Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 8:1 - પવિત્ર બાઇબલ C.L.

1 સમ્રાટ આર્તાશાસ્તાના શાસનકાળમાં એઝરા સાથે બેબિલોનથી પાછા આવેલા ગોત્રના આગેવાન પૂર્વજોની યાદી આ પ્રમાણે છે:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે આર્તાહશાસ્તા રાજાની કારકિર્દીમાં જેઓ મારી સાથે બાબિલથી આવ્યા તેઓના પોતૃઓનાં [કુટુંબોના] વડીલોની વંશાવળી આ છે:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 આર્તાહશાસ્તા રાજાના શાસનકાળ દરમિયાન બાબિલથી મારી સાથે જેઓ યરુશાલેમ આવ્યા હતા તેઓના પૂર્વજોના વડીલોની વંશાવળી આ પ્રમાણે છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 આર્તાહશાસ્તા રાજાના શાસનકાળ દરમ્યાન બાબિલથી મારી સાથે જેઓ આવ્યા હતા તેઓના કુટુંબના વડવાઓના નામ આ મુજબ છે:

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 8:1
16 Iomraidhean Croise  

તેમના ભાઈઓ આરોનના વંશજોની જેમ તેમણે પણ ચિઠ્ઠીઓ નાખી. દાવિદ રાજા, સાદોક, અહિમેલેખ તથા યજ્ઞકાર અને લેવીના કુટુંબોના વડાઓ તેના સાક્ષી હતા. એમાં નાનાં કે મોટાં કુટુંબોનો ભેદ રાખવામાં આવ્યો ન હતો.


દાવિદ રાજાએ યેરિયાના સગાંસંબંધીઓમાંથી બે હજાર સાતસો કાર્યદક્ષ કુટુંબ-વડાઓ પસંદ કર્યા, અને યર્દન નદીની પૂર્વગમ રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાના પ્રાંતોમાં ઇઝરાયલીઓની ધાર્મિક અને રાજકીય સેવાને લગતી બાબતોનો વહીવટ તેમને સોંપ્યો.


અને એ નગરોની આસપાસનાં ગામડાંઓમાં છેક બાઆલનગર સુધી વસ્યા હતા. તેમણે તેમનાં કુટુંબો અને વસવાટનાં સ્થળોની રાખેલી આ નોંધ છે.


ઇઝરાયલના બધા લોકોની કુટુંબવાર વંશાવળી ઇઝરાયલના રાજાઓના ગ્રંથમાં નોંધવામાં આવી. યહૂદાના લોકોને તેમના પાપની શિક્ષારૂપે બેબિલોનમાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા.


એ બધા માણસો વંશાવળી પ્રમાણે લેવી કુટુંબોના વડા હતા અને યરુશાલેમમાં રહેતા હતા.


સૈન્યમાં ગોત્રવાર ઉપરી તરીકે બે હજાર છસો અધિકારીઓ હતા.


ત્યારે યહૂદા અને બિન્યામીનના કુળના ગોત્રોના આગેવાનો, યજ્ઞકારો, લેવીઓ તથા જેમના મનમાં ઈશ્વરે પ્રેરણા કરી એવા સૌ કોઈ યરુશાલેમમાંના પ્રભુના મંદિરને ફરીથી બાંધવા માટે જવા તૈયાર થયા.


તેઓ આ માણસોની આગેવાની હેઠળ પાછા ફર્યા: ઝરૂબ્બાબેલ, યહોશુઆ, નહેમ્યા, સરાયા, રેલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ બાઅના.


દેશનિકાલમાંથી પાછા ફરેલાઓની તેમનાં કુટુંબો પ્રમાણે વંશજોની સંખ્યા નીચે મુજબ છે: પારોશ — 2,172 શફાટયા — 372 આરા — 775 પાહાથ-મોઆબ (યેશૂઆ અને યોઆબના વંશજો) — 2,812 એલામ — 1,254 ઝાત્તુ — 945 ઝાકક્ય — 760 બાની — 642 બેબાય — 623 આઝગાદ— 1,222 અદોનીકામ — 666 બિગ્વાય — 2,056 આદીન — 454 આટેર (હિઝકિયા) — 98 બેસાય — 323 યોરા — 112 હાશૂમ — 112 ગિબ્બાર — 95


“મારા સામ્રાજ્યમાંથી તારી સાથે યરુશાલેમ આવવા માગતા સર્વ ઇઝરાયલીઓ, યજ્ઞકારો અને લેવીઓને હું ત્યાં જવાની પરવાનગી આપું છું.


ઈશ્વરની કૃપાથી મને રાજા, તેમના સલાહકારો અને પરાક્રમી અમલદારોની સદ્ભાવના પ્રાપ્ત થઈ છે. ઈશ્વરે મને હિંમત આપી તેથી મેં ઇઝરાયલના ગોત્રોના કેટલાક આગેવાનોને મારી સાથે આવવા તૈયાર કર્યા છે.”


એ જ એઝરા બેબિલોનથી યરુશાલેમ આવ્યો. એઝરા તો ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ મોશેને આપેલા નિયમશાસ્ત્રનો વિદ્વાન શાસ્ત્રી હતો. એઝરા પર પ્રભુની કૃપાદૃષ્ટિ હોવાથી તેણે જે કંઈ માગ્યું તે બધું રાજાએ તેને આપ્યું.


તેની સાથે યજ્ઞકારો, લેવીઓ, મંદિરના સંગીતકારો, સંરક્ષકો અને સેવકો પણ ગયા.


ફિનહાસના ગોત્રનો ગેર્શોમ, ઇથામારના ગોત્રનો દાનિયેલ, દાવિદના ગોત્રનો શખાન્યાનો પુત્ર હાટ્ટુશ,


Lean sinn:

Sanasan


Sanasan