Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 8:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પછી પ્રભુએ મોશેને કહ્યું, “ફેરોની પાસે જઈને તેને કહે કે, ‘પ્રભુ આમ કહે છે: મારા લોકોને મારી સેવાભક્તિ કરવા જવા દે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને યહોવાએ મૂસાને કહ્યું, “ફારુનની પાસે જઈને તેને કહે, કે યહોવા એમ કહે છે, ‘મારા લોકોને મારી સેવા કરવા માટે જવા દે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી યહોવાહે મૂસાને કહ્યું, “ફારુન પાસે જઈને તેને જણાવ કે યહોવાહ એવું કહે છે: ‘મારા લોકોને મારી સેવા કરવા જવા દે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પછી યહોવાએ મૂસાને કહ્યું, “ફારુન પાસે જઈને તેને કહો કે, યહોવા આમ કહે છે: ‘માંરા લોકોને માંરી સેવા કરવા જવા દે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 8:1
15 Iomraidhean Croise  

તેમના દેશમાં પુષ્કળ દેડકાં પેદા થયાં. તેઓ છેક રાજમહેલના ઓરડાઓ સુધી ફરી વળ્યાં.


ઈશ્વરે તેને કહ્યું, “હું જરૂર તારી સાથે રહીશ; અને મેં તને મોકલ્યો છે તેનું પ્રમાણ એ છે કે જ્યારે તું તેમને ઇજિપ્તમાંથી કાઢી લાવે, ત્યારે તમે આ પર્વત પર ઈશ્વરનું ભજન કરશો.”


“તેઓ તારી વાત માનશે. પછી તું તથા ઇઝરાયલી લોકોના આગેવાનો ઇજિપ્તના રાજા પાસે જઈને તેને કહો કે, ‘હિબ્રૂઓના ઈશ્વર યાહવેએ પોતાને અમારી સમક્ષ પ્રગટ કર્યા છે. હવે અમારા ઈશ્વર યાહવે આગળ યજ્ઞ કરવા માટે અમને મુસાફરી કરતાં ત્રણ દિવસ લાગે તેટલે દૂર વેરાન પ્રદેશમાં જવા દો.’


અને મેં તને મારા પુત્રને મારી સેવાભક્તિ કરવા જવા દેવા કહ્યું; પણ તેં તેને જવા દેવાનો ઇનકાર કર્યો છે. તેથી હું તારા જયેષ્ઠપુત્રને મારી નાખીશ.”


ત્યારપછી મોશે અને આરોને ફેરો પાસે જઈને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યાહવે આ પ્રમાણે કહે છે: ‘મારા લોકોને મારા માનાર્થે રણપ્રદેશમાં પર્વ પાળવા જવા દે.”


મોશે અને આરોને જવાબ આપ્યો, “અમને હિબ્રૂઓના ઈશ્વરનો મેળાપ થયો છે. તેથી અમારી વિનંતી છે કે અમારા ઈશ્વર પ્રભુ સમક્ષ યજ્ઞ કરવા માટે મુસાફરી કરતાં ત્રણ દિવસ લાગે તેટલે દૂર અમને રણપ્રદેશમાં જવા દો. નહિ તો તે કદાચ અમારો રોગચાળાથી કે તલવારથી નાશ કરશે.”


તું ફેરોને કહેજે, ‘હિબ્રૂઓના ઈશ્વર પ્રભુએ મને તમારી પાસે મોકલ્યો છે. તેમણે આમ કહ્યું છે: મારા લોકોને મારી સેવાભક્તિ કરવા રણપ્રદેશમાં જવા દે.’ પણ અત્યાર સુધી તમે સાંભળ્યું નથી.


પ્રભુએ નાઇલ નદીને માર્યાને સાત દિવસ વીતી ગયા.


જો તું તેમને નહિ જવા દે તો હું તારા સમગ્ર દેશ પર દેડકાંની આફત લાવીશ.


પછી પ્રભુએ મોશેને કહ્યું, “તું સવારે વહેલો ઊઠીને ફેરો નદીએ જાય ત્યારે ત્યાં તેની રાહ જોજે. તેને કહેજે, ‘પ્રભુ આમ કહે છે: મારા લોકને મારી સેવાભક્તિ કરવા જવા દે.


પછી પ્રભુએ મોશેને કહ્યું, “ફેરો પાસે જઈને તેને કહે, “હિબ્રૂઓના ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે: મારા લોકોને મારી સેવાભક્તિ કરવા જવા દે.


પછી પ્રભુએ યહોશુઆને કહ્યું, “તારો ભાલો આય તરફ લાંબો કર; હું તેને તારા હાથમાં સોંપી દઉં છું.” યહોશુઆએ એ પ્રમાણે કર્યું.


Lean sinn:

Sanasan


Sanasan