Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 34:25 - પવિત્ર બાઇબલ C.L.

25 “જ્યારે તું મને પ્રાણીનું અર્પણ કરે ત્યારે તારે ખમીરવાળી રોટલીનું અર્પણ કરવું નહિ. વળી, પાસ્ખાપર્વની ઉજવણી વખતે કાપેલ હલવાનનો કોઈપણ ભાગ સવાર સુધી રહેવા દઈશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 ખમીર સાથે તું મારા યજ્ઞનું રક્ત ન ચઢાવીશ; તેમ જ પાસ્ખા પર્વનો યજ્ઞ સવાર સુધી પડયો ન રહે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 ખમીર સાથે તું મારા યજ્ઞનું રક્ત ન ચઢાવીશ, તેમ જ પાસ્ખા પર્વનો યજ્ઞ સવાર સુધી પડ્યો ન રહે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 “તમાંરે યજ્ઞ ચઢાવીને એનું લોહી ખમીરવાળી રોટલી સાથે મને ધરાવવું નહિ. “પાસ્ખાપર્વ યજ્ઞનો કોઈ ભાગ સવાર સુધી રાખી મૂકવો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 34:25
12 Iomraidhean Croise  

સવાર સુધી તેમાંનું કશું બાકી રાખવું નહિ, અને છતાં કંઈ વધે તો તેને આગમાં બાળી દેવું.


તેઓ તેનું માંસ અગ્નિમાં શેકીને કડવી ભાજી સાથે તેમ જ ખમીરરહિત રોટલી સાથે તે જ રાત્રે ખાય.


“જ્યારે તમે મને પ્રાણીનું બલિદાન ચડાવો ત્યારે તેની સાથે ખમીરવાળી રોટલીનું અર્પણ કરશો નહિ. આ પર્વો દરમ્યાન મને ચડાવવામાં આવતાં પ્રાણીઓની ચરબી બીજા દિવસની સવાર સુધી રાખી મૂકશો નહિ.


દીક્ષાબલિના માંસમાંથી અથવા રોટલીઓમાંથી સવાર સુધી કંઈપણ બાકી રહે તો તેને બાળી નાખવું, તેને ખાવું નહિ, કારણ કે તે પવિત્ર છે.


“પ્રભુને ચડાવવાનાં કોઈપણ ધાન્ય અર્પણમાં ખમીર વાપરવું નહિ. પ્રભુને ધાન્ય અર્પણ ચડાવતી વખતે ખમીર કે મધ કદી વાપરવું નહિ.


જે દિવસે પ્રાણી ચડાવવામાં આવ્યું હોય તે જ દિવસે તેનું માંસ ખાઈ જવાનું છે. બીજા દિવસની સવાર સુધી તેમાંનું કંઈ જ રાખવામાં આવે નહિ.


બીજા દિવસની સવાર સુધી તેમાંનો કંઈ ખોરાક રાખી મૂકવો નહિ અને પ્રાણીનું એકે હાડકું ભાંગવું નહિ. પાસ્ખાપર્વ તેના સર્વ નિયમો અને વિધિ અનુસાર પાળવામાં આવે.


ઈસુએ તેમને બીજું એક ઉદાહરણ કહ્યું, ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: એક સ્ત્રી ખમીર લઈને ત્રણ માપ લોટમાં ભેળવે છે અને તેથી લોટના સમગ્ર લોંદામાં ખમીર સરી જાય છે.


જ્યારે તમે પાસ્ખાપર્વના એ પ્રાણીનું માંસ ખાઓ ત્યારે તેની સાથે તમારે ખમીરવાળી રોટલી ખાવી નહિ. સાત દિવસ સુધી તમારે ખમીર વગરની રોટલી ખાવાની છે. એ તો દુ:ખની રોટલી છે; કારણ, ઇજિપ્ત દેશમાંથી તમારે બહુ ઉતાવળથી નીકળવું પડયું હતું.


આમ, ઇજિપ્તમાંથી નીકળી આવવાનો દિવસ તમને જીવનભર યાદ રહેશે. સાત દિવસ સુધી આખા દેશમાં કોઈપણ ઘરમાં ખમીર હોવું જોઈએ નહિ. પ્રથમ દિવસની સાંજે વધ કરાયેલા પ્રાણીનું માંસ તે જ રાત્રે પૂરેપૂરું ખાઇ જવું અને એમાંથી સવાર પડતાં સુધી કંઈ રાખી મૂકવું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan