Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 6:20 - પવિત્ર બાઇબલ C.L.

20 બધા યજ્ઞકારો અને લેવીઓએ પોતાને પવિત્ર કર્યા હતા અને તેઓ વિધિ પ્રમાણે શુદ્ધ હતા. તેમણે દેશનિકાલમાંથી પાછા આવેલા લોકો માટે એટલે, પોતાને માટે, પોતાના સાથી યજ્ઞકારો માટે તથા લોકો માટે પાસ્ખાયજ્ઞના હલવાન કાપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 યાજકોએ પોતાને પવિત્ર કર્યા હતા; તેઓ સર્વ પવિત્ર હતા. બંદિવાસમાંથી આવેલા સર્વ લોકોને માટે, તથા પોતાને માટે લેવીઓએ પાસ્ખા કાપ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 યાજકોએ તથા લેવીઓએ પોતાનું શુદ્ધિકરણ કર્યું હતું અને બંદીવાસમાંથી આવેલા સર્વ લોકોને માટે તથા પોતાને માટે લેવીઓએ પાસ્ખા કાપ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 બધા જ યાજકો અને લેવીઓએ પોતાનું શુદ્ધિકરણ કર્યુ હતું અને તેઓ હવે વિધિવત્ત શુદ્ધ હતા. લેવીઓએ બંદીવાસમાંથી આવેલા સર્વ લોકો તેમના સગાંવહાંલા, યાજકો અને પોતાને માટે પાસ્ખાના હલવાનનો વધ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 6:20
7 Iomraidhean Croise  

આ બધાં પશુઓ કાપવા પોતાને વિધિગત રીતે શુદ્ધ રાખવા સંબંધમાં પૂરતી સંખ્યામાં યજ્ઞકારો ઉપલબ્ધ ન હોઈ, કામ પૂર્ણ થયું ત્યાં સુધી લેવીઓએ તેમને મદદ કરી. દરમ્યાનમાં, બીજા વધારાના યજ્ઞકારોએ પોતાને શુદ્ધ કર્યા. (યજ્ઞકારોની સરખામણીમાં પોતાને શુદ્ધ રાખવામાં લેવીઓ વિશેષ વિશ્વાસુ હતા).


હલવાન અને લવારાં કપાયા પછી લેવીઓએ તેમનાં ચામડાં ઉતાર્યાં અને યજ્ઞકારોએ લેવીઓ પાસેથી રક્ત લઈને વેદી પર તેનો છંટકાવ કર્યો.


એ કર્યા પછી લેવીઓએ પોતાને માટે તેમજ યજ્ઞકારો માટે માંસ રાખી લીધું; કારણ, આરોનવંશી યજ્ઞકારો છેક રાત સુધી પૂર્ણ દહનબલિ અને ધાન્યબલિની ચરબીનું દહન કરવામાં વ્યસ્ત રહ્યા.


આસાફના ગોત્રના નીચે જણાવેલ લેવી સંગીતકારો દાવિદ રાજાની સૂચના પ્રમાણે તેમના નિયત સ્થાને ઊભા હતા: આસાફ, હેમાન, અને રાજાનો સંદેશવાહક યદૂથૂન. મંદિરના દરવાજાના રક્ષકોએ તેમનું સ્થાન છોડવાનું નહોતું, કારણ, બીજા લેવીઓ તેમને માટે પાસ્ખા બલિદાન તૈયાર કરતા હતા.


મોશેએ ઇઝરાયલના સર્વ આગેવાનોને બોલાવીને તેમને કહ્યું, “જાઓ, તમારા કુટુંબના પ્રમાણમાં હલવાન લાવીને કાપો; જેથી તમારાં કુટુંબો પાસ્ખાપર્વ ઊજવી શકે.


તેથી બીજા પ્રમુખ યજ્ઞકારોની જેમ તેમને દરરોજ પ્રથમ પોતાનાં પાપોને માટે અને પછી લોકોનાં પાપોને માટે બલિદાન અર્પવાં પડતાં નથી. તેમણે પોતાનું અર્પણ કર્યું ત્યારે તેમણે હંમેશને માટે પર્યાપ્ત એવું બલિદાન એક જ વખત કર્યું.


Lean sinn:

Sanasan


Sanasan