Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 23:23 - પવિત્ર બાઇબલ C.L.

23 હું સર્વ બેબિલોનવાસીઓને, સર્વ ખાલદીઓને, પકોદ, શોઆ અને કોઆના વતનીઓને અને તેમની સાથે સર્વ આશ્શૂરીઓને લાવીશ. વળી, સુંદર જુવાનો, રાજ્યપાલો, સેનાનાયકો, અમલદારો અને ઘોડેસવારોને લઈ આવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 એટલે બાબિલવાસીઓને, સર્વ ખાલદીઓને, પકોદને, શોઆને તથા કોઆને, [ને] તેમની સાથે સર્વ આશૂરીઓને, એ સર્વ મનમોહક જુવાન સૂબાઓ તથા અમલદારો, એ સર્વ ઘોડેસવાર સરદારો તથા મંત્રીઓને [લાવીશ].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 એટલે હું બધા બાબિલવાસીઓને તથા બધા ખાલદીવાસીઓને પેકોદને, શોઆને તથા કોઆને તેમ જ બધા આશ્શૂરવાસીઓને, બધા ખૂબસૂરત જુવાનોને, રાજકર્તાઓને તથા અધિકારીઓને, ઘોડેસવારોને તથા મંત્રીઓને ભેગા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 હું બધા બાબિલવાસીઓને અને ખાલદીવાસીઓને તથા પકોદ, શોઆને અને કોઆના માણસોને, તેમ જ બધા આશ્શૂરવાસીઓને, બધા રૂપાળા જુવાનોને, રાજ્યપાલોને અને ઉમરાવોને, રથના સારથીઓને અને ઘોડેસવારોને ભેગા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 23:23
16 Iomraidhean Croise  

ત્રીજી નદી તૈગ્રિસ છે; તે આશ્શૂર દેશની પૂર્વ તરફ વહે છે. ચોથી નદીનું નામ યુફ્રેટિસ છે.


ઇશ્માએલના વંશજો આશ્શૂર જવાને રસ્તે ઇજિપ્તની પૂર્વ દિશામાં હવીલાથી શૂરની વચ્ચેના પ્રદેશમાં તેમના અન્ય ભાઈઓથી જુદા વસ્યા હતા.


પ્રભુએ પોતાના સેવકો સંદેશવાહકો દ્વારા કહ્યું હતું તેમ તેમણે યહૂદિયાનો નાશ કરવા ખાલદીઓ, અરામીઓ, મોઆબીઓ અને આમ્મોનીઓની શસ્ત્રસજિત ટોળીઓ યહોયાકીમ વિરુદ્ધ મોકલી.


તેમણે સાત દિવસ સુધી ખમીરરહિત રોટલીનું પર્વ આનંદથી પાળ્યું. પ્રભુએ આશ્શૂરના સમ્રાટનું વલણ બદલી નાખ્યું હોવાથી તેણે તેમને ઇઝરાયલના ઈશ્વરના મંદિરના બાંધકામમાં પ્રોત્સાહન આપ્યું તેને લીધે તેઓ ખૂબ આનંદમાં હતા.


તે બોલતો હતો ત્યાં તો ત્રીજાએ આવીને કહ્યું: “ક્સ્દી લોકોની ત્રણ ટોળીઓએ હુમલો કરીને ઊંટોને લઈ ગયા છે, અને બધા નોકરોને તરવારથી કાપી નાખ્યા છે, માત્ર હું એકલો જ તમને જાણ કરવા બચવા પામ્યો છું.”


તૂરને વનવગડાનાં પ્રાણીઓનું રહેઠાણ બનાવી દેનાર તો આશ્શૂરીઓ નહિ, પણ બેબિલોનીઓ હતા. ઘેરા માટે માટીના ટેકરા બનાવી તૂરની કિલ્લેબંદીને તોડી નાખનાર અને શહેરને ખંડિયેર બનાવી દેનાર તો બેબિલોનીઓ હતા.


પ્રભુ કહે છે, “મેરાથાઇમ અને પેકોદના લોકો પર આક્રમણ કરો; તેમનો પીછો કરીને તેમની ક્તલ કરો અને પૂરેપૂરો વિનાશ કરો. મારી આજ્ઞા સંપૂર્ણપણે પાળો. હું પ્રભુ એ કહું છું.


વળી, પ્રભુનો સંદેશ મને મળ્યો:


તે આશ્શૂરના રાજ્યપાલો અને સેનાનાયકો પર મોહી પડી. તેઓ સૌ સંપૂર્ણ શસ્ત્રસજ્જ સુંદર જુવાનો અને ઘોડેસ્વારો હતા.


તેણે ભીંત પર સિંદૂરથી ચીતરેલાં ખાલદીઓનાં ચિત્રો જોયાં


“તે માટે, હે ઓહલીબા, હું પ્રભુ પરમેશ્વર તને કહું છું કે, તારા જે આશકો પરથી તારું મન ઊઠી ગયું છે તેમને જ હું તારી વિરુદ્ધ ઊભા કરીશ અને તેઓ તને ચારે તરફથી ઘેરી વળે તેવું હું કરીશ.


તેઓ રાજદ્વારી પોશાકમાં સજ્જ થયેલા રાજ્યપાલો અને સેનાનાયકો હતા. તેઓ સૌ સુંદર જુવાનો અને ઘોડેસ્વારો હતા. તેઓ સૌ ઘોડેસ્વારી કરનારા દેખાવડા જુવાનો અને જાંબુડિયા ગણવેશ પહેરનારા હતા. તેઓ અમીર ઉમરાવો હતા.


તેથી ખાલદીઓનો દેશ તજીને તે હારાનમાં ગયો. પોતાના પિતાના મરણ પછી અબ્રાહામ આ દેશ કે જેમાં તમે રહો છો ત્યાં આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan