Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 7:6 - પવિત્ર બાઇબલ C.L.

6 અંત, અરે, તારો અંત જ આવી પહોંચ્યો છે. અત્યારે તે તારી સામે ખડો છે ને આવી લાગ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અંત આવ્યો છે, ખુદ અંત આવ્યો છે; તે તારી વિરુદ્ધ જાગૃત થાય છે! જો, તે આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 અંત નિશ્ચે આવી રહ્યો છે. અંતે તારી વિરુદ્ધ જાગૃત થાય છે! જો, તે આવે છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 અંત આવી રહ્યો છે. તમારો અંત આવી રહ્યો છે, અત્યારે જ આવી રહ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 7:6
11 Iomraidhean Croise  

તમે આબાદ નહિ, પણ બરબાદ થાઓ તેનું હું બરાબર ધ્યાન રાખીશ. ઇજિપ્તમાં વસેલા યહૂદિયાના બધા લોકો ખતમ થઈ જાય ત્યાં સુધી તેઓ યુદ્ધથી અને ભૂખમરાથી નાશ પામતા રહેશે.


દુશ્મનો અમારા પર ચાંપતી નજર રાખતા હતા; તેથી અમે અમારા રસ્તાઓ પર પણ ફરી શક્તા નહોતા. અમારા દિવસો પૂરા થયા છે; અમારો અંત નજીક આવી પહોંચ્યો છે.


તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: હું એ કહેવતનો અંત આણી દઇશ, અને તેઓ ઇઝરાયલમાં એ ફરી કદી દોહરાવશે નહિ. તેને બદલે તું તેમને કહે, “સમય આવી પહોંચ્યો છે અને પ્રત્યેક સંદર્શન પરિપૂર્ણ થશે!


દુષ્ટ અને અપવિત્ર શાસક, તારો અંત આવી ગયો છે. તારી આખરી શિક્ષાનો દિવસ આવી પહોંચ્યો છે.


પ્રભુ પરમેશ્વર કહે છે: “આ બધું બનશે જ. જે દિવસ વિષે મેં કહ્યું છે તે જરૂર આવશે.


જુઓ, એ દિવસ આવી પહોંચ્યો છે. તમારો સર્વનાશનો દિવસ આવી પહોંચ્યો છે. હિંસા ખીલી ઊઠી છે અને અંહકાર ફાલ્યોફૂલ્યો છે.


તારો અંત નજીક આવ્યો છે. હું મારો કોપ તારા પર રેડી દઈશ અને તારાં આચરણ અનુસાર તારો ન્યાય કરીશ, અને તારાં ધિક્કારપાત્ર કાર્યોનો હું બદલો વાળીશ.


ઓ દેશના નિવાસીઓ, તમારું આવી બન્યું છે. સમય આવી પહોંચ્યો છે, પર્વતો પરનાં પૂજાસ્થાનોમાં હર્ષનાદનો નહિ, પણ ધાંધલધમાલનો એ દિવસ નજદીક છે.


પ્રભુએ મને પૂછયું, “આમોસ, તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “પાકેલાં ફળોની ટોપલી.” પ્રભુએ મને કહ્યું, “મારા ઇઝરાયલી લોકોનો સમય પાકી ચૂકયો છે. હવે તેમને સજા કરવા અંગેનો મારો વિચાર હું બદલીશ નહિ.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “તલવાર, જાગૃત થા! મારે માટે ક્મ કરનાર ઘેટાંપાળક પર હુમલો કર; તેને મારી નાખ, એટલે ઘેટાં વિખેરાઇ જશે; હું મારા લોક પર પ્રહાર કરીશ,


પ્રાચીન દુનિયાને પણ ઈશ્વરે છોડી નહિ, પણ નાસ્તિક લોકોની દુનિયા પર જળપ્રલય મોકલ્યો. ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં કેવી રીતે આવી શકાય તેનો ઉપદેશ કરનાર નૂહ અને તેની સાથે બીજા સાત માણસોને તેમણે બચાવ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan