Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 42:14 - પવિત્ર બાઇબલ C.L.

14 મંદિરમાં દાખલ થયા પછી યજ્ઞકારો સીધા બહારના ચોકમાં જશે નહિ, અને જો તેમણે જવું હોય તો સેવાકાર્ય કરતી વખતે પહેરેલાં વસ્ત્રો ઉતારીને તે ખંડોમાં મૂકી દેવાં, કારણ, તે વસ્ત્રો પવિત્ર છે. તેમણે સામાન્ય જનસમૂહ માટે નિયુક્ત થયેલા સ્થાનમાં બીજાં વસ્ત્રો પહેરીને જ જવું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અંદર ગયા પછી યાજકોએ એ પવિત્રસ્થાનમાંથી બહારના ચોકમાં ન નીકળવું, પણ સેવા કરતી વખતે પહેરવાનાં વસ્ત્રો તેઓએ ત્યાં જ રાખી મૂકવાં; કેમ કે તેઓ પવિત્ર છે; અને બીજાં વસ્ત્ર પહેરીને તેઓએ લોકોના [ચોક] માં આવવું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 યાજકોએ તેમાં પ્રવેશ કર્યા પછી તેઓએ પવિત્રસ્થાનમાંથી બહારના આંગણાંમાં જવું નહિ, સેવા કરતી વખતે પહેરવાનાં વસ્ત્રો તેઓએ ત્યાં જ રાખવાં, કેમ કે તેઓ પવિત્ર છે. જેથી તેઓએ લોકોની પાસે જતા પહેલાં બીજાં વસ્ત્રો પહેરવા.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 મંદિરમાં એકવાર પ્રવેશ્યા પછી યાજકોએ બહારના ચોકમાં જવું હોય તો તેમના વસ્ત્રો ઉતારી આ ઓરડીઓમાં મૂકવાના, કારણ કે તે વસ્ત્રો પવિત્ર છે લોકો પ્રવેશી શકે એ જગ્યાએ તેઓ જાય ત્યારે તેઓએ બીજા વસ્ત્રો પહેરવાં.”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 42:14
16 Iomraidhean Croise  

હું પ્રભુમાં અતિશય આનંદ કરીશ અને મારો જીવ મારા ઈશ્વરમાં હરખાશે. કારણ, જેમ વર યજ્ઞકારની માફક માથે પાઘડી પહેરી પોતાને શોભાયમાન કરે અને કન્યા પોતાને આભૂષણોથી શણગારે તેમ તેમણે મને ઉદ્ધારનાં વસ્ત્ર પહેરાવ્યાં છે અને મને ન્યાયદત્ત છુટકારાનો ઝભ્ભો ઓઢાડયો છે.


તે માણસ મને મંદિરની બહારના પૂર્વમુખી દરવાજા પાસે પાછો લઈ ગયો. તે બંધ હતો.


તેઓ બહારના ચોકમાં લોકો પાસે જાય તે પહેલાં તેમણે મંદિરમાં સેવા કરતી વખતે પહેરેલાં વસ્ત્રો ઉતારવાં અને તેમને પવિત્ર ઓરડીઓમાં મૂકી દેવાં. તેઓ બીજાં વસ્ત્રો પહેરીને લોકો પાસે જાય, નહિ તો તેમનાં પવિત્ર વસ્ત્રોનો સ્પર્શ થવાથી લોકો પર દૈવી કોપ આવી પડશે.


“બકરાને વેરાનપ્રદેશમાં મોકલી આપ્યા પછી આરોન મુલાકાતમંડપમાં પાછો આવે. પવિત્રસ્થાનમાં જતી વખતે પોતે પહેરેલાં યજ્ઞકારનાં વસ્ત્રો તે ત્યાં ઉતારી મૂકે.


તેણે પવિત્રસ્થળે સ્નાન કરવું અને પોતાનાં બીજાં વસ્ત્રો પહેરી લેવાં. તે પછી તેણે બહાર જઈને પોતાનાં અને લોકોનાં પાપ માટે દહનબલિ ચડાવવો.


પછી મોશેએ આરોનના પુત્રોને આગળ બોલાવ્યા. તેણે તેમને ઝભ્ભા પહેરાવ્યા, કમરે કમરબંધ બાંધ્યો અને માથે પાઘડી પહેરાવી. તેણે તે બધું પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું.


પછી તેણે આરોનને ડગલો પહેરાવ્યો. તેની કમરે પટ્ટો બાંધ્યો. તેને ઝભ્ભો પહેરાવ્યો અને સુંદર કારીગરીથી વણેલો એફોદ પહેરાવી તેના પર કમરપટ્ટો બાંધી દીધો.


ઈસુએ તેને કહ્યું, “જે કોઈ હળ ઉપર હાથ મૂક્યા પછી પાછું જુએ છે તે ઈશ્વરના રાજને માટે લાયક નથી.”


પણ તમારા બખ્તર તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અને તમારા દેહની વાસનાઓ સંતોષવા તરફ ધ્યાન ન આપો.


ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર બધાને ઈશ્વર સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકારે છે. આ બાબતમાં કોઈ જ પ્રકારનો ભેદભાવ નથી.


ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધમાં તમને બાપ્તિસ્મા આપવામાં આવ્યું છે; તેથી તમે ખ્રિસ્તનું જીવન અપનાવી લીધું છે.


તે જ પ્રમાણે, તમારા યુવાનોએ આગેવાનોને આધીન રહેવું. તમે એકબીજાની સેવા કરી શકો માટે તમારે બધાએ નમ્રતા ધારણ કરવી. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “ઈશ્વર અભિમાનીનો તિરસ્કાર કરે છે પણ નમ્રને કૃપા આપે છે.”


Lean sinn:

Sanasan


Sanasan