Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 22:4 - પવિત્ર બાઇબલ C.L.

4 ત્રીજે દિવસે અબ્રાહામે નજર ઉઠાવીને દૂરથી તે સ્થળ જોયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ત્યારે ત્રીજે દિવસે ઇબ્રાહિમે પોતાની આંખો ઊંચી કરીને દૂરથી તે જગા જોઈ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ત્રીજા દિવસે ઇબ્રાહિમે દૂરથી તે જગ્યાને નિહાળી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 ત્રણ દિવસના પ્રવાસ પછી ઇબ્રાહિમે ઉપર જોયું અને જે જગ્યાએ એ જતાં હતા તે જગ્યા દૂર નજરે પડી.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 22:4
19 Iomraidhean Croise  

બીજે દિવસે વહેલી સવારે અબ્રાહામે દહનબલિ માટે લાકડાં કાપ્યાં, ગધેડાં પર બાંધ્યાં અને ઇસ્હાક તથા પોતાના બે નોકરોને સાથે લઈને પ્રભુએ તેને જે સ્થળે જવા આજ્ઞા કરી હતી તે તરફ ચાલી નીકળ્યો.


પછી તેણે પોતાના નોકરોને કહ્યું, “તમે અહીં ગધેડાની સાથે રહો. હું અને છોકરો ત્યાં જઈએ છીએ. ભજન કર્યા પછી અમે તમારી પાસે પાછા આવીશું.”


પાછા જઈને ઈશ્વરના લોકોના શાસક હિઝકિયા રાજાને આ સંદેશ આપવા જણાવ્યું: “મેં પ્રભુએ એટલે તારા પૂર્વજ દાવિદના ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ જોયાં છે. હું તને સાજો કરીશ અને ત્રણ દિવસમાં તો તું મંદિરમાં જશે.


ઉપવાસના ત્રીજા દિવસે એસ્તેર રાણીનો પોશાક પહેરીને રાજમહેલના અંદરના ચોકમાં રાજ્યાસનના ખંડ સામે ઊભી રહી. રાજા પ્રવેશદ્વાર તરફ મોં રાખી રાજ્યાસન પર બિરાજ્યો હતો.


પછી મોશે ઇઝરાયલીઓને સૂફ સમુદ્રથી આગળ લઈ ગયો અને તેઓ શૂરના રણપ્રદેશમાં આવ્યા. તેઓ ત્રણ દિવસ સુધી રણપ્રદેશમાં ચાલ્યા પણ તેમને પાણી મળ્યું નહિ.


અને ત્રીજા દિવસ માટે તૈયાર થાય. કારણ, તે દિવસે લોકો મને જુએ એ રીતે હું પર્વત પર ઊતરીશ.


મોશેએ તેમને કહ્યું, “ત્રીજા દિવસને માટે તૈયાર થાઓ. દરમ્યાનમાં, સ્ત્રીસમાગમથી દૂર રહેજો.”


મોશે અને આરોને જવાબ આપ્યો, “અમને હિબ્રૂઓના ઈશ્વરનો મેળાપ થયો છે. તેથી અમારી વિનંતી છે કે અમારા ઈશ્વર પ્રભુ સમક્ષ યજ્ઞ કરવા માટે મુસાફરી કરતાં ત્રણ દિવસ લાગે તેટલે દૂર અમને રણપ્રદેશમાં જવા દો. નહિ તો તે કદાચ અમારો રોગચાળાથી કે તલવારથી નાશ કરશે.”


બે દિવસમાં તે આપણામાં ચૈતન્ય લાવશે અને ત્રીજે દિવસે તો ઉઠાવશે.


પણ તે બલિદાનનું જે માંસ ત્રીજા દિવસ સુધી રહે તેને અગ્નિમાં બાળી નાખવું.


પ્રભુના પવિત્ર પર્વત સિનાઈથી તેઓ ચાલી નીકળ્યા અને ત્રણ દિવસ સુધી મુસાફરી કરી. પ્રભુની કરારપેટી તેમને માટે વિશ્રામનું સ્થાન શોધવા માટે તેમની આગળ રહેતી.


તેણે ત્રીજે અને સાતમે દિવસે શુદ્ધિકરણના પાણીથી પોતાનું શુદ્ધિકરણ કરવું. ત્યાર પછી તે શુદ્ધ ગણાશે. પણ જો તે ત્રીજા અને સાતમા બંને દિવસે પોતાને શુદ્ધ ન કરે તો તે શુદ્ધ થશે નહિ.


જે કોઈ શુદ્ધ હોય તેણે ત્રીજે અને સાતમે દિવસે અશુદ્ધ થયેલા માણસ ઉપર તે પાણી છાંટવું. સાતમે દિવસે તેણે એ માણસનું શુદ્ધિકરણ કરવું. અશુદ્ધ થયેલા માણસે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં, અને પાણીમાં સ્નાન કરવું, પછી સાંજે તે શુદ્ધ થયેલો ગણાશે.


તમારામાંના કોઈએ કોઈ માણસને મારી નાખ્યો હોય અથવા મૃતદેહનો સ્પર્શ કર્યો હયો તો તેણે સાત દિવસ સુધી પડાવ બહાર રહેવું. તમારે અને તમારી બંદીવાન સ્ત્રીઓએ ત્રીજે અને સાતમે દિવસે શુધિકરણનો વિધિ કરવો.


તેઓ તેને મારી નાખશે, પણ ત્રીજે દિવસે તેને મરણમાંથી સજીવન કરવામાં આવશે. આ સાંભળીને શિષ્યો દિલગીર થઈ ગયા.


ઈસુએ તેમને જવાબ આપ્યો, “એ શિયાળવાને જઈને કહો; હું આજે અને આવતીકાલે દુષ્ટાત્માઓ કાઢવાનો છું તથા લોકોને સાજા કરવાનો છું, પરમ દિવસે હું મારું કાર્ય પૂરું કરીશ.


તેમને દફનાવવામાં આવ્યા અને ત્રીજે દિવસે તે સજીવન થયા.


છાવણીમાં બધે ફરીને લોકોને કહો કે થોડો ખોરાક તૈયાર કરી લો, કારણ, પ્રભુ તમારા ઈશ્વર તમને જે દેશ વતન તરીકે આપે છે તેને પ્રાપ્ત કરવા માટે તમારે ત્રણ દિવસમાં યર્દન નદી ઓળંગવાની છે.


પછી દાવિદ ખીણ ઓળંગીને સામેની બાજુએ ટેકરીના શિખર પર પહોંચી ગયો; તેમની વચ્ચે ઘણું અંતર હતું.


Lean sinn:

Sanasan


Sanasan