના પિતાએ તેને કહ્યું, “જા, જઈને જો કે તારા ભાઈઓ અને ટોળાં સહીસલામત છે કે કેમ; પછી આવીને મને જણાવજે.” આમ, તેના પિતાએ તેને હેબ્રોનના ખીણપ્રદેશમાંથી મોકલી આપ્યો. યોસેફ શખેમ પાસે આવી પહોંચ્યો.


ત્યારે યોસેફ પોતાના પિતાના મુખ પર પડીને રડવા તથા ચુંબન કરવા લાગ્યો.


યર્દન નદીને પેલે પાર આટાદના ખળાએ પહોંચીને તેમણે મોટે સાદે વિલાપ કર્યો. યોસેફે પોતાના પિતા માટે સાત દિવસ શોક પાળ્યો.


શાઉલ તથા યોનાથાન માટે, ઇઝરાયલ માટે અને પ્રભુના લોકો માટે દુ:ખી થઈને તેઓ શોક તથા વિલાપ કરવા લાગ્યા અને સાંજ સુધી ઉપવાસ કર્યો. કારણ, લડાઈમાં ઘણા લોકો માર્યા ગયા હતા.


દાવિદે શાઉલ અને તેના પુત્ર યોનાથાન માટે મૃત્યુગીત ગાયું.


તેણે હેબ્રોનમાં રહીને તેમના પર સાડા સાત વર્ષ રાજ કર્યું.


એમ ઇઝરાયલના સર્વ આગેવાનો દાવિદ રાજા પાસે હેબ્રોનમાં આવ્યા. દાવિદે તેમની સાથે પ્રભુની સમક્ષ કરાર કર્યો. તેમણે તેનો ઇઝરાયલના રાજા તરીકે અભિષેક કર્યો.


તેણે હેબ્રોનમાં રહીને યહૂદિયા પર સાડા સાત વર્ષ અને યરુશાલેમમાં રહીને સમસ્ત ઇઝરાયલ અને યહૂદિયા પર તેત્રીસ વર્ષ રાજ કર્યું.


આરોનના વંશજોને ગૌચરો સહિત અપાયેલાં નગરો આ પ્રમાણે છે: આશ્રયનગર હેબ્રોન, યાત્તીર, લિબ્નાનાં નગરો, એસ્તેસોઆ, હીલેન, દબીર આશાન, અને બેથ-શેમેશ તેમનાં ગોચર સહિત.


યર્મિયા સંદેશવાહકે યોશિયા રાજા માટે વિલાપગીત રચ્યું. તેના શોકમાં સ્ત્રી કે પુરુષ ગાયકોમાં આ ગીત ગાવાનો ઇઝરાયલમાં રિવાજ બની ગયો છે. વિલાપના ગીતસંગ્રહમાં એ ગીત છે.


ઘણા લોકો પોતાનાં ખેતરોની નજીકનાં નગરોમાં રહ્યા. જેઓ યહૂદાના કુળના હતા તેઓ કિર્યાથઆર્બા, દિબોન અને યકાબ્સએલ તથા તેમની આસપાસનાં ગામોમાં વસ્યા.


હે યહૂદિયાના લોકો, યોશિયાના મૃત્યુ માટે વિલાપ કરશો નહિ, અને તેને માટે શોક કરશો નહિ; પણ બંદી તરીકે જનાર રાજા માટે હૈયાફાટ રુદન કરશે, કારણ, તે કદી પાછો આવવાનો નથી અને ફરી વતન જોવા પામશે નહિ.


તેથી યોશિયાના પુત્ર યહૂદિયાના રાજા યહોયાકીમ વિષે પ્રભુ કહે છે કે એ માણસની કેવી દુર્દશા થશે! કોઈ તેના મૃત્યુ માટે શોક કરશે નહિ. જેમ સ્નેહીજનો માટે ‘ઓ મારા ભાઈ’ ‘ઓ મારી બહેન’ એમ કહીને વિલાપ કરે છે તેમ તેને માટે કોઈ ‘ઓ મારા સ્વામી’, ‘ઓ મારા રાજા’ એવું કહી રડશે નહિ.


તેઓ નેગેબમાં થઈને હેબ્રોન પહોંચ્યા. ત્યાં રાક્ષસી જાતિ અનાકના વંશજો અહિમાન, શેશાય તથા તાલ્માયનાં કુટુંબો રહેતાં હતાં. (ઇજિપ્તમાં સોઆન બંધાયું તેનાં સાત વર્ષ પહેલાં હેબ્રોન બંધાયું હતું.)


સમગ્ર સમાજમાં ખબર પડી કે આરોનનું અવસાન થયું છે. તેથી બધા ઇઝરાયલીઓએ તેને માટે ત્રીસ દિવસ સુધી શોક પાળ્યો.


જે યહૂદીઓ ઘરમાં મિર્યામની સાથે હતા અને તેને દિલાસો આપી રહ્યા હતા તેમણે મિર્યામને દોડી જતી જોઈ, અને તે કબર પર કલ્પાંત કરવા જાય છે એમ ધારીને તેની પાછળ પાછળ ગયા.


કેટલાક ભાવિક માણસોએ ભારે રુદન અને શોક સાથે સ્તેફનને દફનાવ્યો.


ઇઝરાયલી લોકોએ મોઆબના સપાટ પ્રદેશમાં ત્રીસ દિવસ સુધી મોશે માટે શોક પાળ્યો. પછી મોશે માટે શોકનો સમય પૂરો થયો.


તેણે તેને તેના રાજા તથા આસપાસનાં ગામો સહિત જીતી લીધું. તેમણે ત્યાં બધાંને મારી નાખ્યાં. યહોશુઆએ હેબ્રોન તથા લિબ્ના તથા તેમના રાજાઓના જેવા હાલહવાલ કર્યા હતા તેવા દબીર અને તેના રાજાના પણ કર્યા.


પ્રભુએ યહોશુઆને આપેલી આજ્ઞા પ્રમાણે યહૂદાના કુળપ્રદેશનો એક ભાગ યહૂદાના કુળના વંશજોમાં યફૂન્‍નેહના પુત્ર કાલેબને આપવામાં આવ્યો હતો. અનાકના પિતા આર્બાનું નગર હેબ્રોન તેને ભાગે આવ્યું હતું.


હમ્ટા, કિર્યાથ-આર્બા (એટલે હેબ્રોન), સીઓર; એ નવ નગરો તેમનાં ગામો સહિત.


તેથી તેમણે યર્દનની પશ્ર્વિમ તરફ નાફતાલીના પહાડીપ્રદેશમાં ગાલીલમાં આવેલા કેદેશને, એફ્રાઈમના પહાડી પ્રદેશમાં આવેલા શેખેમને અને યહૂદિયાના પહાડીપ્રદેશમાં આવેલા હેબ્રોનને તે માટે અલગ કર્યાં.


તેમને યહૂદિયાના પહાડીપ્રદેશમાં આવેલ કિર્યાથ-આર્બા (આર્બા તો અનાકનો પિતા હતો), જે હાલ હેબ્રોન કહેવાય છે તે તેની આસપાસનાં ગૌચર સહિત આપવામાં આવ્યું.


તેમણે હેબ્રોનમાં (જે અગાઉ કિર્યાથ આર્બા કહેવાતું હતું) વસતા કનાનીઓ પર ચડાઈ કરી. ત્યાં તેમણે શેશાય, અહિમાન અને તાલ્માયનાં ગોત્રોને હરાવ્યાં.


યિથાઈનો પુત્ર દાવિદ ધરતી પર જીવે છે ત્યાં સુધી તું કે તારું રાજ્યાસન સલામત નથી. તો હવે જા અને તેને અહીં લાવ, તેને ખતમ કરી દેવો પડશે.”


શમુએલ મરણ પામ્યો. સર્વ ઇઝરાયલીઓએ એકઠા થઈને તેને માટે શોક કર્યો. પછી તેમણે શમુએલને તેના વતન રામામાં દફનાવ્યો. દાવિદ અને અબિગાઇલ એ પછી દાવિદ પારાનના વેરાનપ્રદેશમાં ગયો.


હવે શમુએલ તો મરી ગયો હતો અને સર્વ ઇઝરાયલીઓએ તેને માટે શોક કર્યો હતો અને તેને તેના વતન રામામાં દફનાવ્યો હતો. શાઉલે ઇઝરાયલ દેશમાંથી સર્વ જાદુગરો અને મૃતાત્માનો સંપર્ક સાધનારાઓને તડીપાર કર્યા હતા.


Lean sinn:

Sanasan


Sanasan