Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 34:21 - પવિત્ર બાઇબલ C.L.

21 “છ દિવસ તમારે પરિશ્રમપૂર્વક તમારું કાર્ય કરવું પરંતુ સાતમે દિવસે તમારે કંઈ કાર્ય ન કરવું. જમીન ખેડવાના સમયે અથવા કાપણીના સમયે પણ તમારે સાતમે દિવસે કાર્ય કરવું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 છ દિવસ તારે ઉદ્યોગ કરવો, પણ સાતમે દિવસે આરામ લેવો. ખેડવાની વખતે ને કાપણીની વખતે પણ તારે આરામ લેવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 છ દિવસ તારે કામ કરવું, પણ સાતમાં દિવસે તારે આરામ કરવો. ખેડવાના અને કાપણીના સમયે પણ તારે આરામ કરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 “છ દિવસ તમાંરે ખેડવાનું કે વાવણીનું કામ કરવું. સાતમાં દિવસે વિશ્રામ કરવો. માંત્ર છ દિવસ કામ કરવું અને સાતમે દિવસે આરામ પાળવો.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 34:21
13 Iomraidhean Croise  

ધરતી પર દુકાળનું આ બીજું જ વર્ષ છે, હજી બીજાં પાંચ વર્ષ બાકી છે, તેમાં વાવણી કે કાપણી થવાની નથી.


એ વખતે મેં યહૂદિયાના લોકોને સાબ્બાથદિને દ્રાક્ષ પીલતા જોયા. બીજા કેટલાક પોતાનાં ગધેડાં પર અનાજ, દ્રાક્ષાસવ, દ્રાક્ષો, અંજીર અને બીજી વસ્તુઓ લાદીને યરુશાલેમ લઈ જતા જોયા; મેં તેમને સાબ્બાથના દિવસે કંઈ નહિ વેચવા ચેતવણી આપી.


“તમે સપ્તાહના છ દિવસ કામ કરો, પરંતુ સાતમે દિવસે કંઈ કામ કરશો નહિ; એ માટે કે તમારે માટે કામ કરતાં દાસદાસીઓ તથા પરદેશીઓને તથા તમારાં ઢોરઢાંકને આરામ મળે.


છ દિવસ તમારે તમારાં સર્વ કામ કરવાં, પરંતુ સાતમો દિવસ સંપૂર્ણ આરામનો દિવસ છે અને મારે માટે અલગ કરાયેલો છે. સાબ્બાથદિને કાર્ય કરનાર નિશ્ર્વે માર્યો જાય.


છ દિવસ તમારે પરિશ્રમપૂર્વક તમારું કામ કરવું, પરંતુ સાતમો દિવસ મને અર્પાયેલો આરામનો દિવસ છે; તેથી તે દિવસ પવિત્ર પાળવો. તે દિવસે જે કોઈ માણસ કામ કરે તેને મારી નાખવો.


તમારાં ખેતર ખેડનારા બળદો અને ગધેડાં સલૂણો અને સારી રીતે ઉપણેલો ઉત્તમ ચારો ખાશે.


“છ દિવસ તમારે કામ કરવાનું છે. પરંતુ યાદ રાખો કે સાતમો દિવસ એટલે સાબ્બાથ તો આરામનો દિવસ છે. તે દિવસે કંઈ રોજિંદું કામ કરો નહિ. પણ પ્રભુનું ભજન કરવા એકત્ર થાઓ. તમે ગમે ત્યાં વસતા હો પણ સાબ્બાથ તો પ્રભુને સમર્પિત દિવસ છે.


ઈસુએ તેને વિશ્રામવારે સાજી કરી તેથી ભજનસ્થાનના અધિકારીએ ગુસ્સે થઈને લોકોને કહ્યું, “છ દિવસ આપણે ક્મ કરવું જોઈએ, તેથી એ દિવસોમાં આવીને સાજા થાઓ, વિશ્રામવારે નહિ.”


પછી તેઓ પાછા ઘેર ગયાં અને મૃતદેહને માટે સુગંધી દ્રવ્યો તથા અત્તર તૈયાર કર્યાં. નિયમશાસ્ત્ર પ્રમાણે વિશ્રામવારે તેમણે આરામ કર્યો.


અને તે નગરના વડીલોએ જ્યાં કદી ખેડાણ કે વાવેતર થયું ન હોય એવા વહેતા ઝરણાના ખીણપ્રદેશમાં તે વાછરડીની ડોક ભાંગી નાખવી.


તેમાંના કેટલાકને તે હજાર માણસો પર અને બીજા કેટલાકને તે પચાસ માણસો પર અધિકારીઓ નીમશે. તમારા પુત્રોએ તેનાં ખેતરો ખેડવાં પડશે. તેનો પાક લણવો પડશે અને તેનાં શસ્ત્રો અને તેના રથો માટેનાં સાધનો બનાવવાં પડશે.


Lean sinn:

Sanasan


Sanasan