Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 42:13 - પવિત્ર બાઇબલ C.L.

13 પછી તે માણસે મને કહ્યું: “આ બંને ઈમારતો પવિત્ર છે. તેમાં પ્રભુની સેવામાં જોડાયેલા યજ્ઞકારો સૌથી પવિત્ર અર્પણો ખાય છે. યજ્ઞકારો અને પવિત્ર ખંડોમાં સૌથી પવિત્ર વસ્તુઓ એટલે ધાન્યઅર્પણ, પ્રાયશ્ર્વિતબલિ અને દોષનિવારણ બલિ મૂકશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પછી તેણે મને કહ્યું, “અલગ જગાની આગળ જે ઉત્તરની ઓરડીઓ તથા દક્ષિણની ઓરડીઓ છે તે પવિત્ર ઓરડીઓ છે. ત્યાં યાજકોએ પરમપવિત્ર વસ્તુઓ ખાવી, ત્યાં તેઓએ પરમપવિત્ર વસ્તુઓ ખાદ્યાર્પણો, પાપાર્થાર્પણો તથા દોષાર્થાર્પણો મૂકવાં, કેમ કે સ્થાન પવિત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તે માણસે મને કહ્યું, “ઉત્તર તરફની ઓરડીઓ તથા દક્ષિણ તરફની ઓરડીઓ પવિત્ર ઓરડીઓ છે, જ્યાં યહોવાહની સેવા કરનાર યાજકો પરમપવિત્ર અર્પણો ખાય છે. તેઓ ત્યાં અતિ પવિત્ર વસ્તુઓ અર્પણ કરે છે એટલે ખાદ્યાર્પણો, પાપાર્થાર્પણો તથા દોષાર્થાર્પણો, કેમ કે તે પવિત્ર સ્થાન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 પેલા માણસે મને કહ્યું, “આ બંને ઇમારતો પવિત્ર છે, એમાં યહોવાની સેવા કરનાર યાજકો પરમપવિત્ર અર્પણો ખાય છે એટલે કે યાજકો એમાં ખાદ્યાર્પણો, પાપાર્થાર્પણો અને દોષાર્થાર્પણો મૂકે છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 42:13
27 Iomraidhean Croise  

તેણે ટોબિયાને ભંડારનો એક મોટો ઓરડો વાપરવા માટે આપ્યો. એ ઓરડો તો ધાન્ય-અર્પણો, લોબાન, મંદિરનાં પાત્રો, યજ્ઞકારો માટેનાં અર્પણો, લેવીઓને આપવામાં આવેલ અનાજ, દ્રાક્ષાસવ અને ઓલિવ તેલના દશાંશો અને મંદિરના સંગીતકારો અને સંરક્ષકોને અપાયેલાં દાન રાખવા માટે હતો.


“આરોન તથા તેના પુત્રોની દીક્ષા માટે વપરાયેલા ઘેટાનું માંસ લઈને તારે પવિત્ર જગ્યામાં બાફવું.


બહારના ચોકમાં અંદરના દરવાજાને અડોઅડ એક નાની ઓરડી હતી. તેમાં થઇને દરવાજાના પ્રવેશમાર્ગમાં જવાતું હતું. અહીં દહનબલિ માટેનાં પશુઓના મૃતદેહો ધોવામાં આવતા હતા.


અને ઉત્તર દિશા તરફના મુખવાળો ખંડ વેદીની જવાબદારી સંભાળતા યજ્ઞકારો માટે છે. તેઓ સાદોકવંશી યજ્ઞકારો છે. લેવીના વંશજોમાંથી પ્રભુની સેવા કરવા માટે માત્ર તેઓ જ પ્રભુની હજૂરમાં આવી શકે છે.


મંદિરની પશ્ર્વિમ બાજુએ એક મકાન હતું, જે ખુલ્લી જગ્યાને છેડે હતું. તેની લંબાઇ પિસ્તાળીસ મીટર અને પહોળાઈ પાંત્રીસ મીટર હતી. તેની ચારે તરફની દીવાલો અઢી મીટર જાડી હતી.


પછી તે મને ઉત્તર તરફના બહારના ચોકમાં લઈ ગયો. તે મને મંદિરની ફરતેની ખુલ્લી જગ્યા અને ઉત્તરના બાંધકામની વચ્ચેની ઓરડીઓમાં લઈ આવ્યો.


વળી, મંદિરના ચોકની પૂર્વ તરફની દીવાલમાં પણ બીજો પ્રવેશમાર્ગ હતો. તે દક્ષિણની બહારની દીવાલ અને મંદિરના મકાનની વચ્ચે આવેલી ઓરડીઓના વિસ્તારની મોખરે હતો. એ ઓરડીઓ પણ લંબાઈ અને પહોળાઈ, તથા તેમના ઘાટ અને આયોજનમાં ઉત્તર તરફની ઓરડીઓ જેવી જ હતી. એમનાં બારણાં દક્ષિણ તરફનાં હતાં. તેમની વચ્ચેના રસ્તાનું પ્રવેશદ્વાર પૂર્વ તરફ હતું; અને ઓરડીઓના વિસ્તારમાં ત્યાંથી આવતું હતું.


તે બોલ્યો, “તમે શા માટે એ પ્રાયશ્ર્વિતબલિ પવિત્રસ્થાનમાં બેસીને ખાધો નહિ? એ તો અતિ પવિત્ર છે. વળી, સમગ્ર ઇઝરાયલી સમાજનું પાપ દૂર કરવા માટે પ્રભુએ તે તમને આપ્યો હતો.


પછી મોશેએ આરોનને કહ્યું, “આ તો પ્રભુએ જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે જ બન્યું છે. ‘મારી સેવા કરનારાઓએ મારી પવિત્રતાની અદબ જાળવવી જોઈએ. હું મારું ગૌરવ મારા લોક સમક્ષ પ્રગટ કરીશ.’ ” પરંતુ આરોન શાંત રહ્યો.


“ત્યાર પછી પવિત્ર સ્થળે જ્યાં પ્રાયશ્ર્વિતબલિ અને દહનબલિ કપાય છે ત્યાં તે ઘેટાંને કાપે. પ્રાયશ્ર્વિતબલિની માફક જ દોષનિવારણબલિ યજ્ઞકારનો ભાગ છે; તે અતિ પવિત્ર છે.


ધાન્યઅર્પણનો બાકીનો ભાગ યજ્ઞકારને મળે. તે અતિ પવિત્ર છે; કારણ, પ્રભુને ચડાવેલા ધાન્ય અર્પણમાંથી તે લેવામાં આવ્યો છે.


ધાન્ય અર્પણનો બાકીનો ભાગ યજ્ઞકારને મળે. તે અતિ પવિત્ર છે; કારણ, પ્રભુને ચડાવેલા ધાન્ય અર્પણમાંથી તે લેવામાં આવ્યો છે.


તે ઈશ્વરને અર્પિત રોટલીમાંથી અને અતિપવિત્ર તથા પવિત્ર અર્પણોમાંથી ખાઈ શકે;


આ રોટલી આરોન અને તેના વંશજોની થાય. પવિત્રસ્થાનમાં તે ખાવામાં આવે; કારણ, પ્રભુને ચડાવવામાં આવેલ અર્પણમાંથી યજ્ઞકારો માટેનો તે અતિ પવિત્ર હિસ્સો છે.


પ્રભુએ મોશેને કહ્યું, “આરોનવંશી યજ્ઞકારના અભિષેક માટે આ નિયમ છે: પોતાના અભિષેકના દિવસે તેણે પ્રભુને આ પ્રમાણેનું અર્પણ ચડાવવું. દરરોજના ધાન્યઅર્પણ જેટલો એટલે એક કિલો ઝીણો લોટ અર્ધો સવારે અને બાકીનો સાંજે ચડાવવો.


યજ્ઞકાર કુટુંબનો કોઈપણ પુરુષ આ બલિ ખાઈ શકે છે; તે અતિ પવિત્ર છે.


“દોષનિવારણબલિના નિયમો આ પ્રમાણે છે: તે અતિ પવિત્ર છે.


યજ્ઞકાર કુટુંબનો કોઈપણ પુરુષ તે ખાઈ શકે છે; પણ તે અતિ પવિત્ર છે. તેથી તે પવિત્રસ્થાનમાં જ ખાવામાં આવે.


એ પતરાં ઇઝરાયલીઓને માટે ચેતવણીરૂપ હતાં કે આરોનના વંશજ સિવાયના કોઈએ પ્રભુ સમક્ષ ધૂપ ચડાવવા આવવું નહિ. જો કોઈ એમ કરશે તો તેની દશા કોરા અને તેના જૂથના જેવી થશે.” આ બધું પ્રભુએ મોશેની મારફતે એલાઝારને આપેલી આજ્ઞા પ્રમાણે કરવામાં આવ્યું.


ત્યાર પછી તેણે કોરા અને તેના આખા જૂથને કહ્યું, “આવતી કાલે સવારે પ્રભુ જણાવશે કે કોણ તેના સેવક છે અને તેમણે કોને પોતાની સેવા માટે પસંદ કરીને અલગ કર્યા છે. જેમને તે પસંદ કરે તેમને જ તે સેવાર્થે અપનાવશે.


પરંતુ માત્ર તારે અને તારા પુત્રોએ જ વેદીની અને પરમપવિત્રસ્થાનને લગતી સેવાઓ બજાવવાની છે. કારણ, મેં તને યજ્ઞકારપદ બક્ષિસમાં આપ્યું છે. જો કોઈ બીજો એ સેવા બજાવવા આવશે તો જરૂર માર્યો જશે.”


લેવીકુળના યજ્ઞકારોએ પણ ત્યાં જવું; કારણ, તમારા ઈશ્વર પ્રભુએ તેમને તેમની સેવા કરવા માટે અને પ્રભુને નામે આશીર્વાદ ઉચ્ચારવા પસંદ કર્યા છે, અને હરેક વિવાદ અને હરેક હિંસાનો નીવેડો તેમના કહેવા પ્રમાણે કરવાનો છે.


Lean sinn:

Sanasan


Sanasan