Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 5:15 - પવિત્ર બાઇબલ C.L.

15 વળી, સમ્રાટે એવો આદેશ પણ કર્યો હતો કે આ પાત્રો યરુશાલેમના મંદિરમાં લઈ જવામાં આવે અને મંદિરને તેના મૂળ સ્થાને ફરીથી બાંધવામાં આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને કોરેશે તેને ફરામાવ્યું કે, આ પાત્રોને યરુશાલેમનાં મંદિરમાં પાછા મૂક; અને ઈશ્વરનું મંદિર તેની અસલ જગાએ બંધાવ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેણે તેને કહ્યું, “આ સર્વ વસ્તુઓ લઈને યરુશાલેમના ભક્તિસ્થાનમાં પાછી મૂક. ઈશ્વરના સભાસ્થાનને તેની મૂળ જગ્યાએ ફરીથી બંધાવ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 “રાજાએ તેને સૂચના આપી કે, તે સર્વ વસ્તુઓ યરૂશાલેમના મંદિરમાં પાછી મોકલે અને દેવના મંદિરને તેની અસલ જગ્યાએ બંધાવે.”

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 5:15
5 Iomraidhean Croise  

તેનો આદેશ આ પ્રમાણે હતો: “ઈરાનનો સમ્રાટ હું કોરેશ પોતે આ આદેશ આપું છું. આકાશના ઈશ્વર પ્રભુએ મને સમગ્ર દુનિયાનાં રાજ્યો પર સત્તા આપી છે અને યહૂદિયામાંના યરુશાલેમમાં તેમને માટે મંદિર બાંધવાની જવાબદારી સોંપી છે.


તેમને આસપાસના લોકોનો ભય હોવા છતાં વેદીને તેના મૂળ સ્થાને જ બાંધી. તે પછી તેમણે સવારસાંજનાં નિયમિત બલિદાનો ચડાવવાનું ફરીથી ચાલુ કર્યું.


વળી, સમ્રાટ કોરેશે યરુશાલેમમાં આવેલા ઈશ્વરના મંદિરનાં જે પાત્રો સમ્રાટ નબૂખાદનેસ્સાર બેબિલોનના મંદિરમાં લઈ ગયેલા તે પણ પાંછા આપવાની આજ્ઞા કરી હતી. સમ્રાટ કોરેશે, જેને તેમણે યહૂદિયાના રાજ્યપાલ તરીકે નીમ્યો હતો તે શેશ્બાસ્સારને તે પાત્રો સોંપ્યાં હતાં.


તેથી શેશ્બાસ્સારે યરુશાલેમ આવીને ઈશ્વરના મંદિરનો પાયો નાખ્યો, ત્યારથી બાંધકામ ચાલુ છે અને હજી પૂરું થયું નથી.


તેમાં આ પ્રમાણે નોંધ હતી: “સમ્રાટ કોરેશે પોતાના શાસનકાળના પ્રથમ વર્ષે એવો હુકમ આપ્યો કે બલિદાનો તથા અર્પણો ચડાવવાના સ્થાન યરુશાલેમના મંદિરને ફરીથી બાંધવું. તેના પાયા પર જ કામ કરવું અને મંદિર આશરે સત્તાવીશ મીટર ઊંચું અને સત્તાવીશ મીટર લાંબું રાખવું.


Lean sinn:

Sanasan


Sanasan