Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 37:17 - પવિત્ર બાઇબલ C.L.

17 તેણે શુદ્ધ સોનાનું દીપવૃક્ષ બનાવ્યું. તેની બેઠક તથા દાંડો નક્કર સોનાનાં હતાં; શોભા માટેનાં તેનાં ફૂલ, કળીઓ અને પાંખડીઓ તેની સાથે સળંગ જોડાયેલાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને તેણે ચોખ્ખા સોનાનું એક દીપવૃક્ષ બનાવ્યું. ઘડતર કામનું દીપવૃક્ષ તેણે બનાવ્યું, એટલે તેની બેઠક તથા તેનો દાંડો; તેનાં ચાડાં, તેની કળીઓ તથા તેનાં ફૂલ તે તેની સાથે સળંગ જોડેલાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તેણે શુદ્ધ સોનાનું દીપવૃક્ષ બનાવ્યું. ઘડતર કામનું દીપવૃક્ષ તેણે બનાવ્યું. એટલે તેની બેઠક તથા તેનો દાંડો, તેનાં ચાડાં, તેની કળીઓ તથા તેનાં ફૂલ તે તેની સાથે સળંગ જોડેલાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 તેણે શુદ્ધ સોનાની દીવી બનાવી; દીવીની બેસણી અને થાંભલી સોનામાંથી ઘડીને બનાવ્યાં અને તેના ઉપરનાં શોભાનાં ફૂલો, કળીઓ અને પાંદડીઓ તેની સાથે જડી દીધાં.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 37:17
17 Iomraidhean Croise  

દીવીઓમાં અને તેનાં કોડિયાંમાં કેટલું સોનું વાપરવું.


દરરોજ સવારસાંજ તેમને સુવાસિત ધૂપ ચડાવાય છે અને પૂર્ણ દહનબલિ થાય છે. પવિત્ર મેજ પર તેઓ અર્પિત રોટલી પણ ગોઠવે છે. રોજ સાંજે તેઓ સોનાની દીવીઓ પરના દીવા પેટાવે છે. અમે તો અમારા ઈશ્વર પ્રભુની આજ્ઞા પ્રમાણે વર્તીએ છીએ, પણ તમે તેમનો ત્યાગ કર્યો છે.


મેજ તથા તેની સઘળી સામગ્રી, શુદ્ધ સોનાનું દીપવૃક્ષ અને તેની સામગ્રી, ધૂપવેદી,


વળી, મેજને માટે તેણે સોનાનાં પાત્રો બનાવ્યાં: થાળીઓ, વાટકા, બરણીઓ, દ્રાક્ષાસવના પેયાર્પણમાં વપરાતાં પ્યાલાં એ સર્વ શુદ્ધ સોનાનાં હતાં.


દરેક બાજુએ ત્રણ ત્રણ એ રીતે તેની બન્‍ને બાજુઓએ છ શાખાઓ નીકળેલી હતી.


આરોને પ્રભુ સમક્ષ રાખેલી ચોખ્ખા સોનાની દીવી પરના દીવા સતત સળગતા રહે તેની કાળજી રાખવાની છે.


પછી મેં તેને પૂછયું, “દીવીની બન્‍ને બાજુએ આ જે બે ઓલિવવૃક્ષો છે તેમનો શો અર્થ છે?


તેણે પૂછયું, “તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “હું એક સુવર્ણ દીવી જોઉં છું. તેની ટોચે તેલ માટે પ્યાલો છે. દીવી પર સાત દીવા છે અને સાતેય દીવા પર દિવેટો મૂકવાના સાત સાત ખાંચા છે.


આખા દીપવૃક્ષની કારીગરી ઘડેલા સોનાની હતી, એટલે બેઠકથી ફૂલો સુધી તે સોનામાંથી ઘડીને બનાવેલું હતું. પ્રભુએ મોશેને બતાવેલા નમૂના પ્રમાણે તે બનાવવામાં આવ્યું હતું.


કોઈ દીવાને સળગાવીને વાસણ નીચે નહિ, પણ દીવી પર મૂકશે; જ્યાંથી તે સમગ્ર ઘરને પ્રકાશિત કરે છે.


જેથી તમે અપ્રામાણિક અને ભ્રષ્ટ લોકો મયે ઈશ્વરનાં સંપૂર્ણ બાળકો તરીકે શુદ્ધ અને નિર્દોષ થાઓ. તેમની સમક્ષ જીવનનો સંદેશો આપતાં તમારે આકાશમાં પ્રકાશતા તારાઓની માફક પ્રકાશવું જોઈએ.


એક મંડપ બનાવવામાં આવ્યો હતો અને તેનો બહારનો ભાગ પવિત્રસ્થાન કહેવાતો હતો. તે ભાગમાં દીપવૃક્ષ, મેજ તથા ઈશ્વરને અર્પિત રોટલી હતાં.


પછી મારી સાથે વાત કરનારને જોવા હું પાછો ફર્યો તો મેં સોનાની સાત દીવીઓ જોઈ.


Lean sinn:

Sanasan


Sanasan