Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 30:18 - પવિત્ર બાઇબલ C.L.

18 “તારે તાંબાની બેઠકવાળો તાંબાનો જળકુંડ બનાવવો. તેને મુલાકાતમંડપ અને યજ્ઞવેદીની વચ્ચે મૂકીને તેમાં પાણી ભરવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 “વળી હાથપગ ધોવાને માટે તું પિત્તળનો હોજ બનાવ, ને તેનું તળિયું પિત્તળનું થાય; અને તું તેને મુલાકાતમંડપ તથા વેદીની વચ્ચે મૂક, ને તેમાં પાણી રેડ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 “હાથપગ ધોવા તારે પિત્તળના તળિયાવાળી પિત્તળની કૂડી બનાવવી. અને તેને વેદી અને મુલાકાતમંડપની વચ્ચે મૂકીને તેમાં પાણી ભરવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 “હાથપગ ધોવા તારે કાંસાની ઘોડીવાળી એક કાંસાની કૂડી બનાવવી, અને તેને વેદી અને મુલાકાતમંડપની વચ્ચે મૂકી તેમાં પાણી ભરવું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 30:18
15 Iomraidhean Croise  

હુરામે 2.2 મીટર ઊંડો, 4.4 મીટરના વ્યાસવાળો અને 13.2 મીટર પરિધનો તાંબાનો ગોળ જળકુંડ બનાવ્યો.


હુરામે દરેક જળગાડી માટે એક એમ તાંબાની દસ જળકુંડીઓ પણ બનાવી. પ્રત્યેક જળકુંડી 1.8 મીટર વ્યાસની હતી અને આઠસો લિટરની ક્ષમતા ધરાવતી હતી.


તેણે તાંબાનો જળકુંડ બનાવ્યો; તે 2.2 મીટર ઊંડો હતો; તેનો વ્યાસ 4.4. મીટર અને પરિઘ 13.2 મીટર હતો.


મંદિરની દક્ષિણ તરફ મૂકવા પાંચ અને ઉત્તર તરફ મૂકવા પાંચ એમ કુલ દસ કૂંડાં પણ તેણે બનાવ્યાં. દહનબલિ તરીકે ચઢાવાતાં પશુઓના ભાગ ધોવા માટે એ કૂંડા હતાં. મોટા જળકુંડમાંનું પાણી યજ્ઞકારોના હાથપગ ધોવા માટે હતું.


પ્રભુએ મોશેને કહ્યું,


યજ્ઞવેદી તથા તેની સામગ્રી, જળકુંડ તથા તેની બેઠક


મુલાકાતમંડપના દ્વાર પાસે સેવા કરનાર સ્ત્રીઓના અરીસામાંથી તેણે તાંબાનો જળકુંડ અને તેની તાંબાની બેઠક બનાવ્યાં.


મંડપ તથા યજ્ઞવેદીની વચમાં જળકુંડ મૂકજે અને તેને પાણીથી ભરજે.


તું ઈશ્વરના મંદિરમાં જાય ત્યારે સંભાળીને જજે. મૂર્ખોની માફક યજ્ઞાર્પણ ચડાવવા કરતાં ઈશ્વરમંદિરમાં શિક્ષણ પ્રાપ્ત કરવા જવું સારું છે; કારણ, મૂર્ખો પાસે સાચાખોટાનો વિવેક નથી.


તેણે વેદી પર તેલનો સાતવાર છંટકાવ કર્યો. તેણે વેદી અને તેનાં બધાં પાત્રો, તેમજ જળકુંડ અને તેની બેઠકનું પ્રભુને સમર્પણ કર્યું.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “એ દિવસે દાવિદના વંશજો અને યરુશાલેમના લોકોને તેમનાં પાપ અને મૂર્તિપૂજામાંથી શુદ્ધ કરવા એક ઝરો ફૂટી નીકળશે.


ત્યારે આપણાં કોઈ સર્ત્ક્યોને લીધે નહિ, પણ ઈશ્વરે તેમની દયાને લીધે આપણને શુદ્ધ કરનાર જળ દ્વારા નવો જન્મ અને પવિત્ર આત્મા દ્વારા નવજીવનની તાજગી પમાડીને ઉગાર્યા.


પણ જેમ તે પ્રકાશમાં છે તેમ આપણે પ્રકાશમાં જીવીએ તો આપણે એકબીજા સાથેની સંગતમાં રહીએ છીએ અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan