Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 22:11 - પવિત્ર બાઇબલ C.L.

11 કેટલાક પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે છે, તો બીજા કેટલાક પોતાની પુત્રવધૂઓને ભ્રષ્ટ કરે છે, તો કોઇ પોતાની ઓરમાન બહેનોનો શીલભંગ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 એકે પોતાના પડોશીની સ્ત્રી સાથે કુકર્મ કર્યું છે; અને બીજાને લંપટતાથી પોતાની પૂત્રવધૂને ભ્રષ્ટ કરી છે; અને ત્રીજાએ પોતાની બહેનની એટલે પોતાની પિતાની દીકરીની અબરુ લીધી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 માણસોએ પોતાના પડોશીની પત્નીઓ સાથે ધિક્કારપાત્ર કૃત્યો કર્યાં છે, તેઓએ લંપટતાથી પોતાની પૂત્રવધુને ભ્રષ્ટ કરી છે; ત્રીજાએ પોતાની બહેન સાથે એટલે કે પોતાના બાપની દીકરી સાથે બળાત્કાર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 કેટલાંક પુરુષો બીજા પુરુષોની પત્નીઓ સાથે ભયાનક કુકર્મો કરે છે, તો કોઇ પોતાની પુત્રવધૂને ષ્ટ કરે છે; કોઇ તેની પોતાની બહેન પર એટલે કે પોતાના બાપની પુત્રી પર બળાત્કાર કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 22:11
25 Iomraidhean Croise  

દાવિદના પુત્ર આબ્શાલોમને તામાર નામે એક બહેન હતી. તે ખૂબ સુંદર હતી. દાવિદનો બીજો એક પુત્ર આમ્નોન તેના પ્રેમમાં પડયો.


તામાર પોળીઓ લઈને તેની પાસે ગઈ. તે તેને આપવા ગઈ એટલે આમ્નોને તેને પકડી લઈને તેને કહ્યું, ‘બહેન, મારી સાથે સૂઈ જા.”


પણ તેણે તેનું સાંભળ્યું નહિ અને તે તામાર કરતાં બળવાન હોવાથી તેણે તેના પર બળાત્કાર કર્યો.


એમની એવી દશા થશે કારણ કે તેમણે ઇઝરાયલમાં નિર્લજ્જ કાર્યો કર્યા છે. તેમણે પરસ્ત્રીઓ સાથે વ્યભિચાર કર્યો છે અને મેં તેમને ફરમાવ્યો નહોતો એવો જૂઠો સંદેશ તેમણે મારે નામે પ્રગટ કર્યો છે. પણ હું એ બરાબર જાણું છું અને હું તેનો નજરસાક્ષી છું. હું પ્રભુ પોતે આ બોલું છું.”


મારે માટે રહેવાને વેરાનપ્રદેશમાં વટેમાર્ગુઓના ઉતારાનું સ્થાન હોત તો મારા લોકને તજીને તેમનાથી દૂર જતો રહેત. કારણ, તેઓ બધા વ્યભિચારીઓ છે; તેઓ દગાખોરોની ટોળકી છે.


અને એના પિતાએ કદી ન કર્યાં હોય એવાં કામો કરે એટલે પર્વતો પર મૂર્તિઓનાં પૂજાસ્થાનોમાં ચડાવેલ બલિ ખાતો હોય, પોતાના પાડોશીની સ્ત્રી સાથે વ્યભિચાર કરતો હોય,


અને પર્વતો પર મૂર્તિઓનાં પૂજાસ્થાનોમાં ચડાવેલ બલિ ખાતો ન હોય, પડોશીની સ્ત્રી સાથે વ્યભિચાર કરતો ન હોય અને રજ:સ્વલા સ્ત્રી સાથે સમાગમ કરતો ન હોય,


તમે તમારી તલવાર પર આધાર રાખો છો, તમારાં કૃત્યો ઘૃણાપાત્ર છે અને તમે સૌ વ્યભિચાર કરો છો, પછી તમે કેવી રીતે માની લો છો કે દેશ તમારો છે?


તમારે તમારી પુત્રવધુ સાથે સમાગમ કરવો નહિ; એ તો તમારા પુત્રની પત્ની છે; તેની આબરુ લેવી નહિ.


બીજા માણસની પત્ની સાથે સમાગમ કરવો નહિ, નહિ તો તમે વિધિગતરીતે અશુદ્ધ ગણાશો.


પ્રભુએ નીચે પ્રમાણેના નિયમો આપ્યા: “તમારે જેની સાથે લોહીની સગાઈ હોય તેવી સ્ત્રી સાથે સમાગમ કરવો નહિ; હું પ્રભુ છું.


તમારે તમારી બહેન કે સાવકી બહેન સાથે સમાગમ કરવો નહિ, પછી તેનો ઉછેર તમારી સાથે એક જ ઘરમાં થયો હોય કે નહિ.


“જો કોઈ પુરુષ બીજા પુરુષની પત્ની સાથે વ્યભિચાર કરે તો તે બન્‍નેને મારી નાખવાં.


જો કોઈ પોતાની પુત્રવધૂ સાથે સમાગમ કરે તો તે બન્‍નેને મારી નાખવાં. તેમણે અજુગતું કાર્ય કર્યું છે. તેમના ખૂનની જવાબદારી તેમને પોતાને જ શિર રહેશે.


“જો કોઈ પુરુષ પોતાની બહેનને એટલે પિતાની કે માતાની પુત્રીને પરણે અને તેની સાથે સમાગમ કરે તો તે ધિક્કારપાત્ર કાર્ય છે. તેમને જાહેરમાં મારી નાખવાં. તેણે પોતાની બહેન સાથે સમાગમ કર્યો છે, એટલે તેમણે તેની સજા ભોગવવી જ રહી.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “હું તમારી મધ્યે ન્યાયાધીશ તરીકે પ્રગટ થઈશ. તે વખતે જાદુક્રિયા કરનારા, વ્યભિચારીઓ, જુઠ્ઠી સાક્ષી પૂરનારા, પોતાના નોકરિયાતોને તેમના વેતનમાં છેતરનારા, વિધવાઓ, અનાથો અને પરદેશીઓનો ગેરલાભ ઉઠાવનારા, હા, જેઓ મારું સન્માન રાખતા નથી તેઓ સર્વ વિરુદ્ધ હું તરત જ સાક્ષી પૂરીશ.


શું તમે નથી જાણતા કે દુષ્ટોને ઈશ્વરના રાજમાં ભાગ નથી? પોતાને છેતરશો નહિ. વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, વિલાસીઓ, સજાતીય સમાગમ કરનારા,


પાપી સ્વભાવનાં કાર્યો સાવ દેખીતાં છે: વ્યભિચાર, અશુદ્ધતા, લંપટતા,


“જો કોઈ પુરુષ કોઈ પરણેલી સ્ત્રી સાથે વ્યભિચાર કરતાં પકડાય તો વ્યભિચાર કરનાર એ પુરુષ અને સ્ત્રી બન્‍નેને મારી નાખવાં; એવી રીતે તમારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી.


‘પોતાની બહેન એટલે પિતાની પુત્રી કે માતાની પુત્રી સાથે સમાગમ કરનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’.


સૌએ લગ્નને માનયોગ્ય ગણવું. પતિ અને પત્નીએ એકબીજાને વિશ્વાસુ રહેવું. કારણ, લંપટો અને વ્યભિચારીઓનો ઈશ્વર ન્યાય કરશે.


Lean sinn:

Sanasan


Sanasan