Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 21:10 - પવિત્ર બાઇબલ C.L.

10 તેથી તેણે અબ્રાહામને કહ્યું, “આ દાસીને તથા તેના પુત્રને કાઢી મૂકો, કારણ, એ દાસીનો પુત્ર મારા પુત્ર ઇસ્હાક સાથે વારસ થઈ શકે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેથી તેણે ઇબ્રાહિમને કહ્યું, “આ દાસી તથા તેના દિકરાને કાઢી મૂક; કેમ કે એ દાસીનો દીકરો મારા દિકરા ઇસહાકની સાથે વારસ નહિ થશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેથી તેણે ઇબ્રાહિમને કહ્યું, “આ દાસી તથા તેના દીકરાને કાઢી મૂક: કેમ કે આ દાસીનો દીકરો મારા દીકરા ઇસહાકની સાથે વારસનો ભાગીદાર થશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તેથી સારાએ ઇબ્રાહિમને કહ્યું, “આ દાસી સ્ત્રી તથા તેના પુત્રને અહીંથી કાઢી મૂકો, આપણા મૃત્યુ પછી આપણી સંપત્તિનો માંલિક ઇસહાક જ થશે. હું નથી ઈચ્છતી કે, આ દાસીનો દીકરો માંરા દીકરા ઇસહાક સાથે વારસ થાય.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 21:10
17 Iomraidhean Croise  

ત્યારે ઈશ્વરે કહ્યું, “તારી પત્ની સારાને તારાથી એક પુત્ર જનમશે; તારે તેનું નામ ઈસ્હાક [અર્થાત્ તે હસે છે] પાડવું. હું તેની સાથે કરાર કરીશ. એ કરાર તેના વંશજોને માટે કાયમનો કરાર થશે.


પરંતુ આવતે વર્ષે નિયત સમયે સારા તારે માટે ઇસ્હાકને જન્મ આપશે. હું તેની સાથે મારો કરાર સ્થાપીશ.”


અબ્રાહામે કહ્યું, “મને થયું કે આ દેશમાં ઈશ્વરનો ડર નથી અને મારી પત્નીને લીધે આ લોકો મને મારી નાખશે.


પછી અબ્રાહામે પોતાના પુત્રને મારવા હાથમાં છરો ઉપાડયો.


અબ્રાહામના પુત્ર ઇસ્હાકની વંશાવળી આ પ્રમાણે છે: અબ્રાહામ ઇસ્હાકનો પિતા હતો.


પણ પોતાની ઉપપત્નીઓના પુત્રોને તો તેણે બક્ષિસો આપીને પોતે જીવતો હતો તે જ દરમ્યાન ઇસ્હાકથી દૂર પૂર્વપ્રદેશમાં મોકલી દીધા.


ઉદ્ધતને હાંકી કાઢશો તો કજિયાકંક્સ આપોઆપ શમી જશે; એ સાથે જ તકરાર અને ગાળાગાળી પણ ટળી જશે.


ત્યારે રાજાએ નોકરોને કહ્યું, ’તેના હાથપ બાંધીને તેને બહાર અંધકારમાં ફેંકી દો. ત્યાં તે રડયા કરશે ને દાંત કટકટાવીને દુ:ખી થશે.’


ગુલામ ઘરમાં કાયમ રહેતો નથી, પરંતુ પુત્ર કાયમ રહે છે.


કારણ, જો ઈશ્વરદત્ત વારસાનો આધાર નિયમશાસ્ત્ર પર હોય, તો પછી તેનો આધાર વરદાન પર નથી. પણ હકીક્તમાં ઈશ્વરે તો અબ્રાહામને એ વારસો વરદાનથી આપેલ છે.


આથી તમે હવે ગુલામ નથી, પણ પુત્રો છો અને તમે પુત્રો છો, તેથી ઈશ્વરે પોતાના પુત્રોને માટે જે કંઈ વારસો રાખ્યો છે, તે સર્વ તમને મળશે.


અને ઈશ્વરે પોતાના લોકોને માટે રાખી મૂકેલો વારસો મેળવવાની આપણે અપેક્ષા રાખીએ છીએ. ઈશ્વરે તે વારસો તમારે માટે સ્વર્ગમાં રાખી મૂક્યો છે અને તે અવિનાશી, નિર્મળ અને અક્ષય છે.


આ લોકો ખરેખર આપણા પક્ષના ન હતા અને તેથી જ તેઓ આપણામાંથી ચાલ્યા ગયા. જો તેઓ આપણા પક્ષના હોત તો તેઓ આપણી સાથે રહ્યા હોત. પણ તેઓ હવે ચાલ્યા ગયા હોવાથી સ્પષ્ટ થાય છે કે તેમનામાંનો કોઈ આપણા પક્ષનો હતો જ નહિ.


ગિલ્યાદથી તેની પત્નીને પણ પુત્રો થયા હતા. એ પુત્રો જ્યારે મોટા થયા ત્યારે તેમણે યફતાને ઘરમાંથી કાઢી મૂક્યો. તેમણે તેને કહ્યું, “તને અમારા પિતાના વારસામાંથી કંઈ મળશે નહિ; તું તો બીજી સ્ત્રીનો પુત્ર છે.”


Lean sinn:

Sanasan


Sanasan