Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 12:23 - પવિત્ર બાઇબલ C.L.

23 તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: હું એ કહેવતનો અંત આણી દઇશ, અને તેઓ ઇઝરાયલમાં એ ફરી કદી દોહરાવશે નહિ. તેને બદલે તું તેમને કહે, “સમય આવી પહોંચ્યો છે અને પ્રત્યેક સંદર્શન પરિપૂર્ણ થશે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 એ માટે તેઓને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, હું આ કહેવત બંધ પાડીશ, ને તેઓ ઇઝરાયલમાં હવે પછી તેને કહેવત તરીકે કદી વાપરશે નહિ. પણ તેઓને કહે કે, વખત આવી પહોચ્યો છે, જેમાં દરેક સંદર્શન પરિપૂર્ણ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 માટે, તું તેઓને કહે, પ્રભુ યહોવાહ કહે છે: ‘હું આ કહેવતનો અંત લાવીશ, જેથી ઇઝરાયલી લોકો તેનો ફરીથી ઉપયોગ કરે નહિ.’ તેઓને કહે કે, “સમય નજીક આવ્યો છે અને દરેક સંદર્શન પરિપૂર્ણ થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 “તું એમને કહે: આ યહોવાના વચન છે. હું એ કહેવત જૂઠી પાડીશ, ઇસ્રાએલમાં એ હવે કદી ઉચ્ચારાશે નહિ, તેના બદલે તેઓ કહેશે: ‘સમય આવ્યો છે અને એકેએક ભવિષ્યવાણી સાચી પડવાની જ છે!’

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 12:23
13 Iomraidhean Croise  

પરંતુ પ્રભુ દુષ્ટોની હાંસી ઉડાવે છે; કારણ, તે જાણે છે કે તેમના દિવસો ભરાઈ ચૂક્યા છે.


માટે હવે મશ્કરી ઊડાવવાનું બંધ કરો, નહિ તો તમારાં બંધન વધુ દઢ બનાવાશે. સર્વસમર્થ પ્રભુ પરમેશ્વરે સમગ્ર દેશનો વિનાશ કરવાનું નક્કી કર્યું છે તે અમે સાંભળ્યું છે.


પરંતુ હું પ્રભુ પરમેશ્વર જે કહેવાનું હશે તે કહીશ, અને હું જે સંદેશ આપીશ તે વિના વિલંબે ફળીભૂત થશે. ઓ બંડખોર લોકો, પ્રભુ પરમેશ્વર કહે છે કે હું જે કહીશ તે તમારા પોતાના જીવનકાળ દરમિયાન પૂરું કરી બતાવીશ.”


વળી, પ્રભુએ કહ્યું, “હે યરુશાલેમ, કહેવતો ટાંકનારા તારા માટે આ કહેવત ટાંકશે: ‘જેવી મા તેવી દીકરી.’


હું પ્રભુ પરમેશ્વર પોતાના સમ ખાઇને કહું છે કે હવે પછી ઇઝરાયલમાં તમે ફરી કદી આ કહેવત વાપરશો નહિ.


“હે મનુષ્યપુત્ર, પ્રભુ પરમેશ્વર ઇઝરાયલ દેશને કહે છે કે, અંત નજીક છે, આખા દેશનો અંત આવી પહોંચ્યો છે.


સિયોન પર્વત પર, ઈશ્વરના પવિત્ર પર્વત પર, રણશિંગડું વગાડો; ચેતવણીનું બ્યુગલ વગાડો. હે યહૂદિયાના લોકો, કાંપો, કારણ, પ્રભુનો દિવસ જલદી આવી રહ્યો છે.


પ્રભુનો મહાન દિવસ પાસે છે. તે નજીક છે અને બહુ ઝડપભેર આવી રહ્યો છે. એ દિવસનો સાદ ઘણો કરુણ હશે. કારણ, શૂરવીરો પણ હતાશ થઈ રડી પડશે.!


સર્વસમર્થ પ્રભુ કહે છે, “એવો દિવસ આવે છે જ્યારે સર્વ ગર્વિષ્ઠ અને દુષ્ટ લોકો ખૂંપરાની જેમ બળી જશે. તે દિવસે તેઓ બળીને ખાખ થઈ જશે અને તેમનું નામનિશાન રહેશે નહિ.


હું તમને સાચે જ કહું છું: પ્રવર્તમાન પેઢી જતી રહે તે પહેલાં આ બધા બનાવો બનશે.


Lean sinn:

Sanasan


Sanasan