Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 2:1 - પવિત્ર બાઇબલ C.L.

1 તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઊભો થા; હું તારી સાથે વાત કરવા માંગું છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારા પગ પર ઊભો રહે, એટલે હું તારી સાથે વાત કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારા પગ પર ઊભો રહે, એટલે હું તારી સાથે વાત કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, ઊભો થા, મારે તારી સાથે વાત કરવી છે.”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 2:1
32 Iomraidhean Croise  

ત્યારે હું વિચારું છું કે, માણસ તે કોણ કે તમે તેનું સ્મરણ કરો છો? અને માનવપુત્ર તે કોણ કે તમે તેની દરકાર રાખો છો?


એ ઝળહળાટમાં ચોમાસામાં દેખાતા મેઘધનુષ્યના સર્વ રંગો દેખાતા હતા. એ તો પ્રભુના ગૌરવના જેવો દેખાવ હતો. એ જોતાં જ હું નમી પડયો અને મને કોઈના બોલવાનો અવાજ સંભળાયો.


તેથી હે મનુષ્યપુત્ર, દેશનિકાલ થનાર માણસની જેમ તારો સરસામાન તૈયાર કર અને તેમના દેખતાં ધોળે દિવસે બીજે સ્થળે જવા ચાલી નીકળ. આમ તો તેઓ બંડખોર તો છે, છતાં કદાચ તેઓ સમજે.


“હે મનુષ્યપુત્ર, પોતાના મનની કલ્પના પ્રમાણે સંદેશ આપતા ઇઝરાયલના સંદેશવાહકો વિરુદ્ધ તું સંદેશ પ્રગટ કર. તું તેમને કહે કે તમે પ્રભુનો સંદેશ સાંભળો.


“હે મનુષ્યપુત્ર, જો કોઈ દેશ મારા પ્રત્યેની નિષ્ઠાનો ત્યાગ કરીને મારી વિરુદ્ધ પાપ કરે તો હું મારો હાથ ઉગામીને તેનો પુરવઠો કાપી નાખીશ, ત્યાં દુકાળ મોકલીશ અને ત્યાંના જન-જનાવરોનો નાશ કરીશ.


“હે મનુષ્યપુત્ર, આ માણસોનાં મન તેમની મૂર્તિઓમાં પરોવાયેલાં છે. તેમને પાપમાં પાડનાર એ ઠોકરરૂપ પથરાઓનું તેઓ ધ્યાન ધરે છે. તો પછી શા માટે મારે તેમની પૂછપરછનો કોઈ પ્રત્યુત્તર આપવો?


“હે મનુષ્યપુત્ર, દ્રાક્ષાવેલાની ડાળીનું લાકડું વનનાં અન્ય વૃક્ષોનાં લાકડાં કરતાં ચડિયાતું છે?


“હે મનુષ્યપુત્ર, તું યરુશાલેમને તેનાં ધિક્કારપાત્ર કૃત્યો જણાવ.”


“હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલીઓ સમક્ષ એક ઉખાણું રજૂ કર અને તેમની સાથે રૂપક વાપરીને વાત કર.


“હે મનુષ્યપુત્ર, હું તને ઇઝરાયલીઓ પાસે મોકલું છું. તે બંડખોર પ્રજાએ મારી વિરુદ્ધ બંડ પોકાર્યું છે. તેઓ તેમના પૂર્વજોની જેમ આજદિન સુધી મારી વિરુદ્ધ અપરાધ કરતા આવ્યા છે.


પણ હે મનુષ્યપુત્ર, તારે તેમનાથી ડરવું નહિ, કે તેમના શબ્દોથી ગભરાઈ જવું નહિ. તેઓ તારી સામા થશે અને તારો તિરસ્કાર કરશે. જો કે તારે એ કાંટાઝાંખરા ને વીંછીઓ વચ્ચે રહેવું પડે તોપણ તેમનાથી કે તેમના શબ્દોથી ડરીશ નહિ ને તેમના ચહેરાથી ગભરાઈશ નહિ. તેઓ તો બંડખોર પ્રજા છે.


હે મનુષ્યપુત્ર, મારું કહેવું સાંભળ. એ બંડખોરોની જેમ તું બંડખોર થઈશ નહિ. તારું મોં ઉઘાડ ને હું જે તને આપું છું તે ખા.”


“હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલના આગેવાનો સાથે વાત કરીને તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: “શું તમે મારી ઇચ્છા જાણવા આવ્યા છો? હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સમ ખાઇને કહું છું કે હું તમને કશું પૂછવા દેવાનો નથી. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.


ઈશ્વરે કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારી સમક્ષ આ જે ઓળિયું છે તે ખા, પછી જઈને ઇઝરાયલી લોકોને મારો સંદેશ કહે.”


વળી, તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું તને જે કહું તે બધું ધ્યાન દઈને સાંભળ અને તેમને તારા મનથી ગ્રહણ કર.


“હે મનુષ્યપુત્ર, મેં તને ઇઝરાયલી પ્રજા પર ચોકીદાર ઠરાવ્યો છે, તેથી હું તને જે ચેતવણીઓ આપું તે તું તેમને જણાવજે.


તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલીઓ પાસે જા અને તેમને મારો સંદેશ કહી સંભળાવ.


પ્રભુએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, શું આ હાડકાં પાછાં જીવતાં થઇ શકે?” મેં કહ્યું: “પ્રભુ પરમેશ્વર, એ તો માત્ર તમે જ જાણો છો.”


ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તું એક ઇંટ લઈને તારી આગળ મૂક અને તેના પર યરુશાલેમનું ચિત્ર દોર.


તેણે મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, ધ્યનથી જો અને કાન દઈને સાંભળ. હું તને જે કંઈ બતાવું તે સર્વ પર બરાબર ચિત્ત લગાડ. કારણ, તું જે જુએ તે બધું ઇઝરાયલીઓને કહી બતાવે તે માટે તને અહીં લાવવામાં આવ્યો છે.”


પ્રભુ પરમેશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું તને કહું તે સાંભળ. જ્યારે વેદી બાંધવામાં આવે ત્યારે તેના ઉપર દહનબલિ ચડાવવા અને તેની પ્રતિષ્ઠા કરવા માટે બલિદાનના રક્તનો છંટકાવ કરવાનો આ નિયમ છે.


પ્રભુએ કહ્યું, “હે મનુષ્યપુત્ર, તું હજામના અસ્ત્રા જેવી તીક્ષ્ણ તરવાર લે અને તેનાથી તારું માથું અને તારી દાઢી મૂંડ. પછી ત્રાજવાં લઈ વાળ તોળીને તેના ત્રણ સરખા ભાગ પાડ.


“હે મનુષ્યપુત્ર, પ્રભુ પરમેશ્વર ઇઝરાયલ દેશને કહે છે કે, અંત નજીક છે, આખા દેશનો અંત આવી પહોંચ્યો છે.


દૂતે મને કહ્યું, “હે દાનિયેલ, ‘તું ઈશ્વરને પ્રિય છે. ઊભો થા અને મારું કહેવું ધ્યનથી સાંભળ. મને તારી પાસે મોકલવામાં આવ્યો છે.” તેણે એવું કહ્યું એટલે હું ધ્રૂજતો ધ્રૂજતો ઊભો થયો.


તેણે કહ્યું, “તું ઈશ્વરને પ્રિય છે; તેથી કશાની ચિંતા કરીશ નહિ, અથવા કશાથી ગભરાઈશ નહિ.” તેણે એવું કહ્યું એટલે મારામાં વધુ બળ આવ્યું અને મેં કહ્યું, “સાહેબ, હવે તમારો સંદેશ જણાવો; કારણ, તમે મને બળ આપ્યું છે.”


તેથી ગાબ્રિયેલ મારી પાસે આવીને ઊભો રહ્યો. હું એટલો ગભરાઈ ગયો કે જમીન પર પટકાઈ પડયો. તેણે મને કહ્યું, “હે મર્ત્ય માનવ, તેનો અર્થ સમજી લે. દર્શન તો દુનિયાના અંતના સમયનું છે.”


ઈસુએ આવીને તેમને સ્પર્શ કર્યો અને કહ્યું, ઊઠો, ગભરાશો નહિ!


સ્વર્ગમાં જ જેનો વાસ છે અને જે સ્વર્ગમાંથી ઊતરી આવેલ છે તે માનવપુત્ર સિવાય સ્વર્ગમાં કોઈ ચઢયું નથી.”


ઈશ્વરે દુનિયા પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનોએક પુત્ર આપી દીધો; જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ મૂકે તે સાર્વકાલિક મરણ ન પામે, પરંતુ સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરે.


પણ હવે ઊઠ, મારા સેવક તરીકે તને નીમવાને મેં તને દર્શન દીધું છે. તેં આજે મારા વિષે જે જોયું છે અને હવે ભવિષ્યમાં તને જે દર્શાવીશ તે તારે બીજાઓને કહેવાનું છે.


ત્યારે અવાજ આવ્યો, “હું ઈસુ છું, જેની તું સતાવણી કરે છે. તો હવે ઊભો થઈને શહેરમાં જા, અને તારે શું કરવું તે તને ત્યાં જણાવવામાં આવશે.”


Lean sinn:

Sanasan


Sanasan