Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 2:2 - પવિત્ર બાઇબલ C.L.

2 સાતમા દિવસ સુધીમાં તેમણે પોતાનું કાર્ય પૂર્ણ કર્યું અને સાતમે દિવસે તેમણે પોતાનાં સર્વ કામોથી વિશ્રામ લીધો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને ઈશ્વરે પોતાનું જે કામ કર્યું હતું તે તેમણે સાતમે દિવસે પૂરું કર્યું. અને પોતાનાં કરલાં સર્વ કામોથી તે સાતમે દિવસે સ્વસ્થ રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 ઈશ્વરે પોતાનું જે કામ હતું તે પૂર્ણ કર્યું અને પોતાનાં કરેલાં સર્વ કામોથી પરવારીને સાતમા દિવસે આરામ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 દેવ પોતે જે કામ કરતા હતા તે તેમણે પૂરું કર્યું. તેથી સાતમાં દિવસે દેવે પોતાનું કામ બંધ રાખ્યું.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 2:2
11 Iomraidhean Croise  

ઈશ્વરને પોતે બનાવેલું બધું ખૂબ સારું લાગ્યું. સાંજ પડી અને સવાર થયું. આ છઠ્ઠો દિવસ હતો.


ઈશ્વરે સાતમા દિવસને આશિષ આપી અને તેને પવિત્ર દિવસ તરીકે અલગ કર્યો; કારણ, તે દિવસે ઈશ્વરે પોતાનું સર્જનકાર્ય પૂર્ણ કરીને આરામ લીધો.


“તમે સપ્તાહના છ દિવસ કામ કરો, પરંતુ સાતમે દિવસે કંઈ કામ કરશો નહિ; એ માટે કે તમારે માટે કામ કરતાં દાસદાસીઓ તથા પરદેશીઓને તથા તમારાં ઢોરઢાંકને આરામ મળે.


છ દિવસ તમારે તમારાં સર્વ કામ કરવાં, પરંતુ સાતમો દિવસ સંપૂર્ણ આરામનો દિવસ છે અને મારે માટે અલગ કરાયેલો છે. સાબ્બાથદિને કાર્ય કરનાર નિશ્ર્વે માર્યો જાય.


એ સાબ્બાથદિન ઇઝરાયલી લોકો અને મારી વચ્ચેનું કાયમનું ચિહ્ન છે. કારણ, મેં પ્રભુએ છ દિવસમાં આકાશ તથા પૃથ્વીનું સર્જન કર્યું અને સાતમે દિવસે મેં કંઈ કાર્ય ન કરતાં આરામ કર્યો.”


પ્રભુ કહે છે, “જો તું સાબ્બાથનો ભંગ થાય તેવું કોઈ પગલું ન ભરે, મારા એ પવિત્ર દિવસે તારું પોતાનું કામક્જ બંધ રાખે, જો તું સાબ્બાથને આનંદદાયક અને મારા પવિત્ર દિવસ તરીકે માનપાત્ર ગણે, જો તું તે દિવસે મુસાફરી, ધંધોરોજગાર અને નિરર્થક વાતો નહિ કરતાં તેને માન આપીશ,


ઈસુએ તેમને જવાબ આપ્યો, “મારા પિતા હંમેશાં કાર્યરત રહે છે અને હું પણ કાર્ય કરું છું.”


પરંતુ સાતમો દિવસ તો મને, એટલે તમારા ઈશ્વર પ્રભુને અર્પિત કરેલો સાબ્બાથદિન છે. તે દિવસે તમે, તમારાં સંતાનો, તમારા દાસદાસીઓ, તમારો બળદ કે ગધેડું, તમારાં ઢોરઢાંક અથવા તમારા દેશમાં વસનાર પરદેશીઓ કંઈ કાર્ય ન કરો, જેથી તમારાં દાસદાસીઓને પણ આરામ મળે.


જેમ ઈશ્વરે પોતાનાં કાર્યોમાંથી વિશ્રામ કર્યો તેમ જે કોઈ ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશે છે તે પોતાનાં સર્વ કાર્યોમાંથી વિશ્રામ લે છે.


કારણ, સાતમા દિવસ સંબંધી પવિત્રશાસ્ત્રમાં એક જગ્યાએ આવું લખેલું છે: “ઈશ્વરે પોતાનાં સર્વ કાર્યોમાંથી સાતમે દિવસે વિશ્રામ લીધો.”


Lean sinn:

Sanasan


Sanasan