Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 45:1 - પવિત્ર બાઇબલ C.L.

1 “જ્યારે તમે ચિઠ્ઠી નાખીને ઇઝરાયલ દેશની ભૂમિનું વિભિન્‍ન કુળો વચ્ચે વિતરણ કરો ત્યારે ભૂમિનો એક ભાગ પ્રભુને માટે અલગ કરવો. પ્રભુને અર્પિત ભૂમિની લંબાઈ સાડા બાર કિલોમીટર અને પહોળાઈ પાંચ કિલોમીટર રાખવી. આ સમગ્ર ભૂમિ વિસ્તાર પ્રભુને માટે પવિત્ર ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 વળી, જ્યારે તમે ઈશ્વર સમક્ષ ચિઠ્ઠી નાખીને દેશનો વારસો વહેંચી લો ત્યારે તમારે યહોવાને એક અર્પણ ચઢાવવું, એટલે તે દેશનો અમુક ભાગ અર્પણ કરવો; તે ભાગ પચીસ હજાર દંડ લાંબો, ને દશ હજાર દંડ પહોળો હોય. તે તેની ચારે તરફની સીમા સુધી પવિત્ર ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જ્યારે તમે ચિઠ્ઠી નાખીને વારસો વહેંચી લો ત્યારે તમારે યહોવાહને અર્પણ ચઢાવવું; એટલે કે તે દેશનો અમુક ભાગ અર્પણ કરવો. તે ભાગ પચીસ હજાર હાથ લાંબો તથા દસ હજાર હાથ પહોળો હોય. તેની ચારે બાજુનો ભાગ પવિત્ર ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 “જ્યારે તમે ચિઠ્ઠી નાખીને વંશો વચ્ચે જમીનની વહેંચણી કરો ત્યારે 25,000 હાથ લાંબી અને 25,000 હાથ પહોળી જમીન યહોવા માટે જુદી કાઢવી. એ બધી જ જમીન પવિત્ર ગણાશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 45:1
15 Iomraidhean Croise  

તારી સંપત્તિ વડે પ્રભુનું સન્માન કર, અને તારી સર્વ ઊપજના પ્રથમફળનું તેમને અર્પણ ચડાવ.


તેણે માપવાના ગજ વડે પૂર્વની બાજુ માપી તો તેનું માપ બસો પચાસ મીટર થયું.


પ્રભુ પરમેશ્વરે કહ્યું, “આ પ્રમાણે તમારે ઇઝરાયલનાં કુળોને ચિઠ્ઠીઓ નાખીને જમીનની વહેંચણી કરી આપવાની છે, અને તેમના જુદા જુદા હિસ્સા ઉપર પ્રમાણે છે.”


“તમારે જમીનનું કાયમી ધોરણે વેચાણ કરવું નહિ. કારણ, જમીન તમારી નહિ, પણ મારી છે. તમે તો ફક્ત પરદેશીઓની માફક તેનો ઉપયોગ કરનારા છો.


તેથી મોશેએ ઇઝરાયલીઓને આજ્ઞા આપીને કહ્યું, “પાસા નાખીને તમારે આ પ્રદેશ પહેંચી લેવાનો છે. પ્રભુએ આ દેશ નવ કુળો અને એક અર્ધા કુળને આપ્યો છે.


એમાં લબાનોનના પર્વતો અને મિસ્રેફોથ-માઇમની વચ્ચે વસતા સિદોનીઓના સમગ્ર પહાડી- પ્રદેશનો સમાવેશ થાય છે.


ઇઝરાયલના લોકો આગળ વધતા જાય તેમ તેમ હું એ બધા લોકોને હાંકી કાઢીશ. તારે તો મેં તને આપેલી આજ્ઞા પ્રમાણે ઇઝરાયલીઓને એ પ્રદેશ વહેંચી આપવાનો છે. તો હવે બાકીનાં નવ કુળો તથા મનાશ્શાના અર્ધા કુળને તેમના કાયમી વતન તરીકે આ પ્રદેશ વહેંચી આપ.”


ઇઝરાયલી લોકોને યર્દનની પશ્ર્વિમ તરફ કનાન દેશમાં ફાળવી આપવામાં આવેલ વિસ્તારની હકીક્તો આ પ્રમાણે છે. યજ્ઞકાર એલાઝાર, નૂનનો પુત્ર યહોશુઆ અને ઇઝરાયલી કુળોનાં ગોત્રના આગેવાનોએ લોકો વચ્ચે દેશ વહેંચી આપ્યો.


પ્રભુએ મોશેને આજ્ઞા આપી હતી તે પ્રમાણે નવ કુળો અને અર્ધાકુળને યર્દનની પશ્ર્વિમ તરફનો વિસ્તાર પાસા નાખીને વહેંચવામાં આવ્યો.


બાકીનાં બે કુળ અને એક અર્ધાકુળને તો મોશેએ યર્દનની પૂર્વ તરફનો વિસ્તાર અગાઉ ફાળવી દીધો હતો.


Lean sinn:

Sanasan


Sanasan