Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 32:16 - પવિત્ર બાઇબલ C.L.

16 ઈશ્વરે પોતે એ શિલાપાટીઓ બનાવી હતી અને તેમણે પોતે જ તેના પર આજ્ઞાઓ કોતરી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને તે પાટીઓ ઈશ્વરની કૃતિ હતી, ને પાટી પર કોતરેલો લેખ, તે ઈશ્વરનો લેખ હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તે શિલાપાટીઓ ઈશ્વરની કૃતિ હતી અને પાટી પર કોતરેલો લેખ, તે ઈશ્વરનો લેખ હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તે તકતીઓ દેવે બનાવેલી હતી અને તેના ઉપરનું લખાણ પણ દેવે કોતરીને લખેલું હતું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 32:16
12 Iomraidhean Croise  

એમને લોઢાની છીણીથી અને સીસાથી સદાને માટે શિલા પર કોતરવામાં આવે તો કેવું સારું!


સિનાઈ પર્વત ઉપર ઈશ્વરે મોશેની સાથેની વાત પૂરી કરીને તેમણે તેને પોતાની આંગળીથી આજ્ઞાઓ લખેલા સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ આપી.


મોશે પર્વત પરથી નીચે ઊતરી આવ્યો. તેના હાથમાં સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ હતી. તે પાટીઓની બન્‍ને બાજુએ આજ્ઞાઓ લખેલી હતી.


યહોશુઆએ લોકોની બૂમાબૂમ સાંભળીને મોશેને કહ્યું, “છાવણીમાં લડાઈનો કોલાહલ સંભળાય છે.”


પ્રભુએ મોશેને કહ્યું, “પહેલાંની શિલાપાટીઓ જેવી બે શિલાપાટીઓ ઘડી લાવ, અને તેં ભાંગી નાખેલી શિલાપાટીઓ પર જે લખાણ હતું તે હું આ પાટીઓ પર લખીશ.


તેથી મોશેએ પહેલીના જેવી બે શિલાપાટીઓ ઘડી કાઢી અને બીજે દિવસે સવારે વહેલો ઊઠીને પ્રભુની આજ્ઞા અનુસાર તે શિલાપાટીઓ લઈને સિનાઈ પર્વત પર ગયો.


આ પત્ર તો ખ્રિસ્તે લખ્યો છે, અને અમારી મારફતે તે મોકલ્યો છે. તે શાહીથી નહિ, પણ જીવંત ઈશ્વરના આત્માથી; તેમજ શિલાપાટીઓ પર નહિ, પણ માનવી હૃદયો પર લખાયેલો છે.


શિલાપાટીઓ પર કોતરાયેલા મોશેના નિયમની સેવા મરણકારક હોવા છતાં તે એવા ગૌરવસહિત આપવામાં આવી હતી કે મોશેના મુખ પર પડેલા ગૌરવનું તેજ જે ઝાંખું થતું જતું હતું, તેને પણ ઇઝરાયલીઓ એકીટશે જોઈ શક્યા નહિ.


“તે સમયે પ્રભુએ મને કહ્યું, ‘તું પહેલાની જેવી બીજી બે શિલાપાટીઓ ઘડ અને તેમને લઈને મારી પાસે પર્વત પર આવ. તે પાટીઓ મૂકવા માટે લાકડાની એક કરારપેટી પણ બનાવ.


“તેથી બે હાથમાં કરારની બે પાટીઓ લઈને હું પર્વત પરથી પાછો નીચે ઊતરવા લાગ્યો, તે સમયે પર્વત અગ્નિની જ્વાળાઓથી ભભૂક્તો હતો.


હવે, આવનાર દિવસોમાં હું ઇઝરાયલી લોકો સાથે આ કરાર કરીશ એવું પ્રભુ કહે છે: હું મારા નિયમો તેમના મનમાં મૂકીશ, અને તે તેમના દયપટ પર લખીશ. “હું તેમનો ઈશ્વર થઈશ, અને તેઓ મારા લોક થશે.


Lean sinn:

Sanasan


Sanasan