Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 7:23 - પવિત્ર બાઇબલ C.L.

23 પછી ફેરો ત્યાંથી પાછો પોતાને ઘેર ગયો. છતાં આ વાત વિષે તેણે વિચાર સરખોય કર્યો નહિ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને ફારુન પાછો વળીને પોતાને ઘેર ગયો, ને એ પણ તેણે ગણકાર્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તેણે કશું ગણકાર્યું નહિ. ફારુન પોતાના મહેલમાં ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 આ બાબતને ધ્યાનમાં લીધા વિનાજ ફારુન પોતાના મહેલમાં પાછો ફરી ગયો. મૂસા અને હારુને જે કાંઈ કર્યુ તેની તેણે ઉપેક્ષા કરી.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 7:23
20 Iomraidhean Croise  

માનવી તે કોણ કે તમે તેને આટલું મહત્ત્વ આપો છો? અને તેના પર તમારું ચિત્ત લગાડો છો?


જુલમથી પડાવેલા પૈસા પર ભરોસો રાખશો નહિ; લૂંટેલી સંપત્તિથી લાભ થવાની આશા રાખશો નહિ; અને જો સંપત્તિમાં વૃદ્ધિ થાય, તો તે પર ચિત્ત ચોંટાડશો નહિ.


પરંતુ ઇજિપ્તના જાદુગરોએ પણ તેમના મંત્રતંત્રથી એ પ્રમાણે કર્યું; જેથી પ્રભુએ કહ્યું હતું તેમ ફેરોનું હૃદય હઠીલું થયું અને તેણે મોશે તથા આરોનનું કહેવું માન્યું નહિ.


હવે સર્વ ઇજિપ્તીઓએ પીવાના પાણી માટે નાઈલની આજુબાજુ વીરડા ખોદ્યા: કારણ, તેઓ નાઇલનું પાણી પી શકાયા નહિ.


તેથી ફેરોના જે અમલદારો પ્રભુના સંદેશથી ભયભીત થયા તે સૌએ પોતાના નોકરોને અને ઢોરોને ઘેર બોલાવી લીધાં,


પણ જેમણે પ્રભુનો સંદેશ ગણકાર્યો નહિ તે સૌએ પોતાના નોકરોને અને ઢોરોને ખેતરમાં રહેવા દીધાં.


તું જ્ઞાનીઓનાં આ કથનો ધ્યાન દઈને સાંભળ; હું તને તે શીખવું છું ત્યારે તે પર તારું ચિત્ત લગાડ.


એ નિહાળીને મેં મારા મનમાં સારી પેઠે વિચાર કર્યો, અને તેમાંથી મને બોધપાઠ મળ્યો.


સદાસર્વદા પ્રભુનો ડર રાખીને વર્તનાર ધન્યવાદને પાત્ર છે, પરંતુ પોતાના દયને કઠોર બનાવનાર આપત્તિમાં આવી પડશે.


વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની જિદને વળગી રહેનાર એકાએક નાશ પામશે અને બચવાનો ઉપાય રહેશે નહિ.


તમારા દુશ્મનોને સજા કરવાને તમે તમારો હાથ ઉગામેલો છે, પણ તેઓ તે જાણતા નથી. તમારા લોક પ્રત્યેનો તમારો અદમ્ય પ્રેમ જોઈને તેઓ શરમાઈ જાઓ અને તમારા શત્રુઓ માટે અનામત રાખેલો અગ્નિ તેમને ભરખી જાઓ.


તેં કહ્યું, ‘હું તો સદાસર્વદા રાણી તરીકે રહીશ.’ પણ તેં આ બધી વાતો ધ્યાનમાં લીધી નહિ અને એનો આખરી અંજામ શો આવશે તેનો વિચાર કર્યો નહિ.


આ બધા સંદેશાઓ સાંભળ્યા પછી પણ રાજા કે તેના મંત્રીઓ એનાથી ભયભીત થયા નહિ કે પોતાનાં વસ્ત્ર ફાડીને શોક દર્શાવ્યો નહિ.


પછી મેં કહ્યું, “પણ પ્રભુ તમારી આંખો સત્યતા પર મંડાયેલી છે. તમે તેમને માર્યા, પણ તેઓ દુ:ખી થયા નથી. તમે તેમને કચડયા પણ શિક્ષા થયા છતાં તેઓ સુધર્યા નથી. તેઓ પથ્થરદિલ થઈને તમારી તરફ પાછા ફરવાની ના પાડે છે.”


તેણે મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, ધ્યનથી જો અને કાન દઈને સાંભળ. હું તને જે કંઈ બતાવું તે સર્વ પર બરાબર ચિત્ત લગાડ. કારણ, તું જે જુએ તે બધું ઇઝરાયલીઓને કહી બતાવે તે માટે તને અહીં લાવવામાં આવ્યો છે.”


ત્યારે પ્રભુએ પોતાના લોકોને કહ્યું, “તમારી આસપાસની વિદેશી પ્રજાઓને નિહાળતા રહો; અને તમે જે જુઓ છો તેથી આશ્ર્વર્ય પામશો. હું તમારા સમયમાં એવું ક્મ કરવાનો છું કે તમે એ વિષે સાંભળો ત્યારે તે માનશો જ નહિ.


તમારે તમારાં કાર્યથી મારું સન્માન કરવું જોઈએ. તમે મારું કહેવું નહિ માનો તો હું તમારા પર શાપ મોકલીશ. તમને તમારા પોષણ માટે મળતી વસ્તુઓને હું શાપિત કરીશ. વાસ્તવમાં હું તેમને શાપિત કરી ચૂક્યો છું. કારણ, તમે મારી આજ્ઞાને ગંભીરતાપૂર્વક લેખવતા નથી.


ત્યારે તેણે તેમને કહ્યું, “જે સર્વ આજ્ઞાઓ મેં આજે સાક્ષી રૂપે આપી છે તે પર તમારું ચિત્ત લગાડો અને તમારા બાળકો આગળ એ દોહરાવજો, જેથી તેઓ વિશ્વાસુપણે ઈશ્વરના સર્વ શિક્ષણનું પાલન કરે.


તે મરવા પડી હતી પણ તેની સારવાર કરતી સ્ત્રીઓએ તેને કહ્યું, “હિંમત રાખ, તને પુત્ર જનમ્યો છે.” પણ એ અંગે તેણે ન તો કંઈ ધ્યાન આપ્યું કે ન તો કંઈ જવાબ આપ્યો.


Lean sinn:

Sanasan


Sanasan