Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 39:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પવિત્રસ્થાનમાં સેવા કરતી વખતે યજ્ઞકારોએ પહેરવાનાં પવિત્ર વસ્ત્રો તેમણે વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસામાંથી બનાવ્યાં. પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે આરોન યજ્ઞકાર માટે પણ પવિત્ર વસ્ત્રો બનાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેઓએ પવિત્રસ્થાનમાં સેવા કરવાને માટે નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનાં ઝીણાં વસ્‍ત્ર બનાવ્યાં. તેમ હારુનને માટે પણ તેઓએ પવિત્ર વસ્‍ત્ર બનાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પવિત્રસ્થાનમાં સેવા કરતી વખતે લોકોએ ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના ઝીણાં વસ્ત્રો બનાવ્યાં. યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે મુજબ તેમણે હારુનને માટે પવિત્ર વસ્ત્રો બનાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પવિત્રસ્થાનમાં સેવા કરતી વખતે યાજકોએ પહેરવાના દબદબાભર્યા પોષાક, લોકોએ ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના કાપડમાંથી બનાવ્યા. યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તે મુજબ તેમણે હારુનને માંટેનાં વસ્ત્રો બનાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 39:1
14 Iomraidhean Croise  

તમારી આજ્ઞાઓ અફર છે; હે પ્રભુ, પવિત્રતા તમારા મંદિરને સદા સર્વકાળ શોભાવે છે.


અળસી રેસાનું ઝીણું કાંતેલું કાપડ, બકરાના વાળ,


“મંડપના અંદરના ભાગ માટે વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસામાંથી તેમજ ઝીણા કાંતેલા અળસી રેસામાંથી પડદા બનાવવા. પડદા પર કરુબોની આકૃતિઓનું ભરતકામ કરવું.


કારીગરો વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રેસા, સોનાના તાર તથા અળસીના ઝીણા કાંતેલા રેસા ઉપયોગમાં લે.


તથા યજ્ઞકારના સેવાકાર્ય માટે આરોન યજ્ઞકાર તથા તેના પુત્રોનાં પવિત્ર વસ્ત્રો,


વળી, પવિત્રસ્થાનમાં યજ્ઞકાર તરીકે સેવા કરતી વખતે આરોન તથા તેના પુત્રોએ પહેરવાનાં પવિત્ર વસ્ત્રો.”


જેમની પાસે ઝીણા કાંતેલા અળસી રેસા, વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા, બકરાના વાળનું બનાવેલ કાપડ, ઘેટાંના લાલ રંગેલાં ચામડાં અથવા ઉત્તમ પ્રકારનું મુલાયમ ચામડું હતું તે તેઓ લાવ્યા.


આંગણાની ચારે તરફની તથા આંગણાના પ્રવેશદ્વારની કૂંભીઓ અને મંડપ તથા આંગણાની ચારે તરફના બધા ખીલા બનાવ્યા.


અને પવિત્રસ્થાનમાં સેવા કરતી વખતે યજ્ઞકારોએ પહેરવાનાં ભવ્ય વસ્ત્રો; એટલે, આરોન યજ્ઞકાર અને તેના પુત્રો માટેનાં પવિત્ર વસ્ત્રો.


મંદિરમાં દાખલ થયા પછી યજ્ઞકારો સીધા બહારના ચોકમાં જશે નહિ, અને જો તેમણે જવું હોય તો સેવાકાર્ય કરતી વખતે પહેરેલાં વસ્ત્રો ઉતારીને તે ખંડોમાં મૂકી દેવાં, કારણ, તે વસ્ત્રો પવિત્ર છે. તેમણે સામાન્ય જનસમૂહ માટે નિયુક્ત થયેલા સ્થાનમાં બીજાં વસ્ત્રો પહેરીને જ જવું.”


મંદિરનો નિયમ આ છે: પહાડના શિખર પરના મંદિરની ચારે તરફનો બધો ભૂમિવિસ્તાર અતિ પવિત્ર છે.”


ખ્રિસ્ત એ મંડપમાં થઈને સર્વકાળ માટે માત્ર એક જ વાર પરમ પવિત્રસ્થાનમાં પ્રવેશ્યા. તે પોતાની સાથે અર્પણ તરીકે બકરા અને વાછરડાનું રક્ત લઈને નહીં પરંતુ પોતાનું રક્ત લઈને પ્રવેશ્યા અને તે દ્વારા આપણે માટે સાર્વકાલિક ઉદ્ધાર પ્રાપ્ત કર્યો.


યહૂદી પ્રમુખ યજ્ઞકાર પવિત્ર સ્થાનમાં દર વર્ષે પ્રાણીઓના રક્ત સાથે પ્રવેશ કરે છે. પણ પોતાનું અર્પણ કરવા માટે ખ્રિસ્તે ઘણીવાર પ્રવેશ કર્યો નથી;


Lean sinn:

Sanasan


Sanasan