Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 41:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પછી તે મને મંદિરની વચ્ચેના પવિત્રસ્થાનમાં લાવ્યો અને તેણે તેના પ્રવેશદ્વારની બારસાખોનું માપ લીધું, બંને બાજુએ તેની ઊંડાઈ ત્રણ ત્રણ મીટર હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પછી તે મને મંદિરમાં લાવ્યો, ને તેણે ખાંભો બાંધ્યા.તે એક બાજુએ છ હાથ પહોળા હતા, એટલે મંડપ જેટલા જ પહોળા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી તે મને પવિત્રસ્થાનમાં લાવ્યો અને પ્રવેશદ્વારની બારસાખનું માપ લીધું તો તે એક બાજુએ છ હાથ પહોળું અને બીજી બાજુએ છ હાથ પહોળું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પછી તે મને પવિત્રસ્થાને લઇ આવ્યો અને તેના પ્રવેશદ્વારની બારસાખનું માપ લીધું તો તે દરેક બાજુએ 6 હાથ ઊંડી હતી.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 41:1
16 Iomraidhean Croise  

ઇઝરાયલી લોકો ઇજિપ્તમાંથી નીકળી આવ્યા પછી ચારસો એંસી વરસે, શલોમોનના ઇઝરાયલ ઉપરના અમલના ચોથા વરસે, વર્ષના બીજા એટલે ઝીવ માસમાં શલોમોને મંદિર બાંધવાનું શરૂ કર્યું.


શલોમોને પ્રભુ માટે બાંધેલું મંદિર અંદરથી સત્તાવીશ મીટર લાંબુ, નવ મીટર પહોળું અને સાડા તેર મીટર ઊંચું હતું.


તે માણસ મને દરવાજામાં થઈને મંદિરની ચારે તરફ આવેલા બહારના ચોકમાં લઈ ગયો. તેની બહારની દીવાલને અડોઅડ ત્રીસ ઓરડીઓ બાંધેલી હતી.


પવિત્રસ્થાનની બારસાખો ચોરસ હતી અને તેની સામે લાકડાની વેદી જેવું કશુંક દેખાતું હતું.


મંદિરના પવિત્રસ્થાનને, મધ્ય- ભાગને અને પરમ પવિત્રસ્થાનને બેવડાં બારણાં હતાં.


પછી તે મંદિરના અંતર્ગૃહમાં ગયો. તેણે તેના પ્રવેશદ્વારનું માપ લીધું તો તેની લંબાઈ એક મીટર અને પહોળાઈ ત્રણ મીટર હતી. તેની બંને તરફની દીવાલો સાડા ત્રણ મીટર જાડાઈની હતી.


પછી તે મને ઉત્તર તરફના બહારના ચોકમાં લઈ ગયો. તે મને મંદિરની ફરતેની ખુલ્લી જગ્યા અને ઉત્તરના બાંધકામની વચ્ચેની ઓરડીઓમાં લઈ આવ્યો.


આત્મિક મંદિર બાંધવામાં તમારો જીવંત પથ્થરો તરીકે ઉપયોગ થવા દો. ત્યાં તમે પવિત્ર યજ્ઞકારો તરીકે ઈસુ ખ્રિસ્તની મારફતે આત્મિક અને ઈશ્વરને પસંદ પડે તેવાં બલિદાનો ચઢાવશો. કારણ, શાસ્ત્રમાં લખેલું છે:


મારી સાથે વાત કરનાર દૂતની પાસે નગર, તેનો દરવાજો અને તેનો કોટ માપવા માટે સોનાનો માપદંડ હતો.


મેં રાજ્યાસન પરથી એક મોટો અવાજ સાંભળ્યો, “હવે ઈશ્વરનું નિવાસસ્થાન માણસોની સાથે છે! તે તેમની સાથે રહેશે અને તેઓ તેના લોક થશે. ઈશ્વર પોતે જ તેમની સાથે રહેશે અને તે તેમના ઈશ્વર બનશે.


જે વિજય પ્રાપ્ત કરશે તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ બનાવીશ, અને તે તેની બહાર કદી જશે નહિ. હું તેના ઉપર મારા ઈશ્વરનું નામ, મારા ઈશ્વર પાસેથી સ્વર્ગમાંથી ઊતરી આવનાર નવા યરુશાલેમનું નામ, અને મારું પોતાનું નવું નામ લખીશ.


Lean sinn:

Sanasan


Sanasan